March 23, 2026
Other

વીર શહીદ લાન્સ નાયક ગોપાલ સિંહ મુનીમ સિંહ ભદોરિયા પરિવાર નું નામકરણ બદલવાના બદલે ઉગ્ર વિરોધ કરાશે

જેને દેશને નામે પોતાનું જીવન બલિદાન કરી દીઘું, પોતાના પરિવારને દેશની જનતા અને સરકારના ભરશો મૂકી સરહદ પર ખુશી ખુશી કુરબાન થઈ ગયેલા વીર શહીદ લાન્સ નાયક ગોપાલ સિંહ મુનીમ સિંહ ભદોરિયા શૌર્ય ચક્ર દ્વારા નવાજવામાં આવ્યા હતા અને તેમના સન્માનમાં અમદાવાદના સુહાના સર્કલનું નામ તેમના નામે રાખવામાં આવ્યું હતું,

પરંતુ આજે જાણે તેનું બલિદાન સરકાર વિસરી ગઇ હોય તેમ તે માર્ગનું નામ બદલવા જઇ રહી રહી છે,  દેશ માટે  શહિદ થનાર જવાનને ન્યાય અપાવવા માટે ગુહાર લગાવી રહ્યા છે અને જ્યાં સુધી તેને ન્યાય નહિ મળે ત્યાં સુધી અનશન પર બેસવાના છે,

આ અંગે વધુ માહિતી આપતા તેમના પિતાએ જણાવ્યું કે , હું બલિદાની( વીર શહીદ )લાન્સ નાયક ગોપાલ સિંહ મુનીમ સિંહ ભદોરિયા શૌર્ય ચક્રનો પરિવાર આપ સૌને વિનંતી કરું છું કે સુહાના સર્કલ (લુંબી સર્કલ) ને સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ નંબર 261 વર્ષ 2021/2022 ના અનુસંધાનમાં માનનીય પૂર્વ મેયર કિરીટ ભાઈ પરમાર અને સૈજપુર બોઘાના પાર્ષદોની ઉપસ્થિતિમાં નામકરણ કરવામાં આવ્યું હતું, જેનું ફરીથી નામ સાગર ભાઈ દેસાઈના નામે કરવામાં આવી રહ્યું છે, જે શહીદ ગોપાલ સિંહ ભદોરિયા શૌર્ય ચક્રનું અપમાન છે.

હું અને મારો પરિવાર આનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આના વિરોધમાં તારીખ 2/2/2026 ના રોજ સવારે 8 વાગ્યે આમરણ અનશન પર બેસીશું, આપ સૌને આમાં જોડાવા વિનંતી કરું છું. મુનીમસિંહ ભદોરિયા 9824988082

Related posts

રાજસ્થાન યુવા મંચ દ્વારા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સ્વ. શ્રી સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

વિવાદો વચ્ચે શ્રી પરસોત્તમ રૂપાલાએ આજથી રાજકોટમાં ચૂંટણી પ્રચાર ફરી શરૂ

Ahmedabad Samay

નાગલધામ પરિવાર દ્વારા અંબાજી ગિયોડ જતા પદયાત્રી માટે સેવા કેમ્પ અને લોકડાયરા નુ આયોજનકરાયું હતું

Ahmedabad Samay

રામનવમી ની યાત્રા પર થયેલા પથ્‍થર મારામાં વડોદરા શહેર છોડીને ભાગી ગયેલા ઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવશે:હર્ષ સંધવી

Ahmedabad Samay

બોલીવુડના ‘હી-મેન’ ધર્મેન્‍દ્ર હવે આપણી વચ્‍ચે નહિ રહ્યા.

Ahmedabad Samay

GIFA ૨૦૨૩ નો જાજરમાન જલસો ભવ્ય સફળતા સાથે કર્ણાવતી યુનિવર્સિટી ખાતે ઉજવાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો