May 8, 2026
જીવનશૈલી

નાના બાળકોને પોતાની સાથે અથવા અલગ પલંગ પર સુવડાવવું યોગ્‍ય છે કે કેમ ?

નાના બાળકોને પોતાની સાથે અથવા અલગ પલંગ પર સુવડાવવું યોગ્‍ય છે કે કેમ તે બધા માતાપિતાના મનમાં ઘણી વાર દુવિધા હોય છે. આજે અમે આ સંબંધમાં તમારી મૂંઝવણ દૂર કરવા જઈ રહ્યા છે. આ સમાચાર વાંચીને તમે જાણી શકશો કે નાના બાળકોને સુવડાવવા કેવી રીતે યોગ્‍ય છે.

યુએસ મેગેઝિન ‘સાયકોલોજી ટુડે’માં છપાયેલા એક લેખ અનુસાર, ૨ વર્ષથી વધુ ઉંમરના બાળકોએ માતા-પિતાના પલંગ પર ન સૂવું જોઈએ. નહિંતર, તેમના શરીરનો યોગ્‍ય રીતે વિકાસ થતો નથી અને તેઓ આધીન રહે છે.

રિસર્ચમાં એવું કહેવામાં આવ્‍યું છે કે બાળકના જન્‍મ પછી માતાએ તેને ૧ વર્ષ સુધી તેના પલંગ પર સૂવું જોઈએ. આ પછી, તેણે તેના રૂમમાં એક નાનો પલંગ મૂકીને અલગથી સૂવું જોઈએ. જયારે બાળકો ૫ વર્ષની ઉંમરે પહોંચે છે, ત્‍યારે તેમને અલગ રૂમમાં સુવડાવવું જોઈએ. આ રૂમ તમારી નજીક હોવો જોઈએ, જેથી બાળક રાત્રે ડરી ન જાય અને શાંતિથી સૂઈ શકે.

ડોક્‍ટર્સ કહે છે કે હકીકતમાં નાના બાળકોનો ૭૦ ટકા વિકાસ ત્‍યારે થાય છે જયારે તેઓ સૂતા હોય છે. તેથી, બાળકોને રાત્રે મુક્‍તપણે સૂવાની તક આપો. એવું ત્‍યારે જ બની શકે જયારે તેઓ અલગ બેડ અથવા રૂમમાં સૂતા હોય.

બાળકોની કરોડરજ્જુના વિકાસ માટે, તેમને પથારી પર પથરાયેલા સૂવા જરૂરી છે. જો તેઓ તેમના માતા-પિતા સાથે એક જ પથારીમાં સૂતા હોય, તો તેઓ ન તો ઇચ્‍છે તે રીતે બાજુ ફરી શકે છે અને ન તો તેઓ મુક્‍તપણે સૂઈ શકે છે. આવી સ્‍થિતિમાં, નાના બાળકોને અલગથી સૂવા દેવાનું યોગ્‍ય છે.

તબીબી નિષ્‍ણાતોના મતે બાળકોને આત્‍મનિર્ભર બનાવવા માટે અલગથી સૂવું ખૂબ જ જરૂરી છે. આમ કરવાથી તેઓ તેમના સૂવાના અને જાગવાના સમય વિશે જાગૃત બને છે. આ સાથે તેઓ તેમના બેડને કેવી રીતે સાફ રાખવા તે પણ જાણે છે. જેના કારણે તેમનો આત્‍મવિશ્વાસ વધે છે.

Related posts

શુ તમે પીઝા બર્ગર જેવા ફાસ્ટ ફૂડનું સેવન વધુ પડતો કરો છો ? તો ભવિષ્‍યમાં તમને ક્રોનિક પાચન કેન્‍સર અને ગંભીર હૃદય રોગ થઈ શકે છે.

Ahmedabad Samay

વોટ્સએપના નવા અપડેટ થી લોકોના ખુશ, એપ રિમુવ કરી સ્ક્રીનસૉર્ટ ટ્વિટર કર્યા

Ahmedabad Samay

મલાઈકા અરોરાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્‍ટમાં તેણે સૂર્ય નમસ્‍કારના ફાયદા અને આ ૧૨ યોગ આસનોની સિરીઝના મહત્‍વ વિશે વાત કરી

Ahmedabad Samay

જરા વિચારો આજે વિજ્ઞાન કયા લઈ આવ્યું

Ahmedabad Samay

સાંજના નાસ્તામાં મકાઈથી બનાવો આ 2 સ્વાદિષ્ટ વાનગીઓ, વરસાદમાં મજા થઈ જશે બમણી

Ahmedabad Samay

મહારાજા દિગ્વિજયસિંહના કારણે ગુજરાતમાં વસ્તુ હતું મીની પોલેન્ડ, જાણો ગર્વ મહેસુસ કરાવે તેવી અદભુત સ્ટોરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો