June 25, 2026
ગુજરાત

અમદાવાદ – વિશાલા પાસે જર્જરીત થયેલા શાસ્ત્રી બ્રિજનું 5.50 કરોડના ખર્ચે સમારકામ કરાશે

અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજનું સમારકામ કરવામાં આવશે. આ બ્રિજ જર્જરીત થતા તેની ગુણવત્તાને ધ્યાનમાં રાખી 5.50 કરોજના ખર્ચે બ્રિજનું રીપેરીંગ કામ કરવામાં આવશે. એક વર્ષથી આ બ્રિજ જર્જરીત હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનું રીપેરીંગ કામ કરવામાં નહોંતું આવ્યું. આ જોખમી શાસ્ત્રી બ્રિજ નેશનલ હાઈવે ઓથોરિટીની સત્તા હેઠળ આવે છે. વિશાલા બ્રિજની જર્જરીત સ્થિતિ સામે આવી હતી માટે આ બ્રિજમાં પણ યોગ્ય સમારકામ વહેલી તકે થાય તે માટે આ રકમ ફાળવાશે.

અમદાવાદના વિશાલા બ્રિજની હાલત જર્જરીત જોવા મળી હતી. 10 મીટરની રેલિંગનો ભાગ બ્રિજનો તૂટી ચૂક્યો છે.  આ બ્રિજ પર પણ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે ત્યારે મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે તો નવાઈ નહીં. માટે આ બ્રિજની સ્થિતિ જોઈને તંત્રએ બ્રિજનું રીપેરીંગ કરવાનું નક્કી કર્યું છે. બ્રિજ પરની આ સ્થિતિને જોતા અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પણ કામગિરીને લઈને સવાલો ઉઠાવ્યા હતા.

વિશાલા બ્રિજ પર મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. ત્યારે બ્રિજ પરના કોંક્રિટના બાંધકામોમાં મોટા ગાબડા પડી ગયા છે. અગાઉ સામાન્ય મરામત થઈ હતી પરંતુ બ્રિજના બ્લોકમાં ખાડા પડી જવા જેવી સ્થિતિ પણ નિર્માણ થઈ છે. વિશાલા બ્રિજનો રેલિંગનો ભાગ પણ તૂટી ગયો છે. માટે હવે આ બ્રિજનું સમારકામ કરવાનું નક્કી કરાયું છે.  જર્જરીત થતા તેની ગુણવત્તાને ધ્યાનમાં રાખી 5.50 કરોજના ખર્ચે બ્રિજનું રીપેરીંગ કામ કરવામાં આવશે.

Related posts

અમદાવાદ: બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ પહોંચ્યા, એરપોર્ટ-અમરાઈવાડીમાં ભવ્ય સ્વાગત, વટવામાં કથામાં હાજરી આપશે

admin

નો પાર્કિંગ ફક્ત આમ જનતા માટે

Ahmedabad Samay

અમદાવાદ – કોર્પોરેશન દ્વારા બીઆરટીએ રુટ પરના વાહનો તેમજ દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો

Ahmedabad Samay

બેન્ક ઓફ બરોડામાં હવે ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ દ્વારા ૩૦ મિનિટમાં હોમ લોન, કાર લોન

Ahmedabad Samay

અમેરિકા જવાની લાલશમાં જીવ ગુમાવ્યું,મેક્સિકો-અમેરિકાની દીવાલ કુદી જતા યુવકનું થયું મૃત્યુ, પત્ની અને ત્રણ વર્ષનું બાળક વિદેશમાં રજળ્યું

Ahmedabad Samay

લગ્ન અને શુભ પ્રશનગો પર આજથી લાગ્યો વિરામ, કમુહર્તા થયા શરૂ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો