December 12, 2025
ગુજરાત

ઢાલગરવાડ કાપડ માર્કેટમાં પટ્ટા બનાવી દુકાનની આગળ પાથરણાવાળાઓને બેસાડવાનો નિર્ણય કરાતાં દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો

ઢાલગરવાડ કાપડ માર્કેટમાં પટ્ટા બનાવી દુકાનની આગળ પાથરણાવાળાઓને બેસાડવાનો નિર્ણય કરાતાં દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો છે. સાંકડા રસ્તાને કારણે પાથરણાવાળા અને દુકાનદારોના ગ્રાહકોને કારણે ભીડ થશે અને તેમના બંને વચ્ચે ઘર્ષણ સર્જાશે તેવી અનેક સમસ્યાને લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા.

અમદાવાદના ઢાલગરવાડ કાપડ માર્કેટના વેપારીઓ કોર્પોરેશન પ્રત્યે રોષ વ્યક્ત કરી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે મહાનગરપાલિકા દ્વારા પાથરણાવાળાને દુકાનની બહાર જગ્યા ફાળવવાનું નક્કી કરાયું છે. કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા આગામી દિવસોમાં દુકાનની બહાર પટ્ટા પાડવાનું કહેવામાં આવ્યું છે. દુકાનથી ત્રણથી ચાર ફૂટ જગ્યા છોડીને પટ્ટા પાડવામાં આવશે અને ત્યાં પાથરણાવાળાને બેસાડવામાં આવશે.

દુકાનદારોનું કહેવું છે કે દુકાનની બહાર પાથરણાવાળાને બેસાડવું યોગ્ય નથી. સાંકડા રસ્તાને કારણે પાથરણાવાળા અને દુકાનદારોના ગ્રાહકોને કારણે ભીડ થશે અને તેમના બંને વચ્ચે ઘર્ષણ સર્જાય તેમ છે. દુકાનદારોનો માલ સામાનનો ટેમ્પો આવશે તો કઈ રીતે માલ ઉતારવાનો? તેવો પ્રશ્ન પણ દુકાનદારો કરી રહ્યા છે. દુકાનદારો આ અંગે કોર્પોરેશનમાં આવેદનપત્ર આપી વિરોધ નોંધાવી ચૂક્યા છે, ત્યારે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા બુલંદ માંગ ઉઠી છે.

Related posts

મરાઠી સમાજના પંદિરકર મહારાજના નિવાસસ્થાને સમાજ અને પરિવાર સાથે મળી જન્માષ્ટમી ઉજવાઇ

Ahmedabad Samay

SG હાઈવે ઉપર અંદાજે ૨૫ હજાર ચોરસ મીટર જગ્‍યામાં રુપિયા ૨૦ કરોડના ખર્ચથી લોટસ પાર્ક બનાવવામાં આવશે

Ahmedabad Samay

શ્રી રાજપૂત વિદ્યાસભા ગુજરાત દ્વારા સન્માન કાર્યક્રમ કરાયું

Ahmedabad Samay

રાજકોટ શહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાનાં માધ્‍યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવી

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ઓઢવ વિસ્તારમાં બેડમિંટન સ્પર્ધાનું આયોજન કરાયું

Ahmedabad Samay

ગુજરાતના છેવાડાઓ સુધી મસ્‍જિદો પરના લાઉડ સ્‍પીકરો બંધ કરાવી ઉતારવા ગુજરાત હિન્‍દુ સેના દ્વારા ગૃહ મંત્રાલયમાં અરજી કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો