February 6, 2026
ગુજરાતરાજકારણ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું ૯૪ વર્ષની વયે નિધન થયું છે. તેમણે ગાંધીનગરના નિવાસસ્થાન ખાતે આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા. માધવસિંહ સોલંકીનો જન્મ ૩૦ જુલાઈ ૧૯૨૭ના રોજ થયો હતો. તેઓ ગુજરાતના સાતમાં મુખ્યમંત્રી હતા.

માધવસિંહ સોલંકીની રસપ્રદ વાતો

માધવસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષના નેતા અને ભારતના ભૂતપૂર્વ વિદેશ મંત્રી રહી ચૂકયા છે. તેઓ ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રીનું પદ સંભાળેલું હતું. આ સાથે જ તેઓ ‘ખામ થિયરી’ માટે જાણીતા થયા, જેના કારણે તેઓ ૧૯૮૦માં ગુજરાતમાં સત્તા પર આવ્યા હતા. માધવસિંહ સોલંકીએ એમના કાર્યકાળ દરમિયાન દેશભરની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના લાગુ કરાવેલી હતી. જેના દ્વારા સેંકડો ગરીબ બાળકોને સ્કૂલમાં પોષણયુકત ભોજન મળી રહ્યું છે.

માધવસિંહ સોલંકી ચાર વખત એટલે કે ૧૯૭૩-૧૯૭૫-૧૯૮૨-૧૯૮૫માં ગુજરાતના મુખ્ય મંત્રી પદે રહ્યા હતા. ગુજરાત વિધાનસભામાં ૧૮૨માંથી ૧૪૯ બેઠકો જીતવાનો એમનો રેકોર્ડ નરેન્દ્ર મોદી પણ તોડી શકયા નથી.

માધવસિંહ સોલંકી “ખામ થિયરી” માટે જાણીતા થયા હતા, જે વડે તેઓ ૧૯૮૦માં ગુજરાતમાં સત્તામાં આવ્યા હતા. ગુજરાતની રાજનીતિ અને જાતીગત સમીકરણો સાથે તેઓ સત્તામાં આવ્યા હતા. ‘ખામ’ એટલે કે ક્ષત્રિય, હરિજન, આદીવાસી અને મુસ્લિમ ૧૯૮૦ના દાયકામાં તેમણે આ ચારેય વર્ગોને એક સાથે જોડયા અને પ્રચંડ બહુમતીથી સત્તા મેળવી હતી. તેઓ વ્યવસાયે વકિલ હતા.

કુલ ૧૮૨ સભ્યોની ગુજરાત વિધાનસભામાં આજ સુધી કુલ સૌથી વધુ ૧૪૯ બેઠક મેળવવાનો વિક્રમ નોંધાવનાર કોંગ્રેસીનેતા માધવસિંહ સોલંકીને પક્ષની યાદવાસ્થળીએ ૧૯૮૫માં ઘરભેગા કર્યા.

Related posts

નાયબ મુખ્યમંત્રી ના દાવા પડ્યા ખોટા,અમદાવાદ સમય ની જાચ પડતાલમાં પકડાયું સરકારનું જુઠાણું

Ahmedabad Samay

ઇન્દ્રપુરી વોર્ડમાં ડોર ટુ ડોર ૧૫૦૦ જેટલા પમ્પ્લેટ્સનું વિતરણ કરાયું

Ahmedabad Samay

ubvp દ્વારા પ્રીમિયર લીગ સીઝન-૧, ૦૩ માર્ચે થશે શરૂ

Ahmedabad Samay

પોરબંદરના શ્રીશારદા વિદ્યામંદિર હાઈસ્કૂલ સીમર ખાતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરી અંધશ્રદ્ધા નિર્મૂલન અને આરોગ્ય વિશે લોકજાગૃતિ શેરી નાટક યોજાયું

Ahmedabad Samay

સૌરાષ્ટ્રમાંથી ૪૦૦થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

Ahmedabad Samay

પોલો ફોરેસ્ટ ફરવા જતા પહેલા એકવાર આ સમાચાર વાંચી લેજો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો