July 4, 2026
ગુજરાત

ઢાલગરવાડ કાપડ માર્કેટમાં પટ્ટા બનાવી દુકાનની આગળ પાથરણાવાળાઓને બેસાડવાનો નિર્ણય કરાતાં દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો

ઢાલગરવાડ કાપડ માર્કેટમાં પટ્ટા બનાવી દુકાનની આગળ પાથરણાવાળાઓને બેસાડવાનો નિર્ણય કરાતાં દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો છે. સાંકડા રસ્તાને કારણે પાથરણાવાળા અને દુકાનદારોના ગ્રાહકોને કારણે ભીડ થશે અને તેમના બંને વચ્ચે ઘર્ષણ સર્જાશે તેવી અનેક સમસ્યાને લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા.

અમદાવાદના ઢાલગરવાડ કાપડ માર્કેટના વેપારીઓ કોર્પોરેશન પ્રત્યે રોષ વ્યક્ત કરી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે મહાનગરપાલિકા દ્વારા પાથરણાવાળાને દુકાનની બહાર જગ્યા ફાળવવાનું નક્કી કરાયું છે. કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા આગામી દિવસોમાં દુકાનની બહાર પટ્ટા પાડવાનું કહેવામાં આવ્યું છે. દુકાનથી ત્રણથી ચાર ફૂટ જગ્યા છોડીને પટ્ટા પાડવામાં આવશે અને ત્યાં પાથરણાવાળાને બેસાડવામાં આવશે.

દુકાનદારોનું કહેવું છે કે દુકાનની બહાર પાથરણાવાળાને બેસાડવું યોગ્ય નથી. સાંકડા રસ્તાને કારણે પાથરણાવાળા અને દુકાનદારોના ગ્રાહકોને કારણે ભીડ થશે અને તેમના બંને વચ્ચે ઘર્ષણ સર્જાય તેમ છે. દુકાનદારોનો માલ સામાનનો ટેમ્પો આવશે તો કઈ રીતે માલ ઉતારવાનો? તેવો પ્રશ્ન પણ દુકાનદારો કરી રહ્યા છે. દુકાનદારો આ અંગે કોર્પોરેશનમાં આવેદનપત્ર આપી વિરોધ નોંધાવી ચૂક્યા છે, ત્યારે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા બુલંદ માંગ ઉઠી છે.

Related posts

શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવાયી

Ahmedabad Samay

કુબેરનગર વોર્ડમાં ચોંકાવનારું પરિણામ ભાજપ 02, કોંગ્રેસ 02, જીતના દાવેદાર નેતા નિકુલસિંહ અને ગિરિવર શેખાવાતની હાર

Ahmedabad Samay

જુનાગઢ એ ડિવિઝન પોલીસે વિસ્તારમાં દારૂનું બાર ખોલી ચલાવતા પકડી પાડ્યું

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

ભાર્ગવ વિસ્તારમાં એન.સી.પી.ની તૈયારી પુરજોશમાં

Ahmedabad Samay

૨૮ સપ્ટેમ્બરના રોજ જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો