May 9, 2026
ગુજરાત

ત્રીજી લહેરમાં બાળકો પર ખતરાની વાતથી સુપ્રીમ કોર્ટ પણ ચિંતામાં

દેશમાં  લોકોના મનમાં હવે આ સવાલ ઉઠી રહ્યા છે કે ત્રીજી લહેર ક્યારે આવશે અને તેનાથી સૌથી વધારે કયા સમૂહને પ્રભાવિત થવાની આશંકા છે.

બીજી અને ત્રીજી લહેર વચ્ચે હશે અંતર

ગયા વર્ષે દેશમાં કોરોનાની પહેલી લહેરથી મુકાબલો કર્યો. જેની શરૂઆત માર્ચમાં થઈ હતી. અને ઓગસ્ટ-સપ્ટેમ્બરના મહિનામાં પહેલી લહેર પોતાની પીક પર હતી. તેના પછી મામલા ધીમે-ધીમે કરીને ઓછા થવા લાગ્યા. તેની વચ્ચે પણ બીજી લહેરે માર્ચ મહિનામાં દસ્તક આપી અને હજુ સુધી તેની ભયાવહતા ચાલુ જ છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ મહિને બીજી લહેરનો પીક આવી જશે અને આશા છે કે મામલા ઓછા થવા લાગશે. પહેલી અને બીજી લહેરની વચ્ચે કેટલાક મહિનાનો ગેપ છે. આ બીજીથી ત્રીજી લહેરની વચ્ચે 3થી 4 મહિનાનું અંતર હશે.

ત્રીજી લહેરમાં બાળકોને સૌથી વધારે જોખમ:

ત્રીજી લહેરની આશંકાની વચ્ચે ચર્ચા ચાલી રહી છે કે તેનાથી સૌથી વધારે જોખમ બાળકોને છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે પહેલી લહેરમાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત 60 વર્ષથી વધારે ઉંમર અને અન્ય બીમારીઓથી થયા હતા. બીજી લહેરમાં સૌથી વધારે ખતરો યુવાન લોકોને છે. આ ટ્રેન્ડને જોતાં આશંકા છે કે ત્રીજી લહેરમાં બાળકો કોરોનાના નિશાન પર હશે. જોકે ત્રીજી લહેર ક્યારે અને કયા રૂપમાં આવશે અને કોને સૌથી વધારે પ્રભાવિત કરશે તે ઉતાવળ કહેવાશે. પરંતુ ત્રીજી લહેર આવશે તે નક્કી છે.

નિષ્ણાતોનું કહેવું છેકે ત્રીજી લહેર આવવામાં હજુ સમય છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી ત્રીજી લહેર આવશે ત્યાં સુધી 18 વર્ષથી વધારે ઉંમરના લોકોને કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લાગી ચૂક્યો હશે. એવામાં તે લો રિસ્ક ઝોનમાં હશે. જ્યારે ખતરો બાળકો પર રહેશે.

https://youtube.com/c/AhmedabadSamay

બાળકોને કેવી રીતે બચાવી શકાય

જો તમારા ઘરમાં બાળક છે તો તમારે પહેલાથી જ તૈયારી કરી લેવી જોઈએ. એક્સપર્ટ્સનું કહેવું છે કે બાળકોને માસ્ક પહેરવાની આદત શરૂ કરવી જોઈએ. તે ઉપરાંત તેમને બહાર રમવા મોકલવા, ભીડ-ભાડવાળી જગ્યા પર જવાથી મનાઈ કરવી, બહારની ખાવા-પીવાની વસ્તુનો ઈનકાર કરવો. સાથે જ પૌષ્ટિક આહાર આરોગતા રહો. કોરોનાની બે લહેરમાં બાળકો પર ઓછી અસર થવાનું કારણ તેની મજબૂત ઈમ્યૂનિટી સિસ્ટમ છે. તેને જાળવી રાખવી જરૂરી છે. બાળકોની તબિયત ખરાબ થાય કે તેનામાં કોરોનાના કોઈપણ લક્ષણ જોવા મળે તો તરત જ ટેસ્ટ કરાવો. તેમના પર હંમેશા નજર રાખો. તાવ આવે તો વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત છે.

રસીકરણ પણ ચિંતાનો વિષય

ત્રીજી લહેરમાં બાળકો પર ખતરાની વાતથી સુપ્રીમ કોર્ટ પણ ચિંતામાં છે. સૌથી વધારે આ વાતને લઈને ચિંતા છે કે હજુ સુધી બાળકોને વેક્સીન આપવાની શરૂઆત પણ થઈ નથી, હાલ માત્ર કેનેડામાં જ 12થી 15 વર્ષના બાળકોને વેક્સીન લગાવવાની અનુમતિ આપવામાં આવી છે. અન્ય દેશોમાં પણ ઝડપથી મંજૂરી મળી શકે છે. બાળકોના રસીકરણના સવાલ પર સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું કે કોરોનાની ત્રીજી લહેર આવવાની છે. તેની અસર બાળકો પર પણ પડી શકે છે. ત્રીજી લહેર પહેલાં રસીકરણના હાલના અભિયાનને પૂરજોશમાં ચલાવવાની જરૂરિયાત છે. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે બાળકો બીમાર થયા પછી હોસ્પિટલ જશે તો માતા-પિતા પણ જશે. એવામાં રસીકરણ થઈ ગયું હશે તો તે સુરક્ષિત રહેશે.

Related posts

શહેરમાં અવર – જવર કરવા ઉપર ભારે વાહનો માટે નવી ગાઈડલાઈન જાહેર કરાઇ

Ahmedabad Samay

પોલીસ કમિશનર દ્વારા શહેરના ૩૧ પોલીસ ઇન્સ્પેક્ટર (પીઆઇ)ની આંતરિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા

Ahmedabad Samay

અમદાવાદના આંગણે AGFTC અને IT બાર એસોસિએશન દ્વારા કોન્ક્લેવના પ્રથમ દિવસે નિષ્ણાતોએ આપ્યું વિષયવસ્તુનું જ્ઞાન

Ahmedabad Samay

વડોદરા ઢોર પાર્ટી પર હુમલો કરનારની થઈ ધરપકડ, અગાઉ થયો હતો હુમલાનો વીડિયો વાયરલ, હવે જેલ હવાલે

Ahmedabad Samay

3 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડાની શક્યતા

Ahmedabad Samay

સુરત:કામરેજ પોલીસ સ્ટેશનના પી.આઇ સહિત ૦૯ પોલીસ કર્મીઓ વિરુદ્ધ લાંચ નો ગુન્હો દાખલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો