May 9, 2026
દેશ

કર્ણાટકમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ નોંધાયા

કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનની ચિંતાને કારણે ભારત સરકાર પહેલા કરતા વધુ સતર્ક બની છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ નોંધાયા છે. આ બંને કેસ કર્ણાટકના છે. અત્યાર સુધીમાં લગભગ ૨૯ દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના ૩૭૩ કેસ નોંધાયા છે.

સાથે જ દેશના કોરોના કેસ વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે કેરળ અને મહારાષ્ટ્ર એવા બે રાજ્યો છે જ્યાં કોરોનાના ૧૦ હજારથી વધુ એક્ટિવ કેસ છે. દેશના ૫૫ ટકા કેસ આ બે રાજ્યોમાં નોંધાયા છે.

દેશમાં હાલમાં કોવિડના ૯૯,૭૬૩ સક્રિય કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોવિડના ૯,૭૬૫ નવા કેસ નોંધાયા છે. રસીકરણ વિશે માહિતી આપતા લવ અગ્રવાલે કહ્યું કે અત્યાર સુધીમાં અમે દેશમાં લોકોને કોવિડ રસીના ૧૨૫ કરોડથી વધુ ડોઝ આપ્યા છે. ૮૪.૩ ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે અને ૪૫.૯૨ ટકા લોકોએ રસીના બંને ડોઝ મેળવ્યા છે.

સંયુક્ત આરોગ્ય સચિવે કહ્યું કે વિશ્વ હજી પણ કોવિડના કેસોમાં તેજી જોઈ રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં વિશ્વના ૭૦ ટકા કેસ યુરોપમાંથી આવ્યા છે. એક સપ્તાહમાં યુરોપમાં ૨.૭૫ લાખ કોવિડ કેસ નોંધાયા છે અને યુરોપમાં એક સપ્તાહમાં ૨૯,૦૦૦થી વધુ લોકોનાં મોત નોંધાયા છે

New up 01

 

Related posts

UPI ATM: હવે ડેબિટ કાર્ડ ઘરે ભૂલી ગયા? કોઈ ચિંતા નહીં! મોબાઈલથી જ નીકળશે રોકડા પૈસા

Ahmedabad Samay

અકસ્માતમાં ઘાયલ લોકોને સમયસર હોસ્પિટલમાં લઈ જનારાઓને પ્રોત્સાહન રકમ 5,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરાઇ

Ahmedabad Samay

તૌકતે વાવાઝોડા વિશે મહત્વની માહિતી

Ahmedabad Samay

મથુરા અને કાશીમાં ભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણ માટે ટૂંક સમયમાં વિચારણા કરવામાં આવશે

Ahmedabad Samay

યુ.પી.માં ઓવૈસીએ “સીએએ” અને એનઆરસી ને લઈને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું

Ahmedabad Samay

જમ્મુ કાશ્મીર હુમલામાં ચાર ગુજરાતીઓ ફસાયા. પ્રાથમિક માહિતી અનુસાર ચારેય ગુજરાતીઓ ઘાયલ, ચારેય પ્રવાસી ભાવનગરના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો