August 8, 2026
તાજા સમાચાર

એએમસીની 400 શાળામાં પુરકા પુસ્તક ના પહોંચતા રાજ્યકક્ષાના મંત્રીએ ફટકારી નોટીસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 400 જેટલી સ્કૂલોની અંદર પુરતા પુસ્તકો ના પહોંચ્યા હોવાની વાત સામે આવી છે ત્યારે આ મામલે  રાજ્યકક્ષાના મંત્રીએ બે કર્મચારીઓને શો કોઝ નોટીસ ફટકારી છે. વિદ્યાર્થીઓને પુરતા પુસ્તકો ના મળતા મુંઝવણ અનુભવી રહ્યા છે. ત્યારે આ વાત ધ્યાને આવતા રાજ્યકક્ષાના મંત્રી હરકતમાં આવ્યા છે.

રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરીયાએ આ બેદરકારીની ગંભીરતા પૂર્વક નોંધ લીધી છે. પાઠ્ય પાઠ્યપુસ્તક મંડળના બે કર્મચારીઓને નોટીસ ફટકારી છે. જેમાં આઈટી એક્ઝિક્યુટીવના કર્મચારીને પણ નોટીસ પાઠવવામાં આવી છે.

400 શાળામાં પુરતા પુસ્તકો ના પહોંચ પ્રફુલ પાનસેરીયાએ આ બેદરકારીની ગંભીર નોંધ લીધી છે. વિતરણશાખાના સિનિયર ક્લાર્ક અને આઈટી એક્ઝિક્યુટીવને નોટીસ પાઠવવામાં આવી છે. રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ તરફથી અમદાવાદ જેવા શહેરની શાળાઓમાં જ આ સ્થિતિ જોવા મળી હતી જેમાં સમયસર પુસ્તકો જ નથી પહોંચતા. જેથી આ મામલે સ્કૂલોમાં પુસ્તકો ના પહોંચવાની વાતને લઈને નારાજગી મંત્રીએ વ્યક્ત કરી હતી. જો કે, તત્કાલિક પગલા લેવાતા બીજા જ દિવસે પુસ્તકો પહોંચતા કરવામાં આવ્યા હતા. જવાબદાર સામે નોટીસ આપી કાર્યવાહી પણ કરી હતી.

Related posts

જાણો દેશની રાજધાણીના નવા અને ત્રીજા મહિલા મુખ્યમંત્રી વિશેની તમામ માહિતી

Ahmedabad Samay

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સાથે રામ લલાની મૂર્તિની થઇ પ્રાણ પ્રતિષ્ઠા

Ahmedabad Samay

ભાજપ તરફથી વિધાનસભાની ચૂંટણી લડતા હાર્દિક પટેલ વિરૂધ્‍ધ ઠેરઠેર પોસ્‍ટરો લાગ્‍યા, શુ હાર્દિક પટેલ જીતશે ? શુ પટેલ સમાજ હાર્દિકનો આપશે સાથ

Ahmedabad Samay

રશ્‍મિકા મંદાનાએ ખુબ ટુંકા ગાળામાં દુનિયાભરમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી

Ahmedabad Samay

નવા કોરોના વેરિયન્ટથી ચેતી જજો,COVID-Omicron XBB ડેલ્‍ટા વેરિઅન્‍ટ કરતાં ૫ ગણું વધુ વાઇરલ છે અને તે કરતાં વધુ મૃત્યુદર ધરાવે છે

Ahmedabad Samay

મોરબી દુર્ઘટનાના લોકોના જીવ બચાવનાર રિયલ હીરો સમાન ગુજરાત પોલીસને દિલથી સલામ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો