June 24, 2026
દુનિયાદેશ

બાંગ્લાદેશમાં હિન્દૂ યુવાન પર થયેલા અત્યાચારની આગ દિલ્હી થી કોલકત્તા અને સમગ્ર ભારતમાં ભડકી

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અમાનવીય અત્યાચારોનો પડઘો હવે ભારતના રસ્તાઓ પર ગાજી રહ્યો છે. ૨૫ વર્ષીય હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસને નિંદાના ખોટા આરોપસર જીવતો સળગાવી દેવાની ઘટનાએ ભારતીય જનતાના હૃદયમાં ભારે આક્રોશ ભરી દીધો છે.

મંગળવારે દેશની રાજધાની દિલ્હી અને પશ્ચિમ બંગાળના કોલકાતામાં હજારોની સંખ્યામાં હિન્દુ સંગઠનોના કાર્યકરોએ ‘બાંગ્લાદેશ હાઈ કમિશન’ તરફ કૂચ કરી હતી. દિલ્હીના હાઈ-સિક્યુરિટી ઝોનમાં સ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે ત્રણ સ્તરના બેરિકેડ્સ લગાવવા પડ્યા હતા અને ૧૫,૦૦૦થી વધુ જવાનો તૈનાત કરવા પડ્યા હતા. “હિન્દુઓના લોહીના દરેક ટીપાનો હિસાબ ચૂકવવો પડશે” તેવા સૂત્રોચ્ચાર સાથે દિલ્હીના આકાશમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો.

કોલકાતામાં પણ સ્થિતિ સ્ફોટક રહી હતી, જ્યાં ‘હિન્દુ હુંકાર પદયાત્રા’ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે સામસામે જંગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. બેકરબાગન વિસ્તારમાં પોલીસે બેરિકેડ તોડવાનો પ્રયાસ કરી રહેલા ભીડ પર લાઠીચાર્જ કર્યો હતો, જેમાં અનેક કાર્યકરો અને પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસનું પુતળું બાળીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ પણ આ મામલે ૨૬ ડિસેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપતા ચેતવણી આપી છે કે જો અત્યાચાર બંધ નહીં થાય તો સમગ્ર બંગાળમાં આંદોલન વધુ ઉગ્ર બનશે.

આ ઘટના બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં પણ ભારે ખટાશ આવી ગઈ છે. ભારત સરકારે આ મુદ્દે કડક વિરોધ નોંધાવ્યો છે અને બાંગ્લાદેશમાં વિઝા ઓફિસો કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દીપુ દાસની હત્યાના દ્રશ્યોએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, જેના કારણે યુનુસ સરકાર પર લઘુમતીઓની સુરક્ષા માટે ભારે દબાણ વધી રહ્યું છે. દિલ્હી અને કોલકાતાના રસ્તાઓ પર થયેલો આ વિરોધ એ સ્પષ્ટ સંકેત છે કે હવે ભારતીય જનતા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને મૂંગા મોઢે સહન કરવા તૈયાર નથી.

Related posts

કોરોના વચ્ચે ” એમ્ફાન ” વાવાઝોડા નો ખતરો

Ahmedabad Samay

બંગાળ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો વધ્યો, દીદીની ઊંઘ ઉડી

Ahmedabad Samay

રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમા પોતાની તમામ ચૂંટણી સભાઓ રદ્‌ કરી

Ahmedabad Samay

પાકિસ્‍તાને કાબુલ, કંદહાર અને પક્‍તિયા પ્રાંતોમાં હવાઈ હુમલા કર્યા. પાકિસ્‍તાને ઓપરેશન ગઝબ લિલ-હક નામ આપ્‍યું અને ખુલ્‍લું યુદ્ધ જાહેર કર્યું

Ahmedabad Samay

સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ એટલે કે NSAB નું પુનર્ગઠન કર્યું

Ahmedabad Samay

અફઘાનિસ્તાનમાં મહિલાઓની દયનિય પરિસ્થિતિ, ત્વચા સ્પર્શના કારણે મહિલાઓને કાટમાળ માંથી કાઢવામાં આવતી નથી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો