March 26, 2026
ગુજરાત

વડોદરા: ગ્રાહક ફોરમનો સૌથી મોટો નિર્ણય, કહ્યું- મેડિકલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી નથી…

મેડિકલ ઇન્શ્યોરન્સને લગતા એક કેસમાં વડોદરા ગ્રાહક ફોરમે મોટો ચુકાદો આપ્યો છે. મીડિયા અહેવાલ મુજબ, ગ્રાહક ફોરમે મેડિકલ ઈન્સ્યોરન્સ કંપનીને દર્દીને ચુકવણી કરવાનો આદેશ આપતા કહ્યું કે, મેડિકલ ઇન્શ્યોરન્સ માટે દાવો કરવા માટે જરૂરી નથી કે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોય અથવા માત્ર 24 કલાક માટે જ દાખલ કરવામાં આવ્યો હોય.

મીડિયા રિપોર્ટ મુજબ, વડોદરામાં રહેતા રમેશચંદ્ર જોષીએ વર્ષ 2017માં ગ્રાહક ફોરમમાં નેશનલ ઈન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જે મુજબ, તેમની પત્નીને વર્ષ 2016માં ડર્માટોમાયોસિટિસની બીમારીનું નિદાન થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમદાવાદની લાઇફકેર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરમાં તેમની પત્નીની સારવાર કરાઈ હતી. જો કે, સારવાર બાદ બીજા દિવસે રમેશચંદ્રની પત્નીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

દાવો કરતા ઇન્શ્યોરન્સ કંપનીએ ચુકવણી કરી નહોતી

પરંતુ, જ્યારે રમેશચંદ્ર ઇન્શ્યોરન્સ માટે દાવો કર્યો તો ઇન્શ્યોરન્સ કંપનીએ ચુકવણી કરી નહોતી. આથી રમેશચંદ્રે ગ્રાહક ફોરમનો દરવાજો ખટખટાવ્યો હતો અને નેશનલ ઈન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ મામલે સુનાવણી કરી ગ્રાહક ફોરમે દર્દીને ચુકવણી કરવા કંપનીને આદેશ આપ્યો છે અને સાથે કહ્યું છે કે, મેડિકલ ઇન્શ્યોરન્સનો દાવો કરવા માટે જરૂરી નથી કે કોઈ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોય અથવા તેને માત્ર 24 કલાક માટે જ દાખલ કરવામાં આવે.

Related posts

આજ રોજ જી.સી.એસ. ખાતે “એસેન્શિયલ્સ ઓફ કોવિડ -19 ફોર એનેસ્થેસિયોલોજિસ્ટ્સ” પુસ્તકનું વિમોચન કરાયું

Ahmedabad Samay

રાજ્યમાં ભારે વરસાદના કારણે 130 લોકોના મોત થયા, 39 તણાયા, 38 પર પડી વીજળી

Ahmedabad Samay

નો પાર્કિંગ ફક્ત આમ જનતા માટે

Ahmedabad Samay

બાપુનગર વિધાનસભા યુથ કોંગ્રેસના વડા જયમન શર્મા દ્વારા કોરોના વોરિયરોને માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કરાયું

Ahmedabad Samay

શારદાબેન હોસ્પિટલમાં લેબ ટેક્નિશયન પર એસિડ એટેક

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના અમદાવાદ ના યુવા મોરચા દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા જુમબેશ ચલાવાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો