April 16, 2026
ગુજરાત

ઢાલગરવાડ કાપડ માર્કેટમાં પટ્ટા બનાવી દુકાનની આગળ પાથરણાવાળાઓને બેસાડવાનો નિર્ણય કરાતાં દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો

ઢાલગરવાડ કાપડ માર્કેટમાં પટ્ટા બનાવી દુકાનની આગળ પાથરણાવાળાઓને બેસાડવાનો નિર્ણય કરાતાં દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો છે. સાંકડા રસ્તાને કારણે પાથરણાવાળા અને દુકાનદારોના ગ્રાહકોને કારણે ભીડ થશે અને તેમના બંને વચ્ચે ઘર્ષણ સર્જાશે તેવી અનેક સમસ્યાને લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા.

અમદાવાદના ઢાલગરવાડ કાપડ માર્કેટના વેપારીઓ કોર્પોરેશન પ્રત્યે રોષ વ્યક્ત કરી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે મહાનગરપાલિકા દ્વારા પાથરણાવાળાને દુકાનની બહાર જગ્યા ફાળવવાનું નક્કી કરાયું છે. કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા આગામી દિવસોમાં દુકાનની બહાર પટ્ટા પાડવાનું કહેવામાં આવ્યું છે. દુકાનથી ત્રણથી ચાર ફૂટ જગ્યા છોડીને પટ્ટા પાડવામાં આવશે અને ત્યાં પાથરણાવાળાને બેસાડવામાં આવશે.

દુકાનદારોનું કહેવું છે કે દુકાનની બહાર પાથરણાવાળાને બેસાડવું યોગ્ય નથી. સાંકડા રસ્તાને કારણે પાથરણાવાળા અને દુકાનદારોના ગ્રાહકોને કારણે ભીડ થશે અને તેમના બંને વચ્ચે ઘર્ષણ સર્જાય તેમ છે. દુકાનદારોનો માલ સામાનનો ટેમ્પો આવશે તો કઈ રીતે માલ ઉતારવાનો? તેવો પ્રશ્ન પણ દુકાનદારો કરી રહ્યા છે. દુકાનદારો આ અંગે કોર્પોરેશનમાં આવેદનપત્ર આપી વિરોધ નોંધાવી ચૂક્યા છે, ત્યારે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા બુલંદ માંગ ઉઠી છે.

Related posts

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પર જન્મ જ્યંતી નિમિત્તે ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

ચારેય મેટ્રો શહેરોમાંથી રાત્રિ કર્ફ્યુ ઉઠાવી લેવા તૈયારી

Ahmedabad Samay

સાપ્તાહિક રાશિ ભવિષ્ય જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેશભાઇ જોષી સાથે

Ahmedabad Samay

સ્વીગીનું ફરી એક વાર ખરાબ સર્વિસ માટે ચર્ચામાં કસ્ટમર ની ” ખાય પિયા કુછ નઈ ગ્લાસ તોડા બારણા ” જેવી હાલત

Ahmedabad Samay

અમદાવાદમાં વધુ ૧૨ હોસ્પિટલ ને કોવિડ-૧૯ જાહેર કરાઇ.

Ahmedabad Samay

દિવાળીના તહેવારે ગુજરાતભરમાં આગના બનાવો બન્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો