March 14, 2026
ગુજરાત

અમદાવાદ – રથયાત્રામાં સુરક્ષાને લઈને પોલીસની તડામારા તૈયારી, ડ્રોનથી સર્વેલન્સ

અમદાવાદમાં આગામી અષાઢી બીજના દિવસે રથયાત્રા કોટ વિસ્તારમાં નિકળશે. ત્યારે રથયાત્રાને લઈને તંત્ર દ્વારા તડમાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ક્રાઈમબ્રાન્ચ દ્વારા ડ્રોન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું. રથયાત્રા રુટ પર આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. ફૂટ પેટ્રોલિંગ દ્વારા શંકાસ્પદ હિલચાલ પર પોલીલ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવળશે.

રુટના થ્રીડી મેપિંગ સાથે હાઈટેક રીતે રથયાત્રા યોજવામાં આવશે. જેમાં દરેક સ્તરે તૈયારીઓ થઈ રહી છે ત્યારે સુરક્ષા, વ્યવસ્થાનું પણ વિશેષ રીતે ધ્યાન રાખવામાં આવશે. રથયાત્રાનો 22 કિમી જેટલો રુટ હોય છે ત્યારે આ રુટ પર થ્રીડી મેપિંગ પણ કરાશે આ સાથે હાઈટેક રથયાત્રા આ વખતે યોજવામાં આવશે.

અમદાવાદમાં મોટી સંખ્યામાં ભક્તિ ભાવ સાથે રથયાત્રાનું રંગેચંગે આયોજન કરવામાં આવે છે ત્યારે મંદિરથી સરસપુર તેમજ કોટ વિસ્તારમાં રથયાત્રા ભગવાન જગન્નાનથી નિકળે છે. ગુજરાત તેમજ દેશભરમાંથી ભાવી ભક્તો આ રથયાત્રામાં ભાગ લેતા હોય છે. આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું બારીકાઈથી ધ્યાન રાખવામાં આવે છે.  આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિયાલિટી ડ્રોનમેપિંગથી નજર રાખવામાં આવી રહી છે.  રથયાત્રામાં દર વખતે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તહેનાત રહે છે ત્યારે અત્યાધુનિક ટેકનોલોજી સાથે પોલીસના જવાનો આ વખતે પણ રથયાત્રા દરમિયાન સજ્જ જોવા મળશે.

Related posts

વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવીન સંશોધનોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત માં બીજા વાહ સાયન્સ લોરીએટ એવોર્ડ માટે નામાંકન શરૂ

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો, જાણો સાપ્તાહિક રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

રેલ્વેમંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય, ૧૨મેં થી શરૂ થશે ટ્રેન સેવા

Ahmedabad Samay

કઠવાડા ખાતે આવેલ ગેલેક્સી સ્પેશિયા ફ્લેટ ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક કાસ્ય મસાજનું આયોજન

Ahmedabad Samay

પોલીસ ગ્રેડ પે મામલે સરકારે 5 સભ્યોની ખાસ કમિટીની રચના કરી

Ahmedabad Samay

ગોધરાકાંડ ઉપર આધારીત ‘એકસીડન્‍ટ ઓર કોન્‍સ્‍પીરસી,ગોધરા’ (ચેપ્‍ટર-૧) ૧ માર્ચે થશે રીલીઝ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો