March 24, 2026
Other

પ્રવીણ તોગડિયાએ હિન્દુઓને એકથી વધારે બાળકો પેદા કરવા માટે સલાહ આપી

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક પ્રવીણ તોગડિયાએ એક વખત ફરીથી હિન્દુઓને એકથી વધારે બાળકો પેદા કરવા માટે સલાહ આપી છે.

યુપીના ફતેપુર ખાતેના તાંબેશ્વર મંદિરમાં પૂજા કર્યા પછી હિન્દુ રક્ષા નિધિ સમર્પણ અભિયાન હેઠળ તેઓ લોકોને મળ્યા હતા. કહ્યુ હતુ કે, દેશની વસ્તી 140 કરોડ પર ભલે સ્થિર રહે પણ પરિવર્તન તે આવશે કે 10 વર્ષ પછી હિન્દુઓની વસ્તી 100 કરોડની જગ્યાએ 95 કરોડ થઈ જશે.

શા માટે એકથી વધુ કરવા સલાહ આપી.

પ્રવિણ તોગડીયા વધુમાં જણાવ્યુ હતુ કે,  85 કરોડ અને 50 વર્ષ પછી 45 કરોડ જ રહી જશે. 140 કરોડની વસ્તીમાં હિન્દુઓ માંડ 50 કરોડ રહી જશે. જ્યારે મુસ્લિમોની વસ્તી જે 20 કરોડ છે તે વધીને 50 કરોડ થશે. તેમણે કહ્યું કે ભારત અફઘાનિસ્તાન બનશે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ નહીં કાનપુર હશે.

કેન્દ્ર સરકાર પાસે માંગણી કરતાં પ્રવીણ તોગડિયાએ કહ્યું કે વસ્તી નિયંત્રણ કાયદો વહેલી તકે લાવવો જોઈએ. કાયદો બન્યા બાદ જે પરિવાર બેથી વધુ બાળકો પેદા કરે તો તેને અન્ન આપવું જોઈએ નહીં. આવા પરિવારના બાળકોને સરકારી શાળામાં શિક્ષણ, સરકારી હોસ્પિટલમાં સારવાર અને સરકારી નોકરી ન મળવી જોઈએ. તેમણે કહ્યું કે સરકારે બને તેટલો વહેલો કાયદો લાગુ કરવો જોઈએ જેથી કરીને ભારતમાં હિન્દુઓ લઘુમતી ન બને.

New up 01

Related posts

એજ્યુકેશનલ મલ્ટીમીડિયા રિસર્ચ સેન્ટર (EMRC), ગુજરાત યુનિવર્સિટી દ્વારા “ડીઝાઈન એન્ડ ડેવલપમેન્ટ ઓફ ડીજીટલ કન્ટેન્ટ” વિષય પર નેશનલ સેમીનાર યોજાયો

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા પરપ્રાંતીય મુદ્દે નકારત્મક ટિપ્પણી બદલ ભાજપ અને કોંગ્રેસ ના ધારાસભ્યો ના નિવેદન નો વિરોધ કરવામાં આવ્યું

Ahmedabad Samay

વિધર્મીય યુવકે ટ્રેનમાં સિગારેટ પી જાણી જોઈને છોકરીઓ તરફ ધુમાડો છોડી યુવતીની કરી છેડતી, સ્ટેશન પર સર્જાયો કોમી તણાવ

Ahmedabad Samay

લોકસભાની ચૂંટણી માટે ભાજપ ટૂંક સમયમાં જ પોતાના ઉમેદવારોના નામ ફાઈનલ કરશે

Ahmedabad Samay

સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષા રોપણ ના કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

પાકિસ્તાનની વધુ એક મેચને લઈને હોબાળો, વર્લ્ડ કપના શેડ્યૂલ પર ફરીથી તોળાઈ રહ્યો ખતરો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો