March 26, 2026
Other

વીર શહીદ લાન્સ નાયક ગોપાલ સિંહ મુનીમ સિંહ ભદોરિયા પરિવાર નું નામકરણ બદલવાના બદલે ઉગ્ર વિરોધ કરાશે

જેને દેશને નામે પોતાનું જીવન બલિદાન કરી દીઘું, પોતાના પરિવારને દેશની જનતા અને સરકારના ભરશો મૂકી સરહદ પર ખુશી ખુશી કુરબાન થઈ ગયેલા વીર શહીદ લાન્સ નાયક ગોપાલ સિંહ મુનીમ સિંહ ભદોરિયા શૌર્ય ચક્ર દ્વારા નવાજવામાં આવ્યા હતા અને તેમના સન્માનમાં અમદાવાદના સુહાના સર્કલનું નામ તેમના નામે રાખવામાં આવ્યું હતું,

પરંતુ આજે જાણે તેનું બલિદાન સરકાર વિસરી ગઇ હોય તેમ તે માર્ગનું નામ બદલવા જઇ રહી રહી છે,  દેશ માટે  શહિદ થનાર જવાનને ન્યાય અપાવવા માટે ગુહાર લગાવી રહ્યા છે અને જ્યાં સુધી તેને ન્યાય નહિ મળે ત્યાં સુધી અનશન પર બેસવાના છે,

આ અંગે વધુ માહિતી આપતા તેમના પિતાએ જણાવ્યું કે , હું બલિદાની( વીર શહીદ )લાન્સ નાયક ગોપાલ સિંહ મુનીમ સિંહ ભદોરિયા શૌર્ય ચક્રનો પરિવાર આપ સૌને વિનંતી કરું છું કે સુહાના સર્કલ (લુંબી સર્કલ) ને સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ નંબર 261 વર્ષ 2021/2022 ના અનુસંધાનમાં માનનીય પૂર્વ મેયર કિરીટ ભાઈ પરમાર અને સૈજપુર બોઘાના પાર્ષદોની ઉપસ્થિતિમાં નામકરણ કરવામાં આવ્યું હતું, જેનું ફરીથી નામ સાગર ભાઈ દેસાઈના નામે કરવામાં આવી રહ્યું છે, જે શહીદ ગોપાલ સિંહ ભદોરિયા શૌર્ય ચક્રનું અપમાન છે.

હું અને મારો પરિવાર આનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આના વિરોધમાં તારીખ 2/2/2026 ના રોજ સવારે 8 વાગ્યે આમરણ અનશન પર બેસીશું, આપ સૌને આમાં જોડાવા વિનંતી કરું છું. મુનીમસિંહ ભદોરિયા 9824988082

Related posts

ઈશા રાજપૂતએ  રેસલિંગ ફેડરેશન કપ (સિનિયર વર્ગ) માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Ahmedabad Samay

આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય અમાનતુલ્લા ખાનની ચ્‍ઝ દ્વારા ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

મધ્યપ્રદેશમાં પરિણામ બાદ કમલનાથનું આવ્યું નિવેદન

Ahmedabad Samay

સેવ અર્થ NGO દ્વારા અબોલા પક્ષીઓ માટે વિનામૂલ્યે પાણીના કુંડા વિતરણ કરાયું

Ahmedabad Samay

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ભારતીય વિદેશ સેવા અધિકારી તાલીમાર્થીઓ માટે તાલીમ કાર્યક્રમનું વેલિડિક્ટરી સત્ર યોજાયું

Ahmedabad Samay

જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઈ જોષી દ્વારા જાણો આ સપ્તાહ કઇ રાશિ માટે વેપાર ધંધામાં લાવશે તેજી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો