July 26, 2026
મોદી
ગુજરાત

PM નરેન્દ્રભાઈ મોદીના શાસનને ‘ ૧૨ વર્ષ અવિરત વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ‘ અભિયાન અન્વયે આજે રાજ્યભરમાં વિવિધ મંદિરોમાં મહાઆરતી યોજાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સતત ૧૨ વર્ષ પૂર્ણ થવા પર પ્રદેશ ભાજપાના ‘ ૧૨ વર્ષ અવિરત વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ‘ અભિયાન અન્વયે ૧૦ જૂન, બુધવારે રાજ્યભરમાં વિવિધ મંદિરોમાં મહાઆરતી યોજાશે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સવારે ૭.૦૦ કલાકે ગાંધીનગરના અડાલજ સ્થિત ત્રિમંદિર ખાતે મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે:ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાંજે ૭.૦૦ કલાકે મેહસાણા જિલ્લાના વડનગર સ્થિત પૌરાણિક હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાઆરતીમાં જોડાશે રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ મહામંત્રીઓ, પ્રદેશ પદાધિકારીઓ, સાંસદઓ, ધારાસભ્યઓ, ભાજપા આગેવાનો અને કાર્યકરો નિર્ધારિત દેવસ્થાનોએ ઉપસ્થિત રહી મહાઆરતીમાં સહભાગી થશે
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ગુજરાતની ધરતીના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સતત ૧૨ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે કેન્દ્રીય ભાજપાની કાર્યયોજના અનુસાર પ્રદેશ ભાજપા દ્વારા આયોજિત ‘૧૨ વર્ષ અવિરત વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના‘ અભિયાન અન્વયે તા. ૧૦ જૂન, બુધવારે રાજ્યના તમામ જિલ્લા- મહાનગરોમાં સ્થિત વિવિધ મંદિરોમાં ભાજપા આગેવાનો, ચુંટાયેલા સભ્યો તેમજ કાર્યકરો સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિ વચ્ચે મહાઆરતીમાં સહભાગી થશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે ઈશ્વરને પ્રાર્થના કરશે. આ ઉપરાંત મહાપુરુષોની પ્રતિમાની સફાઈ અને સ્વચ્છતા અભિયાન પણ યોજાશે.
૧૦ જૂન, બુધવારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સવારે ૭.૦૦ કલાકે ગાંધીનગરના અડાલજ સ્થિત ત્રિમંદિર ખાતે મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા મેહસાણા જિલ્લાના વડનગર સ્થિત પૌરાણિક હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે સાંજે ૭.૦૦ કલાકે મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે. પ્રદેશ મહામંત્રીઓ પ્રશાંતભાઈ કોરાટ દેવમોગરા ખાતે, અનિરૂદ્ધભાઈ દવે માતાના મઢ, કચ્છ ખાતે; અજયભાઈ બ્રહ્મભટ્ટ વડનગર ખાતે, હિતેન્દ્રસિંહ ચૌહાણ પાવાગઢ ખાતે મહાઆરતીમાં સાંજે ૭.૦૦ કલાકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ પદાધિકારીઓ, સાંસદઓ, ધારાસભ્યઓ, ભાજપા આગેવાનો, સ્થાનિક ચુંટાયેલા સભ્યો અને કાર્યકરો નિર્ધારિત દેવસ્થાનોએ ઉપસ્થિત રહી સાંજે ૭.૦૦ કલાકે મહાઆરતીમાં સહભાગી થશે. મહાઆરતીમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવો અંગેની માહિતી આ અખબારી યાદી સાથે સામેલ છે

Related posts

ચાલો જાણીએ કે યુદ્ધવિરામ ના મધ્યસ્થી મુખ્ય DGMO કોણ છે અને તેમનું કાર્ય શું છે.

Ahmedabad Samay

અમદાવાદ: શનિવારે વરસાદ પડ્યા બાદ રવિવાર સવારે કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, બપોરે બફારાએ લોકોને હેરાન કર્યા

Ahmedabad Samay

149મી રથયાત્રાની તૈયારીઓનો આજથી વિધિવત પ્રારંભ

Ahmedabad Samay

ચાંદખેડા ટોપાઝ રેસ્ટોરન્ટ ખાતે જીમ લોન્જનું વાર્ષિક ફંકશન ભવ્ય રીતે યોજાયું

Ahmedabad Samay

આજથી અમદાવાદ શહેરના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં ત્રણ દિવસનો પાણી કાપ રહેશે

Ahmedabad Samay

ગુજરાતમાં ૭ મેના રોજ મતદાન અને મત ગણત્રી ૪ જૂને થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો