June 27, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

૧૬ મંત્રીઓ સાથે મુખ્યમંત્રી તરીકે ફરી ભુપેન્દ્રભાઇ પટેલે શપથ લીધા,

આજ રોજ વિધાનસભામાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ તેમજ ૧૬ મંત્રીઓ આજે બપોરે ૨.૧૫ કલાકે શપથ લીધા છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી, કેન્‍દ્રીય મંત્રી અમિતભાઇ શાહ, રાજનાથસિંહ, પાર્ટીના રાષ્‍ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના મહાનુભાવો અને રાજ્‍યભરના હજારો કાર્યકરોની હાજરીમાં શપથવિધિ સંપન્‍ન થઇ છે. મુખ્‍યમંત્રી ઉપરાંત આઠ કેબિનેટ મંત્રીઓ અને આઠ રાજ્‍યકક્ષાના મંત્રીઓ સહિત ૧૭ સભ્‍યોનું મંત્રીમંડળ થયું છે.

આજે શપથ લેનાર મંત્રીઓમાં રૂષીકેશ પટેલ, કનુભાઇ દેસાઇ, રાઘવજીભાઇ પટેલ, બચુભાઇ ખાબડ, જગદીશ પંચાલ, કુબેર ડિંડોર, મુકેશ પટેલ, હર્ષ સંઘવી વગેરેનો સમાવેશ થાય છે.

નવા મંત્રીઓમાં મુળુભાઇ બેરા, ભાનુબહેન બાબરીયા, ભીખુભાઇ પરમાર, પ્રફુલભાઇ પાનસેરીયા, કુંવરજી હળપતિ, બળવંતસિંહ રાજપૂત, પુરૂષોત્તમ સોલંકીનો સમાવેશ થાય છે. કુલ ૧૬ પૈકી ૮ કેબીનેટ અને ૮ રાજ્‍યકક્ષાના મંત્રી છે.

આજે શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન, કેન્‍દ્રીય ગૃહ મંત્રી તેમજ ભાજપ શાસિત રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓ અને કેન્‍દ્રીય મંત્રી મંડળના મંત્રીઓ ઉપસ્‍થિત રહેલ.

શપથવિધિ સમારોહ પૂર્ણ થયા બાદ સાંજે કેબિનેટ બેઠકમાં વિધિવત મંત્રીઓના ખાતાની ફાળવણી કરવામાં આવશે. નવા મંત્રી મંડળમાં મુખ્‍યમંત્રી સહિત બે કડવા પટેલ, એક અનુસૂચિત જાતિ, બે લેઉવા પટેલ, એક આહિર, ત્રણ કોળી, એક ક્ષત્રિય, એક બ્રાહ્મણ વગેરેનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.  શપથવિધિ બાદ કેબિનેટ બેઠકમાં ખાતા ફાળવણી થશે. મંત્રીમંડળમાં મુખ્‍યમંત્રી સહિત ૨૭ સભ્‍યોને લઇ શકાય. હાલ ૧૭ સભ્‍યોનું મંત્રીમંડળ બનાવી ૧૦ જગ્‍યા ખાલી રાખવામાં આવી છે. ભવિષ્‍યમાં વિસ્‍તરણ થાય તેવી સંભાવના છે. આજે ૮ કેબિનેટ અને ૮ રાજ્‍ય

Related posts

૦૮ મહાનગરોમાં ૩૧ જૂલાઈ થી રાત્રિના ૧૧ થી સવારે ૦૬ વાગ્યા સુધીનો રહેશે

Ahmedabad Samay

રાહુલ ગાંધીને લોકસભા સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્‍યા બાદ શુક્રવારે સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી

Ahmedabad Samay

ખોખરાથી કરફ્યૂમાં ગાયો ઉઠાવી જનારા ૪ કસાઈઓને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી

Ahmedabad Samay

 09 ઓક્ટોબરે “376 D ” એક નવી યુગની કમર્શિયલ ફિલ્મ રિલીઝ થવાની છે, જેમાં ગુજરાતી થિયેટર કલાકારો પણ જોવા મળશે

Ahmedabad Samay

અમદાવાદ શહેરના ૧૦ પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરવામાં આવી

Ahmedabad Samay

હવે સરકાર ગ્રામ ઉજાલા અંતર્ગત માત્ર ૧૦રૂ.માં બલ્બ આપશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો