June 25, 2026
Other

વીર શહીદ લાન્સ નાયક ગોપાલ સિંહ મુનીમ સિંહ ભદોરિયા પરિવાર નું નામકરણ બદલવાના બદલે ઉગ્ર વિરોધ કરાશે

જેને દેશને નામે પોતાનું જીવન બલિદાન કરી દીઘું, પોતાના પરિવારને દેશની જનતા અને સરકારના ભરશો મૂકી સરહદ પર ખુશી ખુશી કુરબાન થઈ ગયેલા વીર શહીદ લાન્સ નાયક ગોપાલ સિંહ મુનીમ સિંહ ભદોરિયા શૌર્ય ચક્ર દ્વારા નવાજવામાં આવ્યા હતા અને તેમના સન્માનમાં અમદાવાદના સુહાના સર્કલનું નામ તેમના નામે રાખવામાં આવ્યું હતું,

પરંતુ આજે જાણે તેનું બલિદાન સરકાર વિસરી ગઇ હોય તેમ તે માર્ગનું નામ બદલવા જઇ રહી રહી છે,  દેશ માટે  શહિદ થનાર જવાનને ન્યાય અપાવવા માટે ગુહાર લગાવી રહ્યા છે અને જ્યાં સુધી તેને ન્યાય નહિ મળે ત્યાં સુધી અનશન પર બેસવાના છે,

આ અંગે વધુ માહિતી આપતા તેમના પિતાએ જણાવ્યું કે , હું બલિદાની( વીર શહીદ )લાન્સ નાયક ગોપાલ સિંહ મુનીમ સિંહ ભદોરિયા શૌર્ય ચક્રનો પરિવાર આપ સૌને વિનંતી કરું છું કે સુહાના સર્કલ (લુંબી સર્કલ) ને સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ નંબર 261 વર્ષ 2021/2022 ના અનુસંધાનમાં માનનીય પૂર્વ મેયર કિરીટ ભાઈ પરમાર અને સૈજપુર બોઘાના પાર્ષદોની ઉપસ્થિતિમાં નામકરણ કરવામાં આવ્યું હતું, જેનું ફરીથી નામ સાગર ભાઈ દેસાઈના નામે કરવામાં આવી રહ્યું છે, જે શહીદ ગોપાલ સિંહ ભદોરિયા શૌર્ય ચક્રનું અપમાન છે.

હું અને મારો પરિવાર આનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આના વિરોધમાં તારીખ 2/2/2026 ના રોજ સવારે 8 વાગ્યે આમરણ અનશન પર બેસીશું, આપ સૌને આમાં જોડાવા વિનંતી કરું છું. મુનીમસિંહ ભદોરિયા 9824988082

Related posts

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો થઇ જાહેર

Ahmedabad Samay

નરેન્‍દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે આપણે આગળ વધવું જોઈએ : જામસાહેબે

Ahmedabad Samay

સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષા રોપણ ના કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં અમદાવાદના રીક્ષા ચાલકો મદદે આવ્યા સામે

Ahmedabad Samay

બોલીવુડના ‘હી-મેન’ ધર્મેન્‍દ્ર હવે આપણી વચ્‍ચે નહિ રહ્યા.

Ahmedabad Samay

PMOના ઉચ્‍ચ અધિકારી ગણાવી બુલેટપ્રૂફ વાહનમાં ફરતા અમદાવાદના કિરણ પટેલની શ્રીનગરથી ધરપકડ કરાઈ, જાણો મહાઠગની પૂર્ણ વિગત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો