June 27, 2026
તાજા સમાચારદેશ

વહેલી સવારે જોધપુરથી બાંદ્રા જઈ રહેલી સૂર્યનગરી એક્‍સપ્રેસના ૧૨ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા. હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

આજે વહેલી સવારે મોટી દૂર્ઘટના ટળી છે. આજે વહેલી સવારે જોધપુરથી બાંદ્રા જઈ રહેલી સૂર્યનગરી એક્‍સપ્રેસના ૧૨ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ઘટના પાલીના રાજકીયાવાસ પાસે બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્‍માતમાં લગભગ ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે, સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

ઉચ્‍ચ અધિકારીઓ જયપુરમાં હેડક્‍વાર્ટર સ્‍થિત કંટ્રોલ રૂમમાંથી પરિસ્‍થિતિ પર નજર રાખી રહ્યા છે. રેસ્‍ક્‍યૂ ટીમ ઘટનાસ્‍થળે પહોંચી ગઈ છે. ઘાયલ લોકોને તાત્‍કાલિક સારવાર માટે મોકલવામાં આવ્‍યા છે

આ દુર્ઘટના બાદ ચાર ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. જયારે સૂર્યનગરી એક્‍સપ્રેસના મુસાફરોને સુરક્ષિત સ્‍થાન પર લઈ જવામાં આવી રહ્યા છે. આ પછી રેલ લાઇન ખાલી કરાવવામાં આવશે. તે જ સમયે, બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ આ માર્ગને બ્‍લોક કરી દેવામાં આવ્‍યો છે.

રેલવેએ હેલ્‍પલાઈન નંબર જારી કર્યા.

જોધપુરઃ૦૨૯૧- ૨૬૫૪૯૭૯ (૧૦૭૨), ૦૨૯૧- ૨૬૫૪૯૯૩ (૧૦૭૨), ૦૨૯૧- ૨૬૨૪૧૨૫, ૦૨૯૧- ૨૪૩૧૬૪૬ પાલી મારવાડઃ ૦૨૯૩- ૨૨૫૦૩૨૪, ૦૨૯૩- ૨૨૫૦૧૩૮, ૦૨૯૩- ૨૨૫૧૦૭૨.

Related posts

ભારતીય એથ્લેટ્સે ઇતિહાસ રચ્યો,એથ્લેટમાં ચાર મેડલ જીત્યા, મેડલ જ નહીં, પણ તેમના અતૂટ મનોબળ અને શિસ્તનું પણ પ્રદર્શન કર્યું

Ahmedabad Samay

ખેડૂત આંદોલનમાં બાજ પક્ષી બન્યું આકર્ષણનું કેન્દ્ર

Ahmedabad Samay

નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (જેવર એરપોર્ટ) ને DGCA ની મંજૂરી

Ahmedabad Samay

આ વિટામિનની ઉણપથી થાય છે શરીરમાં બળતરા-ત્વચાના રોગો, તરત જ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરો

Ahmedabad Samay

૫૦% ટ્રમ્પ ટેરિફનો કડક નિર્ણય પછી ચામડું, રસાયણ, શૂઝ, રત્‍ન-ઝવેરાત, કાપડ અને ઝીંગા ક્ષેત્રોમાં વાવાઝોડું આવ્‍યું

Ahmedabad Samay

નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ટેસ્ટ મેચને લઈને ધમકી આપનાર આખરે મધ્યપ્રદેશથી ઝડપાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો