January 19, 2025
ગુજરાત

અમદાવાદ – વિશાલા પાસે જર્જરીત થયેલા શાસ્ત્રી બ્રિજનું 5.50 કરોડના ખર્ચે સમારકામ કરાશે

અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજનું સમારકામ કરવામાં આવશે. આ બ્રિજ જર્જરીત થતા તેની ગુણવત્તાને ધ્યાનમાં રાખી 5.50 કરોજના ખર્ચે બ્રિજનું રીપેરીંગ કામ કરવામાં આવશે. એક વર્ષથી આ બ્રિજ જર્જરીત હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનું રીપેરીંગ કામ કરવામાં નહોંતું આવ્યું. આ જોખમી શાસ્ત્રી બ્રિજ નેશનલ હાઈવે ઓથોરિટીની સત્તા હેઠળ આવે છે. વિશાલા બ્રિજની જર્જરીત સ્થિતિ સામે આવી હતી માટે આ બ્રિજમાં પણ યોગ્ય સમારકામ વહેલી તકે થાય તે માટે આ રકમ ફાળવાશે.

અમદાવાદના વિશાલા બ્રિજની હાલત જર્જરીત જોવા મળી હતી. 10 મીટરની રેલિંગનો ભાગ બ્રિજનો તૂટી ચૂક્યો છે.  આ બ્રિજ પર પણ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે ત્યારે મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે તો નવાઈ નહીં. માટે આ બ્રિજની સ્થિતિ જોઈને તંત્રએ બ્રિજનું રીપેરીંગ કરવાનું નક્કી કર્યું છે. બ્રિજ પરની આ સ્થિતિને જોતા અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પણ કામગિરીને લઈને સવાલો ઉઠાવ્યા હતા.

વિશાલા બ્રિજ પર મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. ત્યારે બ્રિજ પરના કોંક્રિટના બાંધકામોમાં મોટા ગાબડા પડી ગયા છે. અગાઉ સામાન્ય મરામત થઈ હતી પરંતુ બ્રિજના બ્લોકમાં ખાડા પડી જવા જેવી સ્થિતિ પણ નિર્માણ થઈ છે. વિશાલા બ્રિજનો રેલિંગનો ભાગ પણ તૂટી ગયો છે. માટે હવે આ બ્રિજનું સમારકામ કરવાનું નક્કી કરાયું છે.  જર્જરીત થતા તેની ગુણવત્તાને ધ્યાનમાં રાખી 5.50 કરોજના ખર્ચે બ્રિજનું રીપેરીંગ કામ કરવામાં આવશે.

Related posts

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો, જાણો સાપ્તાહિક રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

હું રસ્તા પર લડતો હતો ત્યારે મને લાગતું હતું કે કાયદો બનાવવો સરળ કામ છે પરંતુ… – હાર્દિક

Ahmedabad Samay

કઠવાડામાં આવેલ શિવા ઇન્ટરનેશનલ પ્રિ-પ્રાઇમરી સ્કૂલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

ગુજરાતમાંથી હાલ ઠંડી જવાની નથી. બેવડી ઋતુનો અનુભવ હજી થોડા દિવસ થશે.

Ahmedabad Samay

અમદાવાદનું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે ‘ડમ્પિંગ સાઇટ’ ઉપર નિર્માણ પામ્યુ

Ahmedabad Samay

ગુજરાતમાં કમળ ખીલ્યું,ડબલ એન્‍જીન સરકારનું સુત્ર વ્‍હેતુ મુકયુ હતું જેને લોકોએ વધાવી ભાજપને ખોબલે ખોબલે મત આપ્‍યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો