June 24, 2026
ગુજરાતતાજા સમાચારધર્મ

એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી નો દ્વિતીય પદવીદાન સમારંભ યોજાયો હતો.

રવિવાર ને શરદ પૂર્ણિમા ના પવિત્ર દિવસે, જ્યોતિષ વિદ્યા પ્રદાન ક્ષેત્રે કાર્યરત ગુજરાત ની નામાંકિત સંસ્થા એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી નો દ્વિતીય પદવીદાન સમારંભ યોજાયો હતો.

જેમાં સુવિખ્યાત જ્યોતિષ વિદ્વાન ડૉ. શ્રી નલીન પંડ્યા, ડૉ. શ્રી ભાવિન દેસાઈ, જાણીતા શિક્ષણવિદ્ અને એચ. કે. આર્ટસ કોલેજ ના ભૂતપૂર્વ પ્રિન્સીપાલ ડો. શ્રી સુભાષ બ્રહ્મભટ્ટ તથા સંસ્કૃત ભાષા અને વેદો-ઉપનીષદો ના જ્ઞાતા યુરોપિયન વિદ્વાન શ્રી યોગાનંદ સ્વામી તથા એમની માતા શ્રી ઉપરાંત જ્યોતિષ ક્ષેત્રે સૌ પ્રથમ ટેલે એસ્ટ્રોલોજી નો આવિષ્કાર કરનાર દેશ ની ખૂબ જ જાણીતી સંસ્થા ગણેશા સ્પીક્સ ના આ. વાઈસ પ્રેસિડેન્ટ શ્રી ગૌરાંગ પંડ્યા એ ઉપસ્થિત રહી અને સર્વે વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન, પ્રેરણા સાથે આશિર્વાદ આપ્યા હતા.

આ કાર્યક્રમમાં કુલ ૩૬ વિદ્યાર્થીઓ ને સર્ટિફિકેટ અને મેડલ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા ના ફાઉન્ડર ડૉ. આશિષ વ્યાસ તથા કો. ફાઉન્ડર આચાર્ય રિદ્ધિ ઠક્કર, આચાર્ય કોમલ શુક્લ દ્વારા સંસ્થા ના ભાવિ આયોજન ની વિગતો અને સમાજ ઉપયોગી કાર્યો ની પણ જાહેરાત કરવામાં હતી.આ પ્રસંગે ડૉ. આશિષ વ્યાસે જણાવ્યું હતું કે જ્યોતિષ વિદ્યા એ ડીવાઈન સાયન્સ છે અને સાયન્સ થી દરેક વ્યક્તિ માહિતગાર હોવો જ જોઈએ ત્યારે જ રૂષિ મુનિ ઓ ની મહેનત સાર્થક થઈ કહેવાશે.

Related posts

હડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એસોસિયન દ્વારા વૃક્ષારોપણ, વેકસીનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

Ahmedabad Samay

પાટીદારો અનામત આંદોલન બાદ થયેલા તોફાનો દરમિયાન પાટીદાર યુવાનો સામે કરવામાં કેસ પાછા ખેંચાયા: હાર્દિક પટેલ

Ahmedabad Samay

ઓક્‍ટોબર મહિનામાં સાબરમતીથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતીથી પાલીતાણા સુધીની સી પ્‍લેન ચલાવવાની યોજના શરૂ થશે

Ahmedabad Samay

ભાગેડુ લગ્ન/લવ મેરેજ નોંધણીમાં માતાપિતાની ભૂમિકા પણ મહત્‍વની બનાવાશે

Ahmedabad Samay

અમદાવાદમાં પઠાણ ફિલ્‍મનો વિરોધ કરાયો,વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળે તોડફોડ કરી

Ahmedabad Samay

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટી ઈજા થઈ છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો