June 27, 2026
તાજા સમાચારદેશ

વહેલી સવારે જોધપુરથી બાંદ્રા જઈ રહેલી સૂર્યનગરી એક્‍સપ્રેસના ૧૨ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા. હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

આજે વહેલી સવારે મોટી દૂર્ઘટના ટળી છે. આજે વહેલી સવારે જોધપુરથી બાંદ્રા જઈ રહેલી સૂર્યનગરી એક્‍સપ્રેસના ૧૨ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ઘટના પાલીના રાજકીયાવાસ પાસે બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્‍માતમાં લગભગ ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે, સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

ઉચ્‍ચ અધિકારીઓ જયપુરમાં હેડક્‍વાર્ટર સ્‍થિત કંટ્રોલ રૂમમાંથી પરિસ્‍થિતિ પર નજર રાખી રહ્યા છે. રેસ્‍ક્‍યૂ ટીમ ઘટનાસ્‍થળે પહોંચી ગઈ છે. ઘાયલ લોકોને તાત્‍કાલિક સારવાર માટે મોકલવામાં આવ્‍યા છે

આ દુર્ઘટના બાદ ચાર ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. જયારે સૂર્યનગરી એક્‍સપ્રેસના મુસાફરોને સુરક્ષિત સ્‍થાન પર લઈ જવામાં આવી રહ્યા છે. આ પછી રેલ લાઇન ખાલી કરાવવામાં આવશે. તે જ સમયે, બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ આ માર્ગને બ્‍લોક કરી દેવામાં આવ્‍યો છે.

રેલવેએ હેલ્‍પલાઈન નંબર જારી કર્યા.

જોધપુરઃ૦૨૯૧- ૨૬૫૪૯૭૯ (૧૦૭૨), ૦૨૯૧- ૨૬૫૪૯૯૩ (૧૦૭૨), ૦૨૯૧- ૨૬૨૪૧૨૫, ૦૨૯૧- ૨૪૩૧૬૪૬ પાલી મારવાડઃ ૦૨૯૩- ૨૨૫૦૩૨૪, ૦૨૯૩- ૨૨૫૦૧૩૮, ૦૨૯૩- ૨૨૫૧૦૭૨.

Related posts

રાંધણ ગેસમાં ફરી થયો વધારો,૨૫ રૂપિયા નો ભાવ થયો વધારો

Ahmedabad Samay

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સુશાંત કેસ પર સીબીઆઈની તપાસ પર પ્રશ્ન ઉઠાવયા

Ahmedabad Samay

અત્યાધુનિક એમઆઈ-૧૭વી-૫ હેલિકોપ્ટર ક્રેશ થતા વાયુસેના અને સંરક્ષણ વિભાગની ઉંઘ ઉડી. જાણો હેલિકોપ્ટરની ખાસિયત

Ahmedabad Samay

“ફોર યોર નોલેજ” ઈતિહાસની એવી સત્યતા જેના થી આપ વાકેફ નથી

Ahmedabad Samay

પશ્ચિમ બંગાળમાં આ વખતે મોટું રાજકીય ઉલટફેર,બંગાળમાં લહેરાશે ભગવો

Ahmedabad Samay

ડ્રોન દ્વારા રસી પહોંચાડવા માટે ટ્રાયલ રન શરૂ કરનાર તેલંગણા દેશનું પ્રથમ રાજય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો