May 9, 2026
ગુજરાત

ટ્રાફિક પોલીસની સમય સુચકતાએ એક વ્યક્તિનો જીવ બચાવ્યો

કાલુપુર ચાર રસ્તા પાસે આવેલ ટ્રાફિક પોલીસની સુંદર કામગીરીએ એક વ્યક્તિને નવ જીવન આપ્યું,બાબુભાઈ આર ગલસર ઇનચાર્જ આચાર્યશ્રી નવસંસ્કાર હાઈસ્કૂલ જુનાવાડજ તા -૦૬/૧૦/૨૦૨૧ ના રોજ બપોરના ૩:૩૦ થી ૪૮૦૦ ના સામાન લેવા કાલુપુર આવેલ ત્યારે ચાલુ એકટીવા પર તેમને છાતીમાં દુ : ખાવો થયેલ અચાનક હાર્ટ એટેક આવતા કાલુપુર સર્કલ પાસે પોહચ્યા અને ત્યાં ફરજ બજાવી રહેલ પોલીસ કર્મી ઓને દુખાવા બાબતે જાણ કરી.

ત્યાં ફરજ પર હાજર પોલીસ કર્મચારીશ્રીઓએ સમય સુર્તકતા વાપરી તરત જ ૧૦૮ ને જાણ કરી અને બાબુભાઇના  પરીવાર જનોને પણ જાણ કરી પાણી આપ્યું અને હવા નાખી વોમીટ થયેલ તેમ છતાં કોઈપણ જાતની સુગ રાખ્યા વગર તેમની પાસે ઉભા રહ્યા અને એમ્બબ્લન્સ આવે ત્યાં સુુુધી મનોબળ આપ્યું અને ૧૦૮ માં એપીક હોસ્પીટલ એસ જી હાઇવે સારવાર માટે પોહચ્યાડયા હતા.

ત્યારે બાબુભાઇનું  ઓપરેશન થયું  અને પોલીસની મદદથી સમય સર સારવાર મળી જેના લીધે તેમનો જીવ બચી ગયો હતો સારૂ. પોલીસની આ સતર્કતા અને ઉમદા કામગીરીથી એક વ્યક્તિનુ જીવ બચી ગયો, જીવ બચ્યા બાદ આચાર્યશ્રી બાબુભાઇ એ પોલીસ કર્મીઓના કામગીરીને બિરદાવતા પોલીસ કર્મીઓનું સન્માન કર્યું અને આભાર વ્યક્ત કર્યો હતો.

પોલીસ કર્મીઓ ટ્રાફિક નિયંત્રણ કરતા કરતા આ એક જીવ બચાવવાનો સુંદર કામગીરી અને માનવતાનો ઉત્તમ ઉદાહરણ આપ્યો છે, અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી દિલથી સલામ છે આવા પોલીસ કર્મીઓને.

Related posts

કિશન ભરવાડ હત્યા કેસમાં હવે FIRમાં 5 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક અને UAPAની કલમો ઉમેરવામાં આવશે.

Ahmedabad Samay

શ્રાવણ માસમાં ઇન્ટરનેટથી શિવજીની પૂજા કરશે હિન્દુ સેના

Ahmedabad Samay

ધર્માંતરણ અને હવાલા કાંડમાં બે આરોપીની પૂછપરછ વડોદરાનામાં સલાઉદ્દીન શેખનું જમ્મુ કાશ્મીર કનેક્શન ખુલ્યું

Ahmedabad Samay

અમદાવાદમાં ઓમિક્રોનના કુલ 7 કેસ નોંધાયા

Ahmedabad Samay

અમદાવાદમાં ભરતી મેળો, જિલ્લાની અગ્રગણ્ય કંપનીઓમાં 438 જેટલા વિધાર્થીઓની પ્રાથમિક પસંદગી

Ahmedabad Samay

અમીન મારવાડી અને સમીર પેંદીએ રિયલ એસ્‍ટેટના ધંધાર્થીને ફાયરિંગ કરી ડરાવીને ૦૫ લાખની ખંડણી માંગતો વીડિયો વાયરલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો