January 17, 2026
દુનિયાદેશ

બાંગ્લાદેશમાં હિન્દૂ યુવાન પર થયેલા અત્યાચારની આગ દિલ્હી થી કોલકત્તા અને સમગ્ર ભારતમાં ભડકી

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અમાનવીય અત્યાચારોનો પડઘો હવે ભારતના રસ્તાઓ પર ગાજી રહ્યો છે. ૨૫ વર્ષીય હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસને નિંદાના ખોટા આરોપસર જીવતો સળગાવી દેવાની ઘટનાએ ભારતીય જનતાના હૃદયમાં ભારે આક્રોશ ભરી દીધો છે.

મંગળવારે દેશની રાજધાની દિલ્હી અને પશ્ચિમ બંગાળના કોલકાતામાં હજારોની સંખ્યામાં હિન્દુ સંગઠનોના કાર્યકરોએ ‘બાંગ્લાદેશ હાઈ કમિશન’ તરફ કૂચ કરી હતી. દિલ્હીના હાઈ-સિક્યુરિટી ઝોનમાં સ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે ત્રણ સ્તરના બેરિકેડ્સ લગાવવા પડ્યા હતા અને ૧૫,૦૦૦થી વધુ જવાનો તૈનાત કરવા પડ્યા હતા. “હિન્દુઓના લોહીના દરેક ટીપાનો હિસાબ ચૂકવવો પડશે” તેવા સૂત્રોચ્ચાર સાથે દિલ્હીના આકાશમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો.

કોલકાતામાં પણ સ્થિતિ સ્ફોટક રહી હતી, જ્યાં ‘હિન્દુ હુંકાર પદયાત્રા’ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે સામસામે જંગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. બેકરબાગન વિસ્તારમાં પોલીસે બેરિકેડ તોડવાનો પ્રયાસ કરી રહેલા ભીડ પર લાઠીચાર્જ કર્યો હતો, જેમાં અનેક કાર્યકરો અને પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસનું પુતળું બાળીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ પણ આ મામલે ૨૬ ડિસેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપતા ચેતવણી આપી છે કે જો અત્યાચાર બંધ નહીં થાય તો સમગ્ર બંગાળમાં આંદોલન વધુ ઉગ્ર બનશે.

આ ઘટના બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં પણ ભારે ખટાશ આવી ગઈ છે. ભારત સરકારે આ મુદ્દે કડક વિરોધ નોંધાવ્યો છે અને બાંગ્લાદેશમાં વિઝા ઓફિસો કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દીપુ દાસની હત્યાના દ્રશ્યોએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, જેના કારણે યુનુસ સરકાર પર લઘુમતીઓની સુરક્ષા માટે ભારે દબાણ વધી રહ્યું છે. દિલ્હી અને કોલકાતાના રસ્તાઓ પર થયેલો આ વિરોધ એ સ્પષ્ટ સંકેત છે કે હવે ભારતીય જનતા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને મૂંગા મોઢે સહન કરવા તૈયાર નથી.

Related posts

પ્રભાસની ‘રાધે શ્યામ’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું.

Ahmedabad Samay

અઝરબૈજાનથી તુર્કી જઈ રહેલું એક તુર્કી C-130 લશ્કરી કાર્ગો વિમાન જ્યોર્જિયા-અઝરબૈજાન સરહદ પર ક્રેશ થયું

Ahmedabad Samay

નોસ્ટ્રાડેમસના લખાણો મુજબ, જૂન ૨૦૨૬માં ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળવાની સંભાવના,માનવ સભ્યતા પર જોખમ વધશે

Ahmedabad Samay

ભારતીય બોક્સર અમિત પંઘલ નંબર વન બોક્સર તરીકે ઓલિમ્પિકમાં ભાગ લેશે.

Ahmedabad Samay

હિન્દી ચીની ભાઇ-ભાઇ, ટ્રમ્પ તેરીફ વોરમાં ચીનને થશે ફાયદો, ચાઇનીઝ વિડિઓ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ TikTok ની વેબસાઇટ 5 વર્ષ પછી ભારતમાં ફરી શરૂ થઈ શકે છે અનેક એપ્લિકેશન થશે અનબ્લોક

Ahmedabad Samay

એરટેલ દ્વારા પ્રિપેઇડ પ્લાન્સ ૨૫ ટકા જેટલા મોંઘા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો