March 10, 2026
ગુજરાત

વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની અધ્‍યક્ષતામાં વિધાનસભા પરિસરમાં વંદે માતરમ ગાનનું અને સ્‍વદેશી અપનાવવાના સંકલ્‍પનું સામૂહિક પઠન કર્યું

વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની અધ્‍યક્ષતામાં વિધાનસભા પરિસરમાં વંદે માતરમ ગાનનું અને સ્‍વદેશી અપનાવવાના સંકલ્‍પનું સામૂહિક પઠન વિધાનસભા અધ્‍યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્‍યમંત્રી કાંતિભાઈ અમળતિયાની પ્રેરક ઉપસ્‍થિતિ કરવામાં આવ્‍યું હતું.

મુખ્‍યમંત્રીશ્રીએ આ અવસરે વંદે માતરમ ગાનનો મહિમામંડિત કરતા હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વંદે માતરમ ગાનને વિકાસનો રાજમાર્ગ, સંકલ્‍પિત રાષ્‍ટ્ર જીવનનો મહામાર્ગ અને  આપણી આઝાદીનો ધબકાર ગણાવ્‍યો છે.

૧૮૭૫માં લખાયેલા આપણા વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ ૭મી નવેમ્‍બરે પૂર્ણ થયા છે તેની રાષ્‍ટ્રવ્‍યાપી ઉજવણી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં થઈ રહી છે. ૧૪૦ કરોડ ભારતવાસીઓમાં આ ઉજવણીથી રાષ્‍ટ્ર પ્રથમનો ભાવ ઉજાગર થયો છે.

મુખ્‍યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી વંદે માતરમ ગીતના શબ્‍દો ‘ત્‍વમ હી પ્રાણા શરીરે’ એટલે કે પ્રત્‍યેક શ્વાસે માં ભારતી માટે સમર્પિત રહિને એક આદર્શ જીવન જીવવાનું ઉદાહરણ સમગ્ર દેશવાસીઓને આપી રહ્યાં છે. વડાપ્રધાનશ્રીએ વંદે માતરમને ભારતની આન, બાન અને શાન ગણાવી છે.

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે, વંદે માતરમ ગીતમાં માં ભારતીની જે કલ્‍પના કરવામાં આવી છે, તે સુજલામ-સુફલામ સાથેની દરેક વાતને સાકાર કરવા માટે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તમામ પગલાં લીધાં છે. તેમણે ગુજરાતમાં શરૂ કરાવેલી પંચામળત શક્‍તિ, કન્‍યા કેળવણી, ગરીબ-વંચિતોનું કલ્‍યાણના પગલા કે સૌના વિકાસ અને સુખ-સમળદ્ધિની ભાવના પણ વંદે માતરમમાં જ રહેલી છે.

Related posts

અમદાવાદ – રથયાત્રામાં સુરક્ષાને લઈને પોલીસની તડામારા તૈયારી, ડ્રોનથી સર્વેલન્સ

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું અયોજન કરવામાં આવ્યું હતું.

Ahmedabad Samay

રામોલ પોલીસ સ્ટેશનમાં પ્રથમ વખત આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યા

Ahmedabad Samay

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર

Ahmedabad Samay

લોકસભા ચૂંટણી પહેલા TMCને ઝટકો લાગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ છોડ્યા બાદ તાપસ રોય બુધવારે ભાજપમાં જોડાયા

Ahmedabad Samay

જો જો ગાઈડલાઈન ભંગ કરવામાં ઉત્તરાયણ બગડે નહિ, ગાઈડલાઈન એક વાર જરૂર વાંચજો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો