January 17, 2026
મનોરંજન

૨૦૨૬માં શકીરાની ટીમ તેના કોન્‍સર્ટ માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવશે

શકીરા ભારતમાં જ્‍યારે પણ અને જ્‍યાં પણ પરફોર્મ કરશે અમદાવાદના લોકો આશા રાખે છે કે તે અહીં હશે. આ વર્ષે નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં બ્રિટિશ રોક બેન્‍ડ કોલ્‍ડપ્‍લેના સંગીતથી ઝૂમી ઉઠેલું આ શહેર ટૂંક સમયમાં શકીરાના સૂરો પર  થનગનવા લાગશે, કારણ કે લેટિન પોપ આઇકોનની ટીમે ૨૦૨૬ માં શહેરમાં કોન્‍સર્ટનું આયોજન કરવા માટે ગુજરાત સરકારનો સંપર્ક કર્યો છે, એમ ઉચ્‍ચ પદ પર રહેલા સૂત્રોએ જણાવ્‍યું હતું.

અમદાવાદમાં શકીરાના મેગા કોન્‍સર્ટ યોજવા માટે વાતચીત શરૂ થઈ ગઈ છે. અમારી પાસે નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમ છે, જે વિશ્વ કક્ષાની સુવિધાઓથી સજ્જ છે, વિકાસ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્‍યું હતું.

આ વર્ષે સ્‍ટેડિયમમાં કોલ્‍ડપ્‍લેના બે સફળ શો પછી, શકીરાની ટીમ તેના કોન્‍સર્ટ માટે અમદાવાદને પસંદ કરે તેવી શક્‍યતા છે. બહુવિધ ગ્રેમી એવોર્ડ વિજેતા કોલમ્‍બિયન ગાયિકા-ગીતકારે હજુ સુધી તેના ‘લાસ મુજેરેસ યા નો લોરન’ વિશ્વ પ્રવાસ અથવા અન્‍ય કોઈ પ્રવાસના ભાગ રૂપે ભારતમાં કોઈ કોન્‍સર્ટની સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ અહેવાલો અનુસાર, તેની ટીમે અમદાવાદમાં કોલ્‍ડપ્‍લે-શૈલીના કોન્‍સર્ટનું આયોજન કરવામાં રસ દર્શાવ્‍યો છે. તેમ ટાઈમ્‍સ ઓફ ઈન્‍ડીયા જણાવે છે.

ગુજરાત સરકાર આ બાબતે શક્‍ય તમામ સહયોગ આપવા માટે પ્રતિબદ્ધ છે. જોકે, અંતિમ નિર્ણય શકીરાની ટીમ પર રહે છે. તેમણે પણ ઉત્‍સાહ વ્‍યક્‍ત કર્યો છે, તેથી અમને આશા છે કે તેમનો કોન્‍સર્ટ અમદાવાદમાં યોજાશે,ઙ્ઘ એક સૂત્રએ જણાવ્‍યું.

કોલમ્‍બિયન સ્‍ટારને હોસ્‍ટ કરવા માટે આસામ પણ દોડમાં છે; મુખ્‍યમંત્રી હિમંતા બિસ્‍વા શર્માએ આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તેમનું રાજ્‍ય આવતા વર્ષે શકીરાને ગુવાહાટી, ડિબ્રુગઢ અને સિલચર લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

હિપ્‍સ ડોન્‍ટ લાઈ, વ્‍હેનેવર, વ્‍હેયર, અને વાકા વાકા જેવા વૈશ્વિક હિટ ગીતો માટે જાણીતી ૪૭ વર્ષીય ગાયિકા ભારતમાં મજબૂત ચાહક ફોલોઇંગ ધરાવે છે. તેણીએ ચાર ગ્રેમી એવોર્ડ અને ૧૫ લેટિન ગ્રેમી એવોર્ડ જીત્‍યા છે અને વૈશ્વિક સ્‍તરે સ્‍પેનિશ ભાષાના સંગીતને લોકપ્રિય બનાવવાનો શ્રેય તેમને આપવામાં આવે છે. નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમ ખાતે કોલ્‍ડપ્‍લેના સફળ કાર્યક્રમે અમદાવાદને આંતરરાષ્ટ્રીય સંગીત ઉત્‍સવો માટે ઉભરતા સ્‍થળ તરીકે સ્‍થાપિત કર્યું, અને હવે શહેર વિશ્વના સૌથી મોટા પોપ સ્‍ટાર્સમાંના એક સાથે તે સિદ્ધિનું પુનરાવર્તન કરવાની આશા રાખે છે

Related posts

વેબ સિરીઝ તાંડવ રિલીઝ થતા જ વિવાદમાં

Ahmedabad Samay

બોલીવુડ ઉપર આવ વખતે મરાઠી ફિલ્‍મોનો ખતરો.

Ahmedabad Samay

રાજ કપૂરની આ હરકતથી દિગ્ગજ અભિનેત્રીનો પારો ચડ્યો હતો, ઉઠાવ્યું હતું ચોંકાવનારું પગલું…

Ahmedabad Samay

Sidharth Kiara Marriage: પોતાના ‘દુલ્હા’ને જોયા પછી કિયારાની આ પહેલી પ્રતિક્રિયા હતી, સિદ્ધાર્થ દોડતો આવ્યો અને પત્નીને ગળે લગાવી!

Ahmedabad Samay

શું ગોવિંદા તેની ડૂબતી કારકિર્દી માટે ખરેખર જવાબદાર હતાં.. આ અભિનેતા આ સત્ય જણાવ્યું…!

Ahmedabad Samay

રોકી અને રાની ફિલ્મમાં સેન્સર બોર્ડે કેટલાક ડાયલોગ્સ પર ફેરવી કાતર, 28મી એ સિનેમા ઘરોમાં આવશે ફિલ્મ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો