May 9, 2026
ગુજરાત

ઓમિક્રોનની હવે ગુજરાતમાં એન્ટ્રી, તંત્રમાં ખળભળાટ મચી જવા પામી. ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા દર્દીને કોરોના પોઝીટીવ જાહેર થયો

સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી રહેલો કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનએ ભારત બાદ હવે ગુજરાતમાં પણ એન્ટ્રી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા દર્દીને કોરોના પોઝીટીવ જાહેર થયો છે અને તેને હાલ આઈસોલેશન વોર્ડમા દાખલ કરવામાં આવેલ છે. ઘાતક ગણાતા આ નવા વેરીયન્ટનો કેસ જામનગરમાં નોંધાતા જ તંત્ર દોડતુ થઈ ગયુ છે.

દેશભરમાં કોરોના વાયરસના નવા વેરીયન્ટને લઈને હાઈએલર્ટ આપવામાં આવ્યુ છે ત્યારે જામનગરથી પહેલો કેસ આવતા ચિંતાની લાગણી ફેલાઈ છે. ઝિમ્બાબ્વેથી આવેલ દર્દીનો રીપોર્ટ પૂણે મોકલવામાં આવ્યો હતો જે બાદ સામે આવ્યુ કે આ દર્દી ઓમિક્રોન વેરીયન્ટથી સંક્રમિત છે. આ દર્દીમાં નવો વેરીયન્ટ જોવા મળતા હવે ગુજરાતમાં હવે સતર્કતા રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે. અત્રે નોંધનીય છે કે આ દર્દીને અગાઉ શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા તેથી સેમ્પલ પૂણે મોકલવામાં આવ્યા હતા. હવે તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આફ્રિકાથી ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવતા દર્દીના રીપોર્ટ ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે.  જામનગરમાં પ્રથમ કેસ નોંધાતા સાવચેતીના તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. રાજ્યનુ આરોગ્ય વિભાગ પણ સતર્ક બની ગયુ છે.

આ દર્દીને સરકારી જી.જી. હોસ્પીટલમાં અલાયદા વોર્ડમાં દાખલ કરવામાં આવેલ છે અને આ દર્દીની ઉંમર ૭૨ વર્ષ હોવાનું જણાય છે. આ દર્દી વાયા દુબઈ થઈને જામનગર પહોંચ્યા હોવાથી તેમની સાથેના લોકોનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

Related posts

અમદાવાદ: આખરે NHAIએ બંધ કરી જ દીધો વિશાલા પીરાણા બ્રિજ

Ahmedabad Samay

ટ્રાફિક પોલીસ BRTS કોરિડોરમાં ચુસ્ત બતાવવા કરતા જાહેર માર્ગ પર ધ્યાન આપે તો BRTS કોરિડોરમાં જવાની જરૂર ન પડે

Ahmedabad Samay

શહીદ-એ-આઝમ વીર ભગતસિંહ,સુખદેવ,રાજગુરુ ના શહીદ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને  ભગતસિંહ ને ભારત રત્ન આપવા માંગ કરવામાં આવી

Ahmedabad Samay

તિસ્તા સેતલવાડ બાદ પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારને ગુજરાત રમખાણોના કેસમાં મળ્યા જામીન

Ahmedabad Samay

અમદાવાદ સમય પર શહીદ દિવસ પર જાણો વીર શહીદ ગોપાલસિંહ ભદૌરિયાની વીરગાથા

Ahmedabad Samay

મેઘાણીનગરમાં સાસુ અને જેઠે મળી વહુને બળજબરીથી ફીનાઇલ પીવળાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો