April 16, 2026
ગુજરાત

ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર પરનું ગંભીર ચક્રવાતી વાવાઝોડું “SHAKHTI” સૌરાષ્ટ્ર તરફ વધી રહ્યું છે

ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર પરનું ગંભીર ચક્રવાતી વાવાઝોડું “SHAKHTI” ‘ શક્‍તિ” છેલ્લા ૬ કલાક દરમિયાન ૧૮ કિમી પ્રતિ કલાકની ઝડપે  આગળ વધ્‍યું હતું  ૫ મી ઓક્‍ટોબર સુધીમાં પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધીને ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ  મધ્‍ય અરબી સમુદ્ર સુધી પહોંચે તેવી શકયતા છે.

ત્‍યારપછી તે ૬ઠ્ઠી ઓક્‍ટોબર ૨૦૨૫ની સવારથી ફરી પૂર્વ ઉતર પૂર્વ દિશા તરફનો ટર્ન લઈ સૌરાષ્‍ટ્ર તરફ આગળ વધશે અને ધીમે ધીમે નબળું પડી જશે. સૌરાષ્‍ટ્ર કાંઠે આ વાવાઝોડું એક ડિપ્રશન કે વેલમાર્ક લો પ્રેશર સિસ્‍ટમ તરીકે ૭ ઓક્‍ટોબરની સાંજ થી ૮ ઓક્‍ટોબરની બપોર સુધીમાં પહોંચી શકે. હાલ આ વાવાઝોડું સૌરાષ્‍ટ્ર કાંઠે પહોંચતા પહેલા ઘણું નબળું પડી જવાની સંભાવના હોય,

ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની અફવાઓમાં આવવું નહીં. તા.૭-૮-૯ ઓક્‍ટોબર દરમ્‍યાન આ સિસ્‍ટમને અસરથી ગુજરાતમાં ઘણા સ્‍થળે હળવો મધ્‍યમ અને કેટલાક સ્‍થળે ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે.

માહિતી હાલનાં વેધર ચાર્ટના આધારે આપેલી છે જેમાં આગળ કુદરતી ફેરફાર થઈ શકે છે. તમારા વ્‍યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી અપડેટ ઉપર આધાર રાખવો.

Related posts

ક્ષત્રિયોનો ઉગ્ર આંદોલ હોવા છતાં પરસોત્તમ રૂપાલાનો જોરો શોરોથી ચૂંટણી પ્રચાર યથાવત

Ahmedabad Samay

અમદાવાદ: ઇસ્કોન બ્રિજ કેસમાં આજે પ્રજ્ઞેશ પટેલની મેડિકલ જામીન અરજી પર કોર્ટનો ચુકાદો, તથ્ય પટેલની રેગ્યુલર જામીન પર સુનાવણી

Ahmedabad Samay

૧૬ મંત્રીઓ સાથે મુખ્યમંત્રી તરીકે ફરી ભુપેન્દ્રભાઇ પટેલે શપથ લીધા,

Ahmedabad Samay

અમદાવાદ શહેરના હોમગાર્ડના કમાન્ડર શ્રી જબ્બરસિંહ શેખાવત અને અશોક પટેલે કોરોના થી બચવા માટે આપી સૂચનો

Ahmedabad Samay

મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનાર પંકજ ધીરનું અવસાન

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચએ તાંડવ વેબ સિરીઝ સામે કરી લાલઆંખ,સૈફઅલી ખાન નું પૂતળા દહન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો