February 13, 2026
દેશ

પતિ પત્ની ઓર વો, પતિ અને ૪ બાળકોને મૂકી માતા પ્રેમી સાથે થઇ ફરાર

નાગોર જિલ્‍લાના નરવાસી ગામની રહેવાસી ૨૯ વર્ષીય સંજૂ ગુર્જરે પોતાના પતિનો સાથ છોડી દીધો છે અને હવે તેણે ચૂરુ જિલ્‍લાના રમેશ ગુર્જર સાથે લિવ ઇન રિલેશનમાં રહેવાનો નિર્ણય લીધો છે. સંજૂએ કહ્યું કે, હવે તે પોતાના પતિ સાથે રહેવા નથી માગતી, કેમ કે બંને વચ્‍ચે લાંબા સમયથી ખટરાગ ચાલી રહ્યો છે.

પોતાના નિર્ણય બાદ વિવાહિતાને જાનથી મારી નાખવાની ધમકી મળવા લાગી, આવા સમયે તે પોતાના પ્રેમી રમેશ ગુર્જર સાથે સુરક્ષાની માગને લઈને ચૂરુ એસપી ઓફિસે પહોંચી. એસપી કાર્યાલયમાં તેણે અધિકારીઓને જણાવ્‍યું કે, તેનાં લગ્ન ૧૨ વર્ષ પહેલાં ફતેહપુરમાં થયાં હતાં અને તેને ચાર બાળકો પણ છે.

સંજૂએ જણાવ્‍યું કે, લગભગ છ મહિના પહેલાં ફતેહપુરમાં એક સંબંધીને ત્‍યાં લગ્ન પ્રસંગમાં તેની મુલાકાત રમેશ સાથે થઈ હતી. ત્‍યાર બાદ બંને વચ્‍ચે મોબાઇલ પર વાતચીત શરૂ થઈ અને ધીમે ધીમે સંબંધ ગાઢ થતો ગયો. રમેશ ગુર્જર જે એક ફાઇનાન્‍સ કંપનીમાં નોકરી કરે છે, તેણે જણાવ્‍યું કે, તેનો પરિવાર આ સંબંધ સ્‍વીકારવા તૈયાર છે અને તેણે સંજૂનો સાથ આપવાનું વચન આપ્‍યું છે.

મહિલાએ જણાવ્‍યું કે, તેનો પતિ અમદાવાદમાં રહે છે, પણ બંને વચ્‍ચે સતત તણાવ અને અણબનાવ બનતા રહે છે. ઘણી વાર સમજાવવા છતાં એકબીજા વચ્‍ચે મતભેદ ખતમ નથી થતાં. આ જ કારણે તેણે હવે પતિથી અલગ થઈ રમેશ સાથે જીવન જીવવાનો નિર્ણય લીધો છે, સંજૂએ કહ્યું કે, તે સમાજની ચિંતા કર્યા વિના રમેશ સાથે રહેવા માગે છે.

સંજૂ અને રમેશનો આ મામલો હવે આખા વિસ્‍તાર અને સમાજ માટે ચર્ચાનો વિષય બન્‍યો છે. ગામ લોકોમાં અલગ અલગ વાતો થઈ રહી છે. તો વળી પોલીસ પ્રશાસને મહિલાની સુરક્ષા સંબંધિત માંગ પર વિચાર કરવાની વાત પણ કહી છે, જેથી તેમને કોઈ પણ પ્રકારનો ખતરો ન રહે

Related posts

નિકિતા તોમરને ન્યાય મળી રહે માટે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રીને આવેદન પત્ર અપાયું.

Ahmedabad Samay

લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત – ચીન સૈનિકો વચ્ચે હિંસક અથડામણ

Ahmedabad Samay

૧૭મી બાદ નવી ગાઈડલાઈન પ્રમાણે થશે કામકાજ, ૧૫મી એ રજૂ થઇ શકે છે નવી ગાઈડલાઈન.

Ahmedabad Samay

નરેન્દ્રભાઈ મોદીનું પ્રજાને પાંચમી વાર સંબોધન

Ahmedabad Samay

તાપસી ફિલ્મ “રશ્મિ રોકેટ” માટે કરી રહી છે વર્કઆઉટ

Ahmedabad Samay

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે આદરણીય તીર્થસ્થાનની યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો