૨૭ માર્ચે કરાયેલા મોરેટોરિયમને હવે ૩ મહિના માટે વધારવામાં આવ્યું છે. ત્રણ મહિના માટે આપવામાં આવતી તમામ રાહત બીજા ત્રણ મહિના માટે વધારી દેવામાં આવી છે. એટલે કે, મોરેટોરિયમ ૧ જૂનથી ૩૧ ઓગસ્ટ સુધી વધારવામાં આવ્યું છે, આપને લોનના હપ્તાને ચુકવવા માટે વધુ ત્રણ મહિના મળવાનો વિકલ્પ મળ્યો છે. આ ઉપરાંત, એસઆઈડીબીઆઈને વધારાની રાહતની પણ જાહેરાત કરવામાં આવી હતી. ૯૦ દિવસની ટર્મ લોન માટે ૯૦ દિવસ એટલે કે ૩ મહિનાનાનું વધુ એકસટેન્શન આપવામાં આવ્યું છે. આ એમએસએમઇ ક્ષેત્રને વધારાનો ટેકો પૂરો પાડશે.
માર્ચની શરૂઆતમાં પણ, આરબીઆઈએ બેંકો અને નાણાકીય સંસ્થાઓને ત્રણ મહિના માટે કોરોનાને કારણે મુદત લોન હપતો મુલતવી રાખવાની મંજૂરી આપી હતી. કોરોનાને કારણે, નાણાકીય નીતિ સમીક્ષા શેડ્યૂલ પહેલાં સબમિટ કરવામાં આવી હતી. આરબીઆઈના ગવર્નરે કહ્યું કે, ટર્મ લોનના મામલે બેંકોને ગ્રાહકોની ઇએમઆઈ રિકવરી ત્રણ મહિના માટે મુલતવી રાખવામાં આવી છે. બેંકોને લોન ભરપાઈ નહીં કરવા માટે તેને એનપીએ ખાતામાં રાખવાની મંજૂરી આપવામાં આવશે.
