June 24, 2026
દેશ

કર્ણાટકમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ નોંધાયા

કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનની ચિંતાને કારણે ભારત સરકાર પહેલા કરતા વધુ સતર્ક બની છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ નોંધાયા છે. આ બંને કેસ કર્ણાટકના છે. અત્યાર સુધીમાં લગભગ ૨૯ દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના ૩૭૩ કેસ નોંધાયા છે.

સાથે જ દેશના કોરોના કેસ વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે કેરળ અને મહારાષ્ટ્ર એવા બે રાજ્યો છે જ્યાં કોરોનાના ૧૦ હજારથી વધુ એક્ટિવ કેસ છે. દેશના ૫૫ ટકા કેસ આ બે રાજ્યોમાં નોંધાયા છે.

દેશમાં હાલમાં કોવિડના ૯૯,૭૬૩ સક્રિય કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોવિડના ૯,૭૬૫ નવા કેસ નોંધાયા છે. રસીકરણ વિશે માહિતી આપતા લવ અગ્રવાલે કહ્યું કે અત્યાર સુધીમાં અમે દેશમાં લોકોને કોવિડ રસીના ૧૨૫ કરોડથી વધુ ડોઝ આપ્યા છે. ૮૪.૩ ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે અને ૪૫.૯૨ ટકા લોકોએ રસીના બંને ડોઝ મેળવ્યા છે.

સંયુક્ત આરોગ્ય સચિવે કહ્યું કે વિશ્વ હજી પણ કોવિડના કેસોમાં તેજી જોઈ રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં વિશ્વના ૭૦ ટકા કેસ યુરોપમાંથી આવ્યા છે. એક સપ્તાહમાં યુરોપમાં ૨.૭૫ લાખ કોવિડ કેસ નોંધાયા છે અને યુરોપમાં એક સપ્તાહમાં ૨૯,૦૦૦થી વધુ લોકોનાં મોત નોંધાયા છે

New up 01

 

Related posts

સી.એમ યોગી અદિત્યનાથ ને બોંબ થી ઉડાવી દેવાની ધમકી

Ahmedabad Samay

ભારત-ઓસી. વન-ડે, ટી૨૦ની તમામ ટિકિટનું કોરોનાના ભય છતાં ૩૦ મિનિટની અંદર ટિકિટોનું વેચાણ

Ahmedabad Samay

હવે મોતિયાના દરેક દર્દીને સર્જરી કરાવવાની જરૂર નહીં પડે

Ahmedabad Samay

ઈન્‍ડિગો ફલાઇટ રદ થવાથી દેશભરમાં અંધાધૂંધી ફેલાઈ, ભારતીય રેલવેએ કમાન સંભાળી અને ૩૭ ટ્રેનોમાં વધારાના ૧૧૬ કોચ ઉમેર્યા

Ahmedabad Samay

ટીવી ઈન્ડસ્ટ્રીના અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીનું 46 વર્ષની વયે નિધન

Ahmedabad Samay

હવે સ્વિટ્ઝરલેન્ડ જવાની જરૂર નહીં, ભારતમાં દાવોસ, સ્વિટ્ઝરલેન્ડ જેવા સ્નો સિટી બનાવવાની યોજના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો