June 27, 2026
તાજા સમાચારદેશ

વહેલી સવારે જોધપુરથી બાંદ્રા જઈ રહેલી સૂર્યનગરી એક્‍સપ્રેસના ૧૨ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા. હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

આજે વહેલી સવારે મોટી દૂર્ઘટના ટળી છે. આજે વહેલી સવારે જોધપુરથી બાંદ્રા જઈ રહેલી સૂર્યનગરી એક્‍સપ્રેસના ૧૨ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ઘટના પાલીના રાજકીયાવાસ પાસે બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્‍માતમાં લગભગ ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે, સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

ઉચ્‍ચ અધિકારીઓ જયપુરમાં હેડક્‍વાર્ટર સ્‍થિત કંટ્રોલ રૂમમાંથી પરિસ્‍થિતિ પર નજર રાખી રહ્યા છે. રેસ્‍ક્‍યૂ ટીમ ઘટનાસ્‍થળે પહોંચી ગઈ છે. ઘાયલ લોકોને તાત્‍કાલિક સારવાર માટે મોકલવામાં આવ્‍યા છે

આ દુર્ઘટના બાદ ચાર ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. જયારે સૂર્યનગરી એક્‍સપ્રેસના મુસાફરોને સુરક્ષિત સ્‍થાન પર લઈ જવામાં આવી રહ્યા છે. આ પછી રેલ લાઇન ખાલી કરાવવામાં આવશે. તે જ સમયે, બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ આ માર્ગને બ્‍લોક કરી દેવામાં આવ્‍યો છે.

રેલવેએ હેલ્‍પલાઈન નંબર જારી કર્યા.

જોધપુરઃ૦૨૯૧- ૨૬૫૪૯૭૯ (૧૦૭૨), ૦૨૯૧- ૨૬૫૪૯૯૩ (૧૦૭૨), ૦૨૯૧- ૨૬૨૪૧૨૫, ૦૨૯૧- ૨૪૩૧૬૪૬ પાલી મારવાડઃ ૦૨૯૩- ૨૨૫૦૩૨૪, ૦૨૯૩- ૨૨૫૦૧૩૮, ૦૨૯૩- ૨૨૫૧૦૭૨.

Related posts

ગૃહમંત્રાલયએ અનલોક.૦૫ ની ગાઈડલાઈ જાહેર કરી

Ahmedabad Samay

મોદીની સાથે લગભગ 40 મંત્રીઓએ શપથ લીધા,જાણો તમામ નવા મંત્રી વિશે, આ લોકો બન્યા નવા મંત્રી

Ahmedabad Samay

શૂટર દાદી ચંદ્રો તોમરનું કોરોનાને કારણે થયું નિધન

Ahmedabad Samay

રક્ષા મંત્રી રાજનાથ સિંહના એલઓસી પાર કરવાના નિવેદનથી ભડક્યું પાકિસ્તાન, આપી આ પ્રતિક્રિયા

Ahmedabad Samay

બરગી જળાશયમાં સર્જાયેલી હૃદયદ્રાવક ક્રુઝ દુર્ઘટના પાછળ માનવીય ભૂલ અને પ્રશાસનિક બેદરકારી સામે આવી

Ahmedabad Samay

નવા વર્ષે આવ્યા ખુશીના સમાચાર,અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વૅક્સીનની ટ્રાયલ શરૂ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો