June 24, 2026
ગુજરાત

અમદાવાદ – રથયાત્રામાં સુરક્ષાને લઈને પોલીસની તડામારા તૈયારી, ડ્રોનથી સર્વેલન્સ

અમદાવાદમાં આગામી અષાઢી બીજના દિવસે રથયાત્રા કોટ વિસ્તારમાં નિકળશે. ત્યારે રથયાત્રાને લઈને તંત્ર દ્વારા તડમાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ક્રાઈમબ્રાન્ચ દ્વારા ડ્રોન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું. રથયાત્રા રુટ પર આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. ફૂટ પેટ્રોલિંગ દ્વારા શંકાસ્પદ હિલચાલ પર પોલીલ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવળશે.

રુટના થ્રીડી મેપિંગ સાથે હાઈટેક રીતે રથયાત્રા યોજવામાં આવશે. જેમાં દરેક સ્તરે તૈયારીઓ થઈ રહી છે ત્યારે સુરક્ષા, વ્યવસ્થાનું પણ વિશેષ રીતે ધ્યાન રાખવામાં આવશે. રથયાત્રાનો 22 કિમી જેટલો રુટ હોય છે ત્યારે આ રુટ પર થ્રીડી મેપિંગ પણ કરાશે આ સાથે હાઈટેક રથયાત્રા આ વખતે યોજવામાં આવશે.

અમદાવાદમાં મોટી સંખ્યામાં ભક્તિ ભાવ સાથે રથયાત્રાનું રંગેચંગે આયોજન કરવામાં આવે છે ત્યારે મંદિરથી સરસપુર તેમજ કોટ વિસ્તારમાં રથયાત્રા ભગવાન જગન્નાનથી નિકળે છે. ગુજરાત તેમજ દેશભરમાંથી ભાવી ભક્તો આ રથયાત્રામાં ભાગ લેતા હોય છે. આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું બારીકાઈથી ધ્યાન રાખવામાં આવે છે.  આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિયાલિટી ડ્રોનમેપિંગથી નજર રાખવામાં આવી રહી છે.  રથયાત્રામાં દર વખતે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તહેનાત રહે છે ત્યારે અત્યાધુનિક ટેકનોલોજી સાથે પોલીસના જવાનો આ વખતે પણ રથયાત્રા દરમિયાન સજ્જ જોવા મળશે.

Related posts

અમદાવાદને હવે નવા ૧૦૦૦ કોવિડ બેડ ઉપલબ્ધ થશે.

Ahmedabad Samay

પુરીબા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચશ્માં અને ટ્રાયસિકલ સાયકલ વિતરણ કરી અપંગો ને આત્મનિર્ભર કર્યા

Ahmedabad Samay

અમદાવાદ શહેરના મેયર તરીકે હિતેશ બારોટના નામની સત્તાવાર જાહેરાત,હિતેશ બારોટ સરકારી બંગલો અને ગાડી નહીં વાપરે

Ahmedabad Samay

શ્રી રાજપુત કરણી સેના મુંબઈએ યશરાજ ફિલ્મને અલ્ટીમેટમ આપ્યું

Ahmedabad Samay

પહેલગામ હુમલામાં મૃતક શૈલેષભાઈની પત્ની શિતલબેનએ જણાવ્યું હતું કે મને મારી સરકાર પર પુરેપુરો ભરોસો હતો

Ahmedabad Samay

જોઇન્ટ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરીના ફરજ નિષ્ઠા અંગે સીપી અને ગૃહ મંત્રાલય પણ ખુશ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો