June 24, 2026
ગુજરાત

ગુજરાત સરકારે જાહેરનામુ પાડ્યુ બહાર, દિવાળી દરમિયાન રાત્રે ૦૮ થી ૧૦ કલાકે

ફટાકડા ફોડવા અંગે ગુજરાત સરકારે જાહેરનામુ બહાર પાડ્યુ , દિવાળી દરમિયાન રાત્રે ૦૮ થી ૧૦ કલાકે, ક્રિસમસ અને નુતન વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે ૧૧.૫૫ કલાકથી ૧૨.૩૦ સુધી જ ફોડી શકાશે

ગૃહ ખાતાએ બહાર પાડેલા જાહેરનામા અનુસાર જાહેરમાં ફટાકડા ફોડી શકાશે નહીં. એટલું જ નહીં સરકારે ગ્રીન ફટાકડા ફોડવા મંજૂરી આપી છે.

જાહેરનામા અનુસાર વિદેશથી ફટાકડા આયાત કરી શકાશે નહીં.

સુપ્રિમ કોર્ટે ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમીનેશન ઉત્પન્ન કરે છે તેના ઉત્પાદન અને વેંચાણની પરવાનગી આપવામાં આવી છે. આ સિવાયના તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેંચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી તથા પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતા ફટાકડા પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મૂકયો છે.

ફટાકડાનું વેંચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે અને તેઓ પરવાનગી આપેલ ફટાકડાનું વેંચાણ કરી શકશે. આ ઉપરાંત ઇ-કોમર્સ વેબસાઇટને  ઓનલાઇન તમામ પ્રકારના વેંચાણ ઉપર પ્રતિબંધ રહેશે.

આ ઉપરાંત હંગામી ફટાકડા લાયસન્સ મેળવેલ ન હોય તેવા કોઇપણ વેન્ડર, લારી-ગલ્લા, ટેમ્પરરી શેડ બાંધીને ફટાકડાનું વેંચાણ કરે છે તેને અટકાવવા આવા વેપારીઓ સામે કાયદા હેઠળ પોલીસે કાર્યવાહી કરવાની રહેશે.

Related posts

કોંગ્રેસ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજી અંગે સભાનતાપૂર્વક કરેલ ટીકા ટીપ્પણીને વખોડતા અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ભાર્ગવ વિસ્તારમાં એન.સી.પી.ની તૈયારી પુરજોશમાં

Ahmedabad Samay

સુરત: નિવૃત્ત મામલતદારના ઘરે સાફ-સફાઈ કરવા આવેલી બે મહિલા ઘરઘાટીએ પહેલા જ દિવસે હાથ સાફ કર્યો, 7.80 લાખના દાગીના લઈ ફરાર થઈ

Ahmedabad Samay

અમદાવાદ – વેકેશનમાં મેટ્રોને થઈ અધધ આવક, એક જ મહિનામાં 20 લાખ મુસાફરો મળ્યા

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ મા સફળતાપૂર્વક પાચ વર્ષ પૂર્ણ કર્યા બદલ સંમેલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

છત્રપતિ શિવાજી મહારાજ અખિલ ભારતના અવિજીત હીરો છે: (૧૦૮) ભવાનીસિંહ શેખાવત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો