March 25, 2026
ગુજરાત

અમદાવાદ – વિશાલા પાસે જર્જરીત થયેલા શાસ્ત્રી બ્રિજનું 5.50 કરોડના ખર્ચે સમારકામ કરાશે

અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજનું સમારકામ કરવામાં આવશે. આ બ્રિજ જર્જરીત થતા તેની ગુણવત્તાને ધ્યાનમાં રાખી 5.50 કરોજના ખર્ચે બ્રિજનું રીપેરીંગ કામ કરવામાં આવશે. એક વર્ષથી આ બ્રિજ જર્જરીત હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનું રીપેરીંગ કામ કરવામાં નહોંતું આવ્યું. આ જોખમી શાસ્ત્રી બ્રિજ નેશનલ હાઈવે ઓથોરિટીની સત્તા હેઠળ આવે છે. વિશાલા બ્રિજની જર્જરીત સ્થિતિ સામે આવી હતી માટે આ બ્રિજમાં પણ યોગ્ય સમારકામ વહેલી તકે થાય તે માટે આ રકમ ફાળવાશે.

અમદાવાદના વિશાલા બ્રિજની હાલત જર્જરીત જોવા મળી હતી. 10 મીટરની રેલિંગનો ભાગ બ્રિજનો તૂટી ચૂક્યો છે.  આ બ્રિજ પર પણ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે ત્યારે મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે તો નવાઈ નહીં. માટે આ બ્રિજની સ્થિતિ જોઈને તંત્રએ બ્રિજનું રીપેરીંગ કરવાનું નક્કી કર્યું છે. બ્રિજ પરની આ સ્થિતિને જોતા અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પણ કામગિરીને લઈને સવાલો ઉઠાવ્યા હતા.

વિશાલા બ્રિજ પર મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. ત્યારે બ્રિજ પરના કોંક્રિટના બાંધકામોમાં મોટા ગાબડા પડી ગયા છે. અગાઉ સામાન્ય મરામત થઈ હતી પરંતુ બ્રિજના બ્લોકમાં ખાડા પડી જવા જેવી સ્થિતિ પણ નિર્માણ થઈ છે. વિશાલા બ્રિજનો રેલિંગનો ભાગ પણ તૂટી ગયો છે. માટે હવે આ બ્રિજનું સમારકામ કરવાનું નક્કી કરાયું છે.  જર્જરીત થતા તેની ગુણવત્તાને ધ્યાનમાં રાખી 5.50 કરોજના ખર્ચે બ્રિજનું રીપેરીંગ કામ કરવામાં આવશે.

Related posts

ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન, પેઈડ વેક્સીનેશન પર કોંગ્રેસના પ્રહાર,વેક્સિનના ૦૧ હજાર રૂપિયા લેવાતા ચાર્જ અયોગ્ય

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા જનસેવા દિવસ ઉજવવામાં આવશે અને એન્ડ્રોઇડ એપ લોન્ચ કરાશે

Ahmedabad Samay

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં વિકાસના કાર્ય પ્રગતિપર

Ahmedabad Samay

આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજવા માં આવ્યું

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ, રામ રાજ્ય પ્રજા દુખીના દ્રશ્યો

Ahmedabad Samay

NEWS UPDATE

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો