June 22, 2026
ગુજરાત

કાજલ હિન્દુસ્તાનીએ કોંગ્રેસ નેતા પર ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું કે કોંગ્રેસના એક નેતા તેમને ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યા છે

સામાજિક કાર્યકર્તા કાજલ હિન્દુસ્તાનીએ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ન્યાયની અપીલ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ગુજરાતમાં કોંગ્રેસના એક નેતા તેમને હત્યાની ધમકીઓ આપી રહ્યો છે,

કાજલ હિન્દુસ્તાનીએ કોંગ્રેસ નેતા પર ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું કે કોંગ્રેસના એક નેતા તેમને ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યો છે. “મારો ફોન નંબર વાયરલ કરવામાં આવ્યો છે અને મને સતત હેરાન કરવામાં આવે છે. મેં આ અંગે પુરાવા સાથે જામનગર એસપીને મળીને રજૂઆત કરી, પરંતુ પોલીસે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધી નથી,

આ અંગે પોલીસ પર નિષ્ક્રિયતાનો પણ આરોપ લગાવતા કાજલ હિન્દુસ્તાનીએ આક્ષેપ કર્યો કે જામનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઇએ ઘણા મહિનાઓથી તેમની ફરિયાદ પર કોઈ પગલાં લીધા નથી. “મેં વારંવાર પોલીસને રજૂઆત કરી, પરંતુ કોઈ સાંભળતું નથી. એક મહિલા તરીકે મને ન્યાય મળવો જોઈએ, પરંતુ હું હેરાનગતિનો શિકાર બની રહી છું,

કાજલ હિન્દુસ્તાનીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. “ગુજરાતમાં ગુનાખોરી વધી રહી છે, જે ચિંતાજનક છે. મેં હર્ષ સંઘવી સાથે વાત કરી અને ન્યાય માગ્યો છે. મહિલાઓની સુરક્ષા માટે પગલાં લેવા જોઈએ,

આ સમગ્ર મામલે પોલીસની નિષ્ક્રિયતાથી કાજલ હિન્દુસ્તાની આક્રોશિત થયા છે. તેમનું કહેવું છે કે જો ન્યાય નહીં મળે તો તેઓ વધુ ઉગ્ર પગલાં લેશે. આ ઘટનાએ રાજ્યમાં મહિલા સુરક્ષા અને પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે.

Related posts

મહારાષ્ટ્રમાં ૨૮ માર્ચથી રાતનો કર્ફ્યૂ લાગુ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય

Ahmedabad Samay

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભાવ વધારો,આજે ડીઝલ ૨૧ પૈસા તો પેટ્રોલ ૨૫ પૈસા મોંઘુ થયું

Ahmedabad Samay

ખંભાત નગરપાલિકામાં ભાજપમાં મોટું ભંગાણ પડ્યું,સત્તાપક્ષના 22 સભ્યમાંથી ભાજપના ઉપપ્રમુખ સહિત 8 કાઉન્સિલરે રાજીનામાં આપતાં ખળભળાટ. 

Ahmedabad Samay

હેલ્થનુ વિઝન પોરબંદર @ – ૨૦૪૭ તૈયાર કરવા તબીબોની ટીમ બનાવાશે

Ahmedabad Samay

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડની કુલ બેઠકો પર અત્યારે 652 ઉમેદવારો  ચૂંટણી મેદાનમાં

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા મકરસંક્રાંતિના પવિત્ર અવસર પર પોતાના ઘરના ધાબા ઉપર સાંજે સાત વાગે હનુમાન ચાલીસા વગાડવા જનતાને અપીલ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો