August 9, 2026
Other

વીર શહીદ લાન્સ નાયક ગોપાલ સિંહ મુનીમ સિંહ ભદોરિયા પરિવાર નું નામકરણ બદલવાના બદલે ઉગ્ર વિરોધ કરાશે

જેને દેશને નામે પોતાનું જીવન બલિદાન કરી દીઘું, પોતાના પરિવારને દેશની જનતા અને સરકારના ભરશો મૂકી સરહદ પર ખુશી ખુશી કુરબાન થઈ ગયેલા વીર શહીદ લાન્સ નાયક ગોપાલ સિંહ મુનીમ સિંહ ભદોરિયા શૌર્ય ચક્ર દ્વારા નવાજવામાં આવ્યા હતા અને તેમના સન્માનમાં અમદાવાદના સુહાના સર્કલનું નામ તેમના નામે રાખવામાં આવ્યું હતું,

પરંતુ આજે જાણે તેનું બલિદાન સરકાર વિસરી ગઇ હોય તેમ તે માર્ગનું નામ બદલવા જઇ રહી રહી છે,  દેશ માટે  શહિદ થનાર જવાનને ન્યાય અપાવવા માટે ગુહાર લગાવી રહ્યા છે અને જ્યાં સુધી તેને ન્યાય નહિ મળે ત્યાં સુધી અનશન પર બેસવાના છે,

આ અંગે વધુ માહિતી આપતા તેમના પિતાએ જણાવ્યું કે , હું બલિદાની( વીર શહીદ )લાન્સ નાયક ગોપાલ સિંહ મુનીમ સિંહ ભદોરિયા શૌર્ય ચક્રનો પરિવાર આપ સૌને વિનંતી કરું છું કે સુહાના સર્કલ (લુંબી સર્કલ) ને સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ નંબર 261 વર્ષ 2021/2022 ના અનુસંધાનમાં માનનીય પૂર્વ મેયર કિરીટ ભાઈ પરમાર અને સૈજપુર બોઘાના પાર્ષદોની ઉપસ્થિતિમાં નામકરણ કરવામાં આવ્યું હતું, જેનું ફરીથી નામ સાગર ભાઈ દેસાઈના નામે કરવામાં આવી રહ્યું છે, જે શહીદ ગોપાલ સિંહ ભદોરિયા શૌર્ય ચક્રનું અપમાન છે.

હું અને મારો પરિવાર આનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આના વિરોધમાં તારીખ 2/2/2026 ના રોજ સવારે 8 વાગ્યે આમરણ અનશન પર બેસીશું, આપ સૌને આમાં જોડાવા વિનંતી કરું છું. મુનીમસિંહ ભદોરિયા 9824988082

Related posts

ખોખરા અને CTMને જોડતા જોડતા વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં વિલંબ થતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો

Ahmedabad Samay

શહેરના તમામ બાગ-બગીચાઓ આગામી આદેશ સુધી બંધ રાખવા નિર્ણય

Ahmedabad Samay

ગુજરાતની જાણીતા લોકગાયિકા રાજલ બારોટની થઇ સગાઈ

Ahmedabad Samay

કારગિલ વિજય દિવસની ઐતિહાસિક ગાથા

Ahmedabad Samay

1 એપ્રિલથી માત્ર BS6-II વ્હીકલ જ બનશે, ડીઝલ કાર પર સૌથી મોટું સંકટ.. બાઇક પણ થશે મોંઘી

Ahmedabad Samay

21 જુલાઈએ મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો