March 24, 2026
તાજા સમાચારદેશધર્મ

વડાપ્રધાન મોદીએ ઉજ્જૈનમા મહાકાલ લોકનુ લોકાર્પણ કર્યું

વડાપ્રધાન મોદીએ ઉજ્જૈનમા મહાકાલ લોકનુ લોકાર્પણ કર્યું છે, લોકાર્પણ બાદ તેમણે સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સાથે મહાકાલ લોકનુ પણ નિરીક્ષણ કર્યું હતુ,આ દરમિયાન શિવરાજ સિંહ તેમને મહાકાલ લોક વિશે માહિતી આપી રહ્યા હતા,

જ્યારે પીએમ મોદી કોરિડોરમાથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન રસ્તામા મોટી સંખ્યામા કલાકારો પરફોર્મન્સ આપી રહ્યા હતા,આ પહેલા વડાપ્રધાન મોદીએ મહાકાલના દરબારમા પહોંચીને પૂજા અર્ચના કરી હતી,ઉજ્જૈન પહોંચ્યા બાદ પીએમ મોદી સીધા મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા, પંડિત ઘનશ્યામ પૂજારીએ મંદિરમા પૂજા કરાવી હતી, ઉજ્જૈન પહોંચ્યા બાદ શહેરી પ્રશાસન મંત્રી ભૂપેન્દ્ર સિંહે હેલિપેડ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું, દિવ્યતા, ભવ્યતા અને આધ્યાત્મિકતાના સંગમ સમાન મહાકાલ કોરિડોરને આકાર પામવામા 4 વર્ષ લાગ્યા છે,

https://youtube.com/shorts/qBPz5ptG3EQ?feature=share

મહાકાલના પ્રાંગણને 856 કરોડના ખર્ચે બે તબક્કામા વિકસાવવામા આવી રહ્યું છે,તેના પૂર્ણ થયા બાદ 2પોઇન્ટ8 હેક્ટરમા ફેલાયેલ મહાકાલનો સમગ્ર વિસ્તાર 47 હેક્ટર બની જશે, ભક્તો 946 મીટર લાંબા કોરિડોર પર ચાલીને મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં પહોંચશે.

Related posts

નરેન્દ્રભાઇ મોદીએ ત્રીજીવાર પીએમ પદના શપથ લીધા

Ahmedabad Samay

કોરોના ની પહેલી લહેરમાં PM નરેન્દ્રભાઇ મોદી નાયક સાબિત થયા તો બીજી લહેરમાં ખલનાયક

Ahmedabad Samay

ઉત્તરપ્રદેશ ખાતે યમુના નદીમાં પાણીના સ્તરનો ભયજનક વધારો,અસરગ્રસ્તોને રાહત કીટ આપવામાં આવી

Ahmedabad Samay

નીતીશ કુમારનો મહાગઠબંધને બાય-બાય, નીતિશ કુમાર મહાગઠબંધન છોડીને એનડીએમાં પાછા ફરશે

Ahmedabad Samay

સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા શિક્ષક દિનના શુભ અવસર પર શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આજે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો