May 12, 2026
તાજા સમાચારદેશ

વહેલી સવારે જોધપુરથી બાંદ્રા જઈ રહેલી સૂર્યનગરી એક્‍સપ્રેસના ૧૨ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા. હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

આજે વહેલી સવારે મોટી દૂર્ઘટના ટળી છે. આજે વહેલી સવારે જોધપુરથી બાંદ્રા જઈ રહેલી સૂર્યનગરી એક્‍સપ્રેસના ૧૨ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ઘટના પાલીના રાજકીયાવાસ પાસે બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્‍માતમાં લગભગ ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે, સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

ઉચ્‍ચ અધિકારીઓ જયપુરમાં હેડક્‍વાર્ટર સ્‍થિત કંટ્રોલ રૂમમાંથી પરિસ્‍થિતિ પર નજર રાખી રહ્યા છે. રેસ્‍ક્‍યૂ ટીમ ઘટનાસ્‍થળે પહોંચી ગઈ છે. ઘાયલ લોકોને તાત્‍કાલિક સારવાર માટે મોકલવામાં આવ્‍યા છે

આ દુર્ઘટના બાદ ચાર ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. જયારે સૂર્યનગરી એક્‍સપ્રેસના મુસાફરોને સુરક્ષિત સ્‍થાન પર લઈ જવામાં આવી રહ્યા છે. આ પછી રેલ લાઇન ખાલી કરાવવામાં આવશે. તે જ સમયે, બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ આ માર્ગને બ્‍લોક કરી દેવામાં આવ્‍યો છે.

રેલવેએ હેલ્‍પલાઈન નંબર જારી કર્યા.

જોધપુરઃ૦૨૯૧- ૨૬૫૪૯૭૯ (૧૦૭૨), ૦૨૯૧- ૨૬૫૪૯૯૩ (૧૦૭૨), ૦૨૯૧- ૨૬૨૪૧૨૫, ૦૨૯૧- ૨૪૩૧૬૪૬ પાલી મારવાડઃ ૦૨૯૩- ૨૨૫૦૩૨૪, ૦૨૯૩- ૨૨૫૦૧૩૮, ૦૨૯૩- ૨૨૫૧૦૭૨.

Related posts

ચૂંટણી પંચે પાંચ રાજ્‍યોમાં ચૂંટણીની જાહેરાત કરી

Ahmedabad Samay

કાશીના પંડિત સંજય ઉપાધ્યાયે ઈન્ડિયા એલાયન્સ, ભાજપ અને વડાપ્રધાન મોદીની કુંડળીના આધારે વિશ્લેષણ અહેવાલ તૈયાર કર્યો

Ahmedabad Samay

હોકી ટીમ ઓલિમ્પિકમાં ચંદ્રક માટે ટોચની દાવેદાર: તુષાર ખાંડેકર

Ahmedabad Samay

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA) પરથી વિધિવત રીતે વ્‍યાપારિક વિમાની સેવાઓનો પ્રારંભ

Ahmedabad Samay

ભારતીય સૈનિકો નો પાક.ને વળતો જવાબ, પાકિસ્તાન ની ૦૪ ચોકી ફૂંકીમાંરી

Ahmedabad Samay

રાજસ્થાનના ફલોદી જિલ્લાના માતોડા વિસ્તારમાં રવિવારે યાત્રાળુઓને એક ભયાનક માર્ગ અકસ્માતમાં સર્જાયો,અંદાજીત ૧૮ લોકોના મોત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો