March 26, 2026
રમતગમત

WTC Final: છેલ્લા 23 વર્ષમાં ઇગ્લેન્ડમાં પાંચ ભારતીય ઓપનર્સે ફટકારી સદી, શું શુભમન રચી શકશે ઇતિહાસ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચ લંડનના ઓવલ મેદાન પર રમાશે. આ મેદાન પર ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ કંઈ ખાસ રહ્યો નથી. ભારતે અહીં રમાયેલી 14 ટેસ્ટમાંથી માત્ર બે જ જીતી છે અને પાંચમાં હારનો સામનો કરવો પડ્યો છે. સાત ટેસ્ટ ડ્રો રહી છે. ઓસ્ટ્રેલિયા આ મેદાનમાં 38 ટેસ્ટ રમ્યું છે અને ટીમ સાતમાં જીત મેળવવામાં સફળ રહી છે. કાંગારૂઓને 17 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને 14 મેચ ડ્રો રહી હતી. આવી સ્થિતિમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે.

આ મેદાન પર ભારતીય ટીમનો રેકોર્ડ ભલે સારો ન હોય, પરંતુ ભારતીય ઓપનરોને આ મેદાન ખૂબ જ ગમે છે. વર્ષ 2000થી અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા 23 વર્ષમાં ભારતે ઓવલમાં કુલ છ સદી ફટકારી છે. આમાંથી ત્રણ સદી ભારતીય બેટ્સમેનોએ ઓપનિંગ વખતે ફટકારી છે. કેએલ રાહુલે આ મેદાન પર 2018માં, રાહુલ દ્રવિડે 2011માં અને રોહિત શર્માએ 2021માં સદી ફટકારી હતી. આ સિવાય દ્રવિડે મિડલ ઓર્ડરમાં રમતા સદી ફટકારી હતી, જ્યારે અનિલ કુંબલે અને રિષભ પંતે પણ ઓવલમાં સદી ફટકારી છે. રાહુલ ઈજાના કારણે ટીમનો ભાગ નથી, જ્યારે દ્રવિડ મુખ્ય કોચ તરીકે ટીમ સાથે હાજર રહેશે. આવી સ્થિતિમાં રોહિતની સાથે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા શુભમન ગિલને પણ આ ઐતિહાસિક યાદીમાં પોતાનું નામ ઉમેરવાની તક મળશે.

છેલ્લા 23 વર્ષમાં ઈંગ્લેન્ડમાં સદી ફટકારનારા ઓપનર બેટ્સમેનોની વાત કરીએ તો માત્ર પાંચ ભારતીય જ આવું કરી શક્યા છે. જેમાં કેએલ રાહુલ અને રાહુલ દ્રવિડે બે વખત સદી ફટકારી છે. આ સિવાય વીરેન્દ્ર સેહવાગ, મુરલી વિજય અને રોહિત શર્માએ પણ સદી ફટકારી છે. છેલ્લી વખત કેએલ રાહુલ અને રોહિત શર્માએ 2021માં ઈંગ્લેન્ડમાં સદી ફટકારી હતી. જો કે આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમવા ગયેલી ટીમમાં માત્ર રોહિત અને શુભમન જ ઓપનિંગ કરતા જોવા મળશે. શુભમન માટે આ વર્ષ શાનદાર રહ્યું છે, આવી સ્થિતિમાં તે પોતાનું ફોર્મ ચાલુ રાખવાનો પ્રયાસ કરશે અને બીજી સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવશે.

વર્ષ 2000 પછી ઈંગ્લેન્ડમાં સદી ફટકારનારા ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો રાહુલ દ્રવિડે આ સમયગાળા દરમિયાન સૌથી વધુ છ સદી ફટકારી છે. જ્યારે, વિરાટ કોહલી, રિષભ પંત અને કેએલ રાહુલે બે-બે સદી, અજીત અગરકર, સૌરવ ગાંગુલી, રવિન્દ્ર જાડેજા, અનિલ કુંબલે, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, વિરેન્દ્ર સેહવાગ, રોહિત શર્મા, સચિન તેંડુલકર અને મુરલી વિજયે એક-એક સદી ફટકારી છે. મૂકો આ વખતે પણ WTC ખિતાબ મેળવવાની જવાબદારી વિરાટ, પૂજારા, રહાણે અને રોહિત જેવા અનુભવી બેટ્સમેનથી સજેલી ભારતીય ટીમ પર રહેશે.

Related posts

કોવિડ-૧૯ ના કારણે રિયો ટેનિસ ટૂર્નામેન્ટ રદ

Ahmedabad Samay

PBKS Vs LSG: લખનઉના બે બોલરોએ પંજાબને હરાવ્યું, મોહાલીમાં લખનઉની જીતના આ રહ્યા કારણો

Ahmedabad Samay

IPL 2023: KKR સામે ઘરઆંગણે મળેલી હારથી RCB કેપ્ટન વિરાટ કોહલી નિરાશ, મેચ બાદ કહ્યું ક્યાં થઈ ભૂલ

Ahmedabad Samay

ઈટાલીના સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં મહેસાણાની દીકરી આશાબેન ઠાકોર અને દાહોદના પિન્કલબેન ચૌહાણે ફ્લોરબૉલ રમતમાં બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું

Ahmedabad Samay

WPL 2023: વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે ગુજરાતને 143 રનથી હરાવ્યું

Ahmedabad Samay

મહેન્‍દ્રસિંહ ધોની ટૂંક સમયમાં ૨૦૨૪ની આઇપીએલ માટેની નેટ પ્રેકિટસ શરૂ કરશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો