August 8, 2026
ગુજરાત

ગુજરાત સરકારે જાહેરનામુ પાડ્યુ બહાર, દિવાળી દરમિયાન રાત્રે ૦૮ થી ૧૦ કલાકે

ફટાકડા ફોડવા અંગે ગુજરાત સરકારે જાહેરનામુ બહાર પાડ્યુ , દિવાળી દરમિયાન રાત્રે ૦૮ થી ૧૦ કલાકે, ક્રિસમસ અને નુતન વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે ૧૧.૫૫ કલાકથી ૧૨.૩૦ સુધી જ ફોડી શકાશે

ગૃહ ખાતાએ બહાર પાડેલા જાહેરનામા અનુસાર જાહેરમાં ફટાકડા ફોડી શકાશે નહીં. એટલું જ નહીં સરકારે ગ્રીન ફટાકડા ફોડવા મંજૂરી આપી છે.

જાહેરનામા અનુસાર વિદેશથી ફટાકડા આયાત કરી શકાશે નહીં.

સુપ્રિમ કોર્ટે ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમીનેશન ઉત્પન્ન કરે છે તેના ઉત્પાદન અને વેંચાણની પરવાનગી આપવામાં આવી છે. આ સિવાયના તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેંચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી તથા પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતા ફટાકડા પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મૂકયો છે.

ફટાકડાનું વેંચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે અને તેઓ પરવાનગી આપેલ ફટાકડાનું વેંચાણ કરી શકશે. આ ઉપરાંત ઇ-કોમર્સ વેબસાઇટને  ઓનલાઇન તમામ પ્રકારના વેંચાણ ઉપર પ્રતિબંધ રહેશે.

આ ઉપરાંત હંગામી ફટાકડા લાયસન્સ મેળવેલ ન હોય તેવા કોઇપણ વેન્ડર, લારી-ગલ્લા, ટેમ્પરરી શેડ બાંધીને ફટાકડાનું વેંચાણ કરે છે તેને અટકાવવા આવા વેપારીઓ સામે કાયદા હેઠળ પોલીસે કાર્યવાહી કરવાની રહેશે.

Related posts

કાલથી સમગ્ર ગુજરાત રાજયમાં ધો.૧૦-૧૨ ની પરીક્ષાનો પ્રારંભ

Ahmedabad Samay

લોકસભા ચૂંટણી પહેલા TMCને ઝટકો લાગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ છોડ્યા બાદ તાપસ રોય બુધવારે ભાજપમાં જોડાયા

Ahmedabad Samay

આજે ગુજરાતના વીર પુરુષ શ્રી ડી.જી.વણઝારા સાહેબનો જન્મ દિન છે

Ahmedabad Samay

અમદાવાદ: શાળાને 99 વર્ષ માટે કાયમી લીઝ પર જોઈએ છે રમતનું મેદાન

Ahmedabad Samay

લોકડાઉન હીરો: દદુ સેવા ટ્રસ્ટ

Ahmedabad Samay

વિદ્યાર્થીલક્ષી મહત્વનો નિર્ણય,પાઠ્યપુસ્તકો પલળી ગયા હોય કે નુકસાન પામ્યા હોય તો,વિનામૂલ્યે ત્વરિત નવા પાઠ્યપુસ્તકો પૂરા પાડવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો