February 5, 2026
ગુજરાતરાજકારણ

પટેલ સરકારમાં ૧૨ જેટલાં નવા ચહેરાઓનો પ્રધાનમંડળમાં સમાવેશ થઇ શકે

નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્રભાઈ  પટેલે સોમવારના રોજ શપથવિધિ લીધા બાદ હવે તેઓ નવાં મંત્રીમંડળની રચના કરશે. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર ભાઈ પટેલએ શપથ ગ્રહણ કર્યા બાદ હવે નવી સરકારના પ્રધાનમંડળની રચનાની કવાયત હાથ ધરાઇ છે. હવે કાલે  મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ  પટેલના પ્રધાનમંડળની શપથવિધિ યોજાશે.

રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આચાર્ય તમામ પ્રધાનોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. શપથગ્રહણ બાદ કેબિનેટની બેઠક મળશે. જેમાં નવા પ્રધાનોને ખાતાની જવાબદારી સોંપવામાં આવશે. ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા સૂચના આપવામાં આવી છે.

રાતથી સંભવિત પ્રધાનોને કોલ કરવામાં આવશે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવા પ્રધાનમંડળમાં રૂપાણી સરકારના 10 કરતા વધુ પ્રધાનોની બાદબાકી થવાનું મનાઇ રહ્યું છે. જ્યારે 12 જેટલાં નવા ચહેરાઓનો પ્રધાનમંડળમાં સમાવેશ થઇ શકે છે. ભૂપેન્દ્ર યાદવ તેમજ બી.એલ.સંતોષ કેન્દ્રીય મોવડીમંડળ સાથે સતત સંપર્કમાં રહી નવા પ્રધાનોની યાદી તૈયાર કરી છે

Related posts

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગ્રાહકની ફરિયાદ બાદ પ્રહલાદનગરનું મેકડોનાલ્ડ્સ આઉટલેટ નિયમના ઉલ્લંઘન બાદ સીલ કરી દેવામાં આવ્યું

Ahmedabad Samay

રથયાત્રા દરમિયાન સમગ્ર રૂટ પર કર્ફ્યૂ રહેશે:(પોલીસ કમિશ્નર) સંજય શ્રીવાસ્તવ

Ahmedabad Samay

હવે થોડી છુટ છાટ સાથે ધમધમસે ગુજરાત

Ahmedabad Samay

રોયલ રાજપુત સંગઠન (મહિલાએ ઈકાંઈ)અને હિયા ફાઉન્ડેશન દ્વારા બ્લેન્કેટ વિતરણ કરાયું

Ahmedabad Samay

અમદાવાદમાં એરેના એનિમેશન મણિનગર ,વસ્ત્રાપુર, ન્યુ રાણીપ શાખા દ્વારા “ક્રિએટિવ હન્ટ ૨૦૨૩”સ્ટુડન્ટ વર્ક નું આયોજન કરાયું

Ahmedabad Samay

જાહેર જનતાના મદદ માટે ગુજરાતના તમામ જિલ્લાના S.P. ના મોબાઈલ નંબર જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો