May 9, 2026
ગુજરાત

અમદાવાદ – રથયાત્રામાં સુરક્ષાને લઈને પોલીસની તડામારા તૈયારી, ડ્રોનથી સર્વેલન્સ

અમદાવાદમાં આગામી અષાઢી બીજના દિવસે રથયાત્રા કોટ વિસ્તારમાં નિકળશે. ત્યારે રથયાત્રાને લઈને તંત્ર દ્વારા તડમાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ક્રાઈમબ્રાન્ચ દ્વારા ડ્રોન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું. રથયાત્રા રુટ પર આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. ફૂટ પેટ્રોલિંગ દ્વારા શંકાસ્પદ હિલચાલ પર પોલીલ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવળશે.

રુટના થ્રીડી મેપિંગ સાથે હાઈટેક રીતે રથયાત્રા યોજવામાં આવશે. જેમાં દરેક સ્તરે તૈયારીઓ થઈ રહી છે ત્યારે સુરક્ષા, વ્યવસ્થાનું પણ વિશેષ રીતે ધ્યાન રાખવામાં આવશે. રથયાત્રાનો 22 કિમી જેટલો રુટ હોય છે ત્યારે આ રુટ પર થ્રીડી મેપિંગ પણ કરાશે આ સાથે હાઈટેક રથયાત્રા આ વખતે યોજવામાં આવશે.

અમદાવાદમાં મોટી સંખ્યામાં ભક્તિ ભાવ સાથે રથયાત્રાનું રંગેચંગે આયોજન કરવામાં આવે છે ત્યારે મંદિરથી સરસપુર તેમજ કોટ વિસ્તારમાં રથયાત્રા ભગવાન જગન્નાનથી નિકળે છે. ગુજરાત તેમજ દેશભરમાંથી ભાવી ભક્તો આ રથયાત્રામાં ભાગ લેતા હોય છે. આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું બારીકાઈથી ધ્યાન રાખવામાં આવે છે.  આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિયાલિટી ડ્રોનમેપિંગથી નજર રાખવામાં આવી રહી છે.  રથયાત્રામાં દર વખતે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તહેનાત રહે છે ત્યારે અત્યાધુનિક ટેકનોલોજી સાથે પોલીસના જવાનો આ વખતે પણ રથયાત્રા દરમિયાન સજ્જ જોવા મળશે.

Related posts

જૈનોના પ્રાઇવેટ ટ્રસ્ટ બંધ થવા જોઈએ અને સંઘને મજબૂત બનાવવા જોઈએ : હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

શ્રી ગણેશ સિનિયર સિટીઝન મંડળ દ્વારા સિટીઝન નું સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું.

Ahmedabad Samay

અમદાવાદ: આવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે, જળાભિષેક-ષોડશોપચાર પૂજા વિધી કરાશે

Ahmedabad Samay

કોરોના રસીને લઇ ૨૫ ડિસેમ્બરે આવી શકે છે ખુશખબરી

Ahmedabad Samay

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા “વીમાની ફરિયાદોના ઉકેલ” પર એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

TDS ભરવા માટે ટેકસપેયર્સ પાસે વધારે સમય હશે,૧૫ જુલાઇ સુધી ભરાશે TDS

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો