March 23, 2026
તાજા સમાચારદેશધર્મ

વડાપ્રધાન મોદીએ ઉજ્જૈનમા મહાકાલ લોકનુ લોકાર્પણ કર્યું

વડાપ્રધાન મોદીએ ઉજ્જૈનમા મહાકાલ લોકનુ લોકાર્પણ કર્યું છે, લોકાર્પણ બાદ તેમણે સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સાથે મહાકાલ લોકનુ પણ નિરીક્ષણ કર્યું હતુ,આ દરમિયાન શિવરાજ સિંહ તેમને મહાકાલ લોક વિશે માહિતી આપી રહ્યા હતા,

જ્યારે પીએમ મોદી કોરિડોરમાથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન રસ્તામા મોટી સંખ્યામા કલાકારો પરફોર્મન્સ આપી રહ્યા હતા,આ પહેલા વડાપ્રધાન મોદીએ મહાકાલના દરબારમા પહોંચીને પૂજા અર્ચના કરી હતી,ઉજ્જૈન પહોંચ્યા બાદ પીએમ મોદી સીધા મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા, પંડિત ઘનશ્યામ પૂજારીએ મંદિરમા પૂજા કરાવી હતી, ઉજ્જૈન પહોંચ્યા બાદ શહેરી પ્રશાસન મંત્રી ભૂપેન્દ્ર સિંહે હેલિપેડ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું, દિવ્યતા, ભવ્યતા અને આધ્યાત્મિકતાના સંગમ સમાન મહાકાલ કોરિડોરને આકાર પામવામા 4 વર્ષ લાગ્યા છે,

https://youtube.com/shorts/qBPz5ptG3EQ?feature=share

મહાકાલના પ્રાંગણને 856 કરોડના ખર્ચે બે તબક્કામા વિકસાવવામા આવી રહ્યું છે,તેના પૂર્ણ થયા બાદ 2પોઇન્ટ8 હેક્ટરમા ફેલાયેલ મહાકાલનો સમગ્ર વિસ્તાર 47 હેક્ટર બની જશે, ભક્તો 946 મીટર લાંબા કોરિડોર પર ચાલીને મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં પહોંચશે.

Related posts

રાહુલ ગાંધીની સંસદની સદસ્‍યતા સમાપ્ત કરવામાં આવી, ગઈકાલે જ સુરત કોર્ટે તેને બે વર્ષની કેદની સજા ફટકારી

Ahmedabad Samay

34Kmની માઇલેજ… કિંમત રૂપિયા 5.54 લાખ! મારુતિની આ સસ્તી કારે બધાને છોડ્યા પાછળ

Ahmedabad Samay

ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં કોરોના ભારત માંથી સમાપ્ત થઇ જશે.

Ahmedabad Samay

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ પોતાની ઓફીસ બહાર લગાવ્યો “આઈડિયા બોક્સ”

Ahmedabad Samay

ભારતની સરહદે ચીન-પાકિસ્તાનના સૈન્યની સતત ચહલ પહલ

Ahmedabad Samay

શુક્રવારે આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, અહીં વાંચો આજનું રાશિફળ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો