May 8, 2026
તાજા સમાચાર

એએમસીની 400 શાળામાં પુરકા પુસ્તક ના પહોંચતા રાજ્યકક્ષાના મંત્રીએ ફટકારી નોટીસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 400 જેટલી સ્કૂલોની અંદર પુરતા પુસ્તકો ના પહોંચ્યા હોવાની વાત સામે આવી છે ત્યારે આ મામલે  રાજ્યકક્ષાના મંત્રીએ બે કર્મચારીઓને શો કોઝ નોટીસ ફટકારી છે. વિદ્યાર્થીઓને પુરતા પુસ્તકો ના મળતા મુંઝવણ અનુભવી રહ્યા છે. ત્યારે આ વાત ધ્યાને આવતા રાજ્યકક્ષાના મંત્રી હરકતમાં આવ્યા છે.

રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરીયાએ આ બેદરકારીની ગંભીરતા પૂર્વક નોંધ લીધી છે. પાઠ્ય પાઠ્યપુસ્તક મંડળના બે કર્મચારીઓને નોટીસ ફટકારી છે. જેમાં આઈટી એક્ઝિક્યુટીવના કર્મચારીને પણ નોટીસ પાઠવવામાં આવી છે.

400 શાળામાં પુરતા પુસ્તકો ના પહોંચ પ્રફુલ પાનસેરીયાએ આ બેદરકારીની ગંભીર નોંધ લીધી છે. વિતરણશાખાના સિનિયર ક્લાર્ક અને આઈટી એક્ઝિક્યુટીવને નોટીસ પાઠવવામાં આવી છે. રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ તરફથી અમદાવાદ જેવા શહેરની શાળાઓમાં જ આ સ્થિતિ જોવા મળી હતી જેમાં સમયસર પુસ્તકો જ નથી પહોંચતા. જેથી આ મામલે સ્કૂલોમાં પુસ્તકો ના પહોંચવાની વાતને લઈને નારાજગી મંત્રીએ વ્યક્ત કરી હતી. જો કે, તત્કાલિક પગલા લેવાતા બીજા જ દિવસે પુસ્તકો પહોંચતા કરવામાં આવ્યા હતા. જવાબદાર સામે નોટીસ આપી કાર્યવાહી પણ કરી હતી.

Related posts

મણિપુરમાં બનેલ ઘટનાની તમામ માહિતી,એક આરોપીની થઇ ધરપકડ,PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

Ahmedabad Samay

કિસ્મત ચમકી, તમ્બુમાં રહેતા યશસ્‍વી જયસ્‍વાલે એક્‍સ બીકેસીમાં ૫.૪ કરોડ રૂપિયામાં એક એપાર્ટમેન્‍ટ ખરીદ્યું

Ahmedabad Samay

*‘‘નલસે જલ યોજના” અંતર્ગત ધોરાજીના ઝાંઝમેર ગામે* *૧૨૦૦ જેટલા ઘરોમાં પહોંચ્યું પીવાનું શુદ્ધ પાણી*

Ahmedabad Samay

કોંગ્રેસ પાર્ટીએ દિલ્હી વિધાનસભામાં સતત ત્રીજી વાર ચૂંટણીમાં હારી હેટ્રિક મારી

Ahmedabad Samay

મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાની પ્રારંભિક તપાસમાં જ કેટલીક ચોંકાવનારી વિગતો આવી સામે

Ahmedabad Samay

હવે પાર્સલ અને સામાન રહેશે એકદમ સુરક્ષિત, રેલવે શરૂ કરશે OTP આધારિત ‘ડિજિટલ લોક’ સિસ્ટમ: જાણો શું છે?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો