July 4, 2026
ગુજરાતઅપરાધ

સુરત- બેફામ સ્પીડમાં ચલાવતા વાહન ચાલકોની ખેર નહી! સુરત પોલીસ એક કિમી દૂર સ્પીડ ગનથી પકડી પાડશે, થશે દંડ

સુરત શહેરમાં ઓવર સ્પીડમા હંકારતા કારચાલકો અને બાઈક ચાલકો પર નજર રાખવા માટે હવે સુરત પોલીસ સ્પીડ ગનનો સહારો લેશે. શહેરમાં અનેકવાર ઓવર સ્પીડ વાહનોને કારણે અકસ્માત થવાના અને અકસ્માતમાં મોત થવાના બનાવો બનતા હોય છે.

સુરતમાં અવારનવાર માર્ગ અકસ્મતોના બનાવો બનતા રહે છે અને ઘણીવાર ઓવર સ્પીડ અને બેફામ રીતે વાહન હંકારતા ચાલકોને કારણે નિર્દોષ લોકોએ ભોગ બનવાનો વારો આવતો હોય છે. ત્યારે હવે ઓવર સ્પીડને કારણે બનતા આ પ્રકારના અકસ્માતો પર અંકુશ લગાવવા માટે પોલીસ વિભાગને સ્પીડ ગનથી કાર્યવાહી કરવાની ટ્રેનિંગ આપી દેવામાં આવી છે.

પોલીસ કર્મીઓને ટ્રેનિંગ આપી દેવામાં આવી

અકસ્માતો અને સ્પીડ પર અંકુશ મેળવી શકાય તે માટે શહેર પોલીસે એરિયા પ્રમાણે ચોક્કસ સ્પીડ મર્યાદા નક્કી કરી ઓવર સ્પીડ વાહનચાલકોને ટ્રેક કરવા માટે સ્પીડનો સહારો લેશે. જેમાં વાહનોની સ્પીડ કેપ્ચર કરવા સાથે ફોટો અને વીડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવશે અને તે માટે પોલીસ કર્મીઓને ટ્રેનિંગ આપી દેવામાં આવી છે. જેના થકી આગામી દિવસોમાં વાહનોને ટ્રેક કરી પોલીસ કાર્યવાહી કરશે. બેફામ વાહન ચાલકો અને ગતિ મર્યાદા કરતા વધુ સ્પીડમાં વાહન હકારતા ચાલકોને કારણે અનેકવાર સર્જાતા અકસ્માતો પર અંકુશ લાવવા માટે રાજ્ય સરકારે પોલીસ વિભાગને સ્પીડ ગનથી સજ્જ કરી છે અને તેના માટે ઓપરેટિંગ સિસ્ટમ અંગે તાલીમ પણ આપવામાં આવી છે.

એક કિલોમીટર દૂરથી જ વાહનોની સ્પીડ કેપ્ચર થશે
પોલીસની આ સ્પીડ ગનમાં એક કિલોમીટર દૂરથી જ વાહનોની સ્પીડ કેપ્ચર થઈ શકે તેવી સિસ્ટમ ઉપલબ્ધ છે. જેમાં વાહન ચાલકોનો ફોટો અને વીડીયોગ્રાફી પણ થઈ શકે તેવી સુવિધા છે. પોલીસ સ્થળ પર જ ઓવર સ્પીડ વાહન ચાલકોને દંડ ફટકારી શકશે. આ રીતે આગામી દિવસોમાં ટ્રાફિક પોલીસ સાથે ઓવર સ્પીડ વાહન ચાલકો પર બાજ નજર રાખવા તૈયારી કરી લીધી છે.

Related posts

રાજ્યભરમાં આગામી પાંચ દિવસમાં ત્રણ ડિગ્રી સુધી ગરમીનો પારો વધી શકે છે

Ahmedabad Samay

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા અમદાવાદ ખાતે હોર્સ રાઇડિંગ ક્લબનું ઉદ્ઘાટન કરાયુ

Ahmedabad Samay

રાજકોટ કલેકટર કચેરીમાં કિશન ભરવાડ મુદ્દે આવેદન પત્ર આપવા આવેલ ટોળા હિંસક બનતાં પોલીસને લાઠીચાર્જ કરવો પડયો.

Ahmedabad Samay

ત્રીજી લહેરમાં બાળકો પર ખતરાની વાતથી સુપ્રીમ કોર્ટ પણ ચિંતામાં

Ahmedabad Samay

PM નરેન્દ્રભાઈ મોદીના શાસનને ‘ ૧૨ વર્ષ અવિરત વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ‘ અભિયાન અન્વયે આજે રાજ્યભરમાં વિવિધ મંદિરોમાં મહાઆરતી યોજાશે

Ahmedabad Samay

ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર પરનું ગંભીર ચક્રવાતી વાવાઝોડું “SHAKHTI” સૌરાષ્ટ્ર તરફ વધી રહ્યું છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો