May 13, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

૧૬ મંત્રીઓ સાથે મુખ્યમંત્રી તરીકે ફરી ભુપેન્દ્રભાઇ પટેલે શપથ લીધા,

આજ રોજ વિધાનસભામાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ તેમજ ૧૬ મંત્રીઓ આજે બપોરે ૨.૧૫ કલાકે શપથ લીધા છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી, કેન્‍દ્રીય મંત્રી અમિતભાઇ શાહ, રાજનાથસિંહ, પાર્ટીના રાષ્‍ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના મહાનુભાવો અને રાજ્‍યભરના હજારો કાર્યકરોની હાજરીમાં શપથવિધિ સંપન્‍ન થઇ છે. મુખ્‍યમંત્રી ઉપરાંત આઠ કેબિનેટ મંત્રીઓ અને આઠ રાજ્‍યકક્ષાના મંત્રીઓ સહિત ૧૭ સભ્‍યોનું મંત્રીમંડળ થયું છે.

આજે શપથ લેનાર મંત્રીઓમાં રૂષીકેશ પટેલ, કનુભાઇ દેસાઇ, રાઘવજીભાઇ પટેલ, બચુભાઇ ખાબડ, જગદીશ પંચાલ, કુબેર ડિંડોર, મુકેશ પટેલ, હર્ષ સંઘવી વગેરેનો સમાવેશ થાય છે.

નવા મંત્રીઓમાં મુળુભાઇ બેરા, ભાનુબહેન બાબરીયા, ભીખુભાઇ પરમાર, પ્રફુલભાઇ પાનસેરીયા, કુંવરજી હળપતિ, બળવંતસિંહ રાજપૂત, પુરૂષોત્તમ સોલંકીનો સમાવેશ થાય છે. કુલ ૧૬ પૈકી ૮ કેબીનેટ અને ૮ રાજ્‍યકક્ષાના મંત્રી છે.

આજે શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન, કેન્‍દ્રીય ગૃહ મંત્રી તેમજ ભાજપ શાસિત રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓ અને કેન્‍દ્રીય મંત્રી મંડળના મંત્રીઓ ઉપસ્‍થિત રહેલ.

શપથવિધિ સમારોહ પૂર્ણ થયા બાદ સાંજે કેબિનેટ બેઠકમાં વિધિવત મંત્રીઓના ખાતાની ફાળવણી કરવામાં આવશે. નવા મંત્રી મંડળમાં મુખ્‍યમંત્રી સહિત બે કડવા પટેલ, એક અનુસૂચિત જાતિ, બે લેઉવા પટેલ, એક આહિર, ત્રણ કોળી, એક ક્ષત્રિય, એક બ્રાહ્મણ વગેરેનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.  શપથવિધિ બાદ કેબિનેટ બેઠકમાં ખાતા ફાળવણી થશે. મંત્રીમંડળમાં મુખ્‍યમંત્રી સહિત ૨૭ સભ્‍યોને લઇ શકાય. હાલ ૧૭ સભ્‍યોનું મંત્રીમંડળ બનાવી ૧૦ જગ્‍યા ખાલી રાખવામાં આવી છે. ભવિષ્‍યમાં વિસ્‍તરણ થાય તેવી સંભાવના છે. આજે ૮ કેબિનેટ અને ૮ રાજ્‍ય

Related posts

અમદાવાદ શહેરના જાણીતા બિલ્‍ડર ગ્રુપ ઉપર આવકવેરા ખાતાના દરોડા પાડવામાં આવ્‍યા.

Ahmedabad Samay

2005 પછી ના સફાઈ કર્મચારીઓની “જુની પેન્શન યોજના શરૂ કરવા નરોડાના ધારાસભ્ય શ્રી પાયલબેન કુકરાની ને આવેદન પત્ર અપાયું

Ahmedabad Samay

આમ આદમી પાર્ટીના મટિયાલાના ધારાસભ્‍ય ગુલાબ સિંહ યાદવને માર મારવામાં આવ્યું

Ahmedabad Samay

સમગ્ર ગુજરાતમાં ૪ થી ૭ જુલાઈ સુધી અમુક વિસ્‍તારોમાં ૧ ઈંચ થી ૬ સુધી  ભારે વરસાદ પડી શકે છે

Ahmedabad Samay

કરણી સેના દ્વારા લુઆરા ગામ અને મુદ્રા, ક્ચ્છ ની ઘટના સંદર્ભે કલેકટર શ્રીને આવેદનપત્ર આપ્યું

Ahmedabad Samay

ગુજરાતના વાતાવરણમાં પલટો,કમોસમી વરસાદની આગાહી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો