March 26, 2026
ગુજરાત

અમદાવાદ: રાજ્યમાં ફરી કોરોના મહામારીનો પગ પસેરો! એક જ દિવસમાં ત્રણ સંક્રમિત દર્દીનાં મોત, જાણો રાજ્યમાં કેવી છે સ્થિતિ?

દેશ અને દુનિયામાં ફરી એકવાર કોરોના મહામારી પગ પસેરો કરી રહી હોય તેમ લાગી રહ્યું છે.  છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતભરમાં એક જ દિવસમાં કોરોનાથી ત્રણ લોકોનાં મોત થયા હોય એવી માહિતી મળી છે. કોરોનાથી અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં 1-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 2056 જ્યારે 6 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યાં છે.

માહિતી મુજબ, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 260  કેસ નોંધાયા છે. જ્યારે 360 દર્દીઓ રિકવર થયાં છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 83 કેસ નોંધાયા છે. 7 એપ્રિલે રાજ્યમાં કોરોનાથી ત્રણ દર્દીઓના મોત નીપજ્યાં હતા.

કોરોનાના ક્યાં કેટલા કેસ નોંધાયા

રાજ્યમાં અમદાવાદમાં સોથી વધુ  83 કેસ નોંઘાયા છે. ગાંઘીનગરમાં 8,  સાબરકાંઠામાં 4, રાજકોટમાં 9, સુરતમાં 36, મહેસાણામાં 10, વલસાડમાં 6,  જામનગરમાં 3, ભાવનગરમાં 3, નવસારીમાં 2, આણંદમાં 2, જૂનાગઢમાં 1, પંચમહાલમાં 1, ખેડામાં 1, દાહોદમાં 1, ગીર સોમનાથમાં 1 અને કચ્છમાં 6 નવા કેસ નોંધાયા છે. મીડિયા અહેવાલ મુજબ, રાજ્યમાં કુલ 2056 એક્ટિવ કેસ છે. હાલ  06 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા પર પહોંચ્યો છે. ગુજરાતમા છેલ્લા એક મહિનામાં જ કોરોનાથી 11 દર્દીના મોત થયા છે. કોરોનાને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 11060 લોકોના મોત થયા છે.

Related posts

ઈસુદાન ગઢવીનો સૌરાષ્ટ્રમાં પૂરજોશમાં પ્રચાર-પ્રસાર

Ahmedabad Samay

રક્ષાબંધન નિમિતે ખાનગી બસ સંચાલકોએ ભાડામાં વધારો કરી દીધો

Ahmedabad Samay

૧૭ જેલોમાં ૧૭૦૦ થી વધુ પોલીસ કાફલા સાથે વહેલી પરોઢ સુધી ચેકીંગ ચાલ્યુ

Ahmedabad Samay

સોમવાર બાદ ચોમાસાની આગાહી

Ahmedabad Samay

૩૧ ડિસેમ્બરની ન્યૂ યરની રાત્રી પાર્ટી ઉજવણી રદ્દ કરવાનો આદેશ પોલીસે આપ્યો

Ahmedabad Samay

જાણો આ સપ્તાહનો રાશિ ભવિષ્યફળ જ્યોતિષ આચાર્ય શ્રી નિમેશભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો