May 9, 2026
દેશ

પતિ પત્ની ઓર વો, પતિ અને ૪ બાળકોને મૂકી માતા પ્રેમી સાથે થઇ ફરાર

નાગોર જિલ્‍લાના નરવાસી ગામની રહેવાસી ૨૯ વર્ષીય સંજૂ ગુર્જરે પોતાના પતિનો સાથ છોડી દીધો છે અને હવે તેણે ચૂરુ જિલ્‍લાના રમેશ ગુર્જર સાથે લિવ ઇન રિલેશનમાં રહેવાનો નિર્ણય લીધો છે. સંજૂએ કહ્યું કે, હવે તે પોતાના પતિ સાથે રહેવા નથી માગતી, કેમ કે બંને વચ્‍ચે લાંબા સમયથી ખટરાગ ચાલી રહ્યો છે.

પોતાના નિર્ણય બાદ વિવાહિતાને જાનથી મારી નાખવાની ધમકી મળવા લાગી, આવા સમયે તે પોતાના પ્રેમી રમેશ ગુર્જર સાથે સુરક્ષાની માગને લઈને ચૂરુ એસપી ઓફિસે પહોંચી. એસપી કાર્યાલયમાં તેણે અધિકારીઓને જણાવ્‍યું કે, તેનાં લગ્ન ૧૨ વર્ષ પહેલાં ફતેહપુરમાં થયાં હતાં અને તેને ચાર બાળકો પણ છે.

સંજૂએ જણાવ્‍યું કે, લગભગ છ મહિના પહેલાં ફતેહપુરમાં એક સંબંધીને ત્‍યાં લગ્ન પ્રસંગમાં તેની મુલાકાત રમેશ સાથે થઈ હતી. ત્‍યાર બાદ બંને વચ્‍ચે મોબાઇલ પર વાતચીત શરૂ થઈ અને ધીમે ધીમે સંબંધ ગાઢ થતો ગયો. રમેશ ગુર્જર જે એક ફાઇનાન્‍સ કંપનીમાં નોકરી કરે છે, તેણે જણાવ્‍યું કે, તેનો પરિવાર આ સંબંધ સ્‍વીકારવા તૈયાર છે અને તેણે સંજૂનો સાથ આપવાનું વચન આપ્‍યું છે.

મહિલાએ જણાવ્‍યું કે, તેનો પતિ અમદાવાદમાં રહે છે, પણ બંને વચ્‍ચે સતત તણાવ અને અણબનાવ બનતા રહે છે. ઘણી વાર સમજાવવા છતાં એકબીજા વચ્‍ચે મતભેદ ખતમ નથી થતાં. આ જ કારણે તેણે હવે પતિથી અલગ થઈ રમેશ સાથે જીવન જીવવાનો નિર્ણય લીધો છે, સંજૂએ કહ્યું કે, તે સમાજની ચિંતા કર્યા વિના રમેશ સાથે રહેવા માગે છે.

સંજૂ અને રમેશનો આ મામલો હવે આખા વિસ્‍તાર અને સમાજ માટે ચર્ચાનો વિષય બન્‍યો છે. ગામ લોકોમાં અલગ અલગ વાતો થઈ રહી છે. તો વળી પોલીસ પ્રશાસને મહિલાની સુરક્ષા સંબંધિત માંગ પર વિચાર કરવાની વાત પણ કહી છે, જેથી તેમને કોઈ પણ પ્રકારનો ખતરો ન રહે

Related posts

આજથી GST ઘટાડા સાથે Amazon અથવા Flipkart વેચાણ દરમિયાન ૨૦% ડિસ્‍કાઉન્‍ટ ઓફરનો ડબલ ડોઝ

Ahmedabad Samay

જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરાઇ

Ahmedabad Samay

સરકારની ચોખ્ખી આવક માત્ર 35.33 લાખ કરોડ રૂપિયા છે, ત્યારે 53.47 લાખ કરોડનો ખર્ચ કેવી રીતે પૂરો કરવામાં આવશે? ક્યાંથી થશે કમાણી?

Ahmedabad Samay

ત્રિપુરામાં અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત

Ahmedabad Samay

ઈન્ડિગોનું ઓપરેશનલ સંકટ યથાવત, કાલે પણ ૧,૦૦૦ આસપાસની ફ્લાઇટસ કેન્સલ થવાની આશંકા,મુસાફરોને રિફંડ આપવાની તૈયાયરી બતાવી

Ahmedabad Samay

રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો