વડાપ્રધાન મોદીએ ઉજ્જૈનમા મહાકાલ લોકનુ લોકાર્પણ કર્યું છે, લોકાર્પણ બાદ તેમણે સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સાથે મહાકાલ લોકનુ પણ નિરીક્ષણ કર્યું હતુ,આ દરમિયાન શિવરાજ સિંહ તેમને મહાકાલ લોક વિશે માહિતી આપી રહ્યા હતા,
જ્યારે પીએમ મોદી કોરિડોરમાથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન રસ્તામા મોટી સંખ્યામા કલાકારો પરફોર્મન્સ આપી રહ્યા હતા,આ પહેલા વડાપ્રધાન મોદીએ મહાકાલના દરબારમા પહોંચીને પૂજા અર્ચના કરી હતી,ઉજ્જૈન પહોંચ્યા બાદ પીએમ મોદી સીધા મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા, પંડિત ઘનશ્યામ પૂજારીએ મંદિરમા પૂજા કરાવી હતી, ઉજ્જૈન પહોંચ્યા બાદ શહેરી પ્રશાસન મંત્રી ભૂપેન્દ્ર સિંહે હેલિપેડ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું, દિવ્યતા, ભવ્યતા અને આધ્યાત્મિકતાના સંગમ સમાન મહાકાલ કોરિડોરને આકાર પામવામા 4 વર્ષ લાગ્યા છે,
https://youtube.com/shorts/qBPz5ptG3EQ?feature=share
મહાકાલના પ્રાંગણને 856 કરોડના ખર્ચે બે તબક્કામા વિકસાવવામા આવી રહ્યું છે,તેના પૂર્ણ થયા બાદ 2પોઇન્ટ8 હેક્ટરમા ફેલાયેલ મહાકાલનો સમગ્ર વિસ્તાર 47 હેક્ટર બની જશે, ભક્તો 946 મીટર લાંબા કોરિડોર પર ચાલીને મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં પહોંચશે.
