અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 400 જેટલી સ્કૂલોની અંદર પુરતા પુસ્તકો ના પહોંચ્યા હોવાની વાત સામે આવી છે ત્યારે આ મામલે રાજ્યકક્ષાના મંત્રીએ બે કર્મચારીઓને શો કોઝ નોટીસ ફટકારી છે. વિદ્યાર્થીઓને પુરતા પુસ્તકો ના મળતા મુંઝવણ અનુભવી રહ્યા છે. ત્યારે આ વાત ધ્યાને આવતા રાજ્યકક્ષાના મંત્રી હરકતમાં આવ્યા છે.
રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરીયાએ આ બેદરકારીની ગંભીરતા પૂર્વક નોંધ લીધી છે. પાઠ્ય પાઠ્યપુસ્તક મંડળના બે કર્મચારીઓને નોટીસ ફટકારી છે. જેમાં આઈટી એક્ઝિક્યુટીવના કર્મચારીને પણ નોટીસ પાઠવવામાં આવી છે.
400 શાળામાં પુરતા પુસ્તકો ના પહોંચ પ્રફુલ પાનસેરીયાએ આ બેદરકારીની ગંભીર નોંધ લીધી છે. વિતરણશાખાના સિનિયર ક્લાર્ક અને આઈટી એક્ઝિક્યુટીવને નોટીસ પાઠવવામાં આવી છે. રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ તરફથી અમદાવાદ જેવા શહેરની શાળાઓમાં જ આ સ્થિતિ જોવા મળી હતી જેમાં સમયસર પુસ્તકો જ નથી પહોંચતા. જેથી આ મામલે સ્કૂલોમાં પુસ્તકો ના પહોંચવાની વાતને લઈને નારાજગી મંત્રીએ વ્યક્ત કરી હતી. જો કે, તત્કાલિક પગલા લેવાતા બીજા જ દિવસે પુસ્તકો પહોંચતા કરવામાં આવ્યા હતા. જવાબદાર સામે નોટીસ આપી કાર્યવાહી પણ કરી હતી.
