February 5, 2026
ગુજરાત

જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષપદે રોડ સેફટી કમિટિની બેઠક યોજાઈ

જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષપદે રોડ સેફટી કમિટિની બેઠક યોજાઈ

ભરૂચ જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ નિવારી, અમૂલ્ય માનવ જિંદગી બચાવી શકાય તેવું લાંબા અને ટૂંકા ગાળાનું આયોજન કરવા ભરૂચ કલેકટર શ્રી તુષાર સુમેરાએ જણાવ્યુ હતું.
જિલ્લા કલેકટર કચેરી ખાતે આયોજિત ‘ડિસ્ટ્રકટ રોડ સેફટી કમિટિ’ ની બેઠકને સંબોધતા કલેકટરશ્રીએ જિલ્લાના નેશનલ હાઈ-વે, સ્ટેટ હાઈ-વે અને પંચાયત હસ્તકના ગ્રામિણ માર્ગ ઉપર ટ્રાફિક નિયમના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવાનો અનુરોધ કર્યો હતો.
જિલ્લામાં કાર્યરત જંગલ તથા પોલીસ વિભાગની ચેકપોસ્ટને વધુ અસરકારક બનાવવા સાથે સાથે લાયસન્સની સ્થિતિ, વાહનોના વિમા અને પી.યુ.સી. જેવા મુદ્દે પણ કલેકટરશ્રીએ વિશેષ માર્ગદર્શન આપ્યુ હતુ.
 જિલ્લાના ઝઘડિયા રોડ પર પાર્કિંગની વ્યવસ્થાને યોગ્ય કરવા તથા હાઈ-વે ઉપર સફળ રહેલા ‘રોલર ક્રેસ બેરીયર’નો વ્યાપ વધારવાનો અનુરોધ કરતા જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાએ અકસ્માત ઝોન, બ્લાઈન્ડ સ્પોટ, બમ્પ, સાઈન બોર્ડ, ટ્રાફિક અવેરનેસની બાબતોનો યોગ્ય પ્રચાર-પ્રસાર થાય તે અંગે જણાવ્યું હતું.
 જિલ્લા કલેકટર કચેરી ખાતે વી સી રૂમમાં યોજાયેલી આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી એન આર ધાધલ, સહિત કમિટીના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

નવા ૩૧ વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઉમેરો કરવામાં આવ્યો

Ahmedabad Samay

ATS એ નરોડા ખાતે ડુપ્લીકેટ વિઝા બનાવવાનું કૌભાંડ ઝડપ્યું

Ahmedabad Samay

લવ જેહાદ કાયદો ગુજરાતમાં આવશે: સી.એમ. રૂપાણી

Ahmedabad Samay

અમરેલી શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ માત્ર સીનસપાટા કરવા અને નાના માણસોને નિશાન બનાવવા માટે કરવામાં આવી હોય તેવુ લાગી રહ્યુ છે.

Ahmedabad Samay

વિશ્વ હિંદુ પરિષદના કર્ણાવતી પ્રદેશના જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા 20.176 કિલો ચાંદી અયોધ્યા તીર્થ ક્ષેત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

પોલો ફોરેસ્ટ ફરવા જતા પહેલા એકવાર આ સમાચાર વાંચી લેજો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો