August 8, 2026
ગુજરાત

અમદાવાદ – રાત્રિ દરમિયાન પોલીસે દારુ, ડ્રગ્સ મામલે સિંધુભવન રોડ, થલતેજ અને એસજી હાઈવે પર ઓપરેશન હાથ ધર્યું

તથ્ય પટેલે કરેલા અકસ્માતની ઘટના બાદ ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે. પોલિસ, એસઓજી દ્વારા આ મામલે હવે રાત્રિ દરમિયાન સઘન ચેકિંગ હાથ ધરાયું છે. પોલીસે દારુ, ડ્રગ્સ મામલે સિંધુભવન રોડ, થલતેજ અને એસજી હાઈવે પર તપાસ તેજ કરી દીધી છે. રાત્રે નબીરાઓ પુરપાટ ઝડપે ગાડીઓ ચલાવતા હોય છે. મોડી રાત સુધી અડ્ડો જમાવીને બેઠા હોય છે ત્યારે આ મામલે નશીલા પદાર્થોનું સેવન પણ કાફે આસપાસના વિસ્તારોમાં કરતા હોય છે ત્યારે આ મામલે તપાસ તેજ કરાઈ છે.

પોલીસ એક્શન મોડમાં નજરે પડી છે. સિંધુભવન રોડ, થલતેજ અને એસજી હાઈવે પર ઓપરેશન હાથ ધર્યું છે. ડ્રગ્સ અને દારુના સેવન જેવી પ્રવૃત્તિઓ સામે ચેકિંગ કરવામાં આવ્યું છે. એસઓજી, ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમોએ કાફે પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

ઓવરસ્પીડ વાહનો, ગાડી પર કાળા કાચ મામલે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.રાત્રે મોડે સુધી યુવાનો બેસી રહેતા હોય છે ત્યાં તપાસ તેજ કરવામાં આવી રહી છે. ડાર્ક ફિલમ વાળી કારની પણ તપાસ તેજ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક અકસ્માતમાં 9 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે આ મામલે તપાસ તેજ પોલીસ દ્વારા કરાઈ છે. તથ્ય પટેલને 3 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. આ ગોઝારા અકસ્માતની ઘટના બાદ પોલીસ પણ હવે એક્શનમાં નજરે પડી રહી છે અને આ પ્રકારની ઘટના ફરીવાર ન બને તે પ્રકારે સઘન ચેકિંગ હાથ ધરાયું છે.

Related posts

ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા, ગૃહ મંત્રી અમિત શાહ અને CM ભુપેન્દ્ર પટેલ ૧૪૬મી રથયાત્રામાં ઉપસ્થિત રહ્યા

Ahmedabad Samay

નરોડા વિસ્તારમા એક યુવકે મંગેતરના માનસિકત્રાસથી આપઘાત કર્યો

Ahmedabad Samay

‛ટચ ધ સ્કાય’ દ્વારા જનતા માટે મહા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું. 

Ahmedabad Samay

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ મોટુ નિવેદન આપ્યું

Ahmedabad Samay

સુભાષબ્રિજ બાદ હવે ઈન્કમટેક્સ બ્રિજ પર લાગેલા જોઇન્ટ તૂટી જતા બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો

Ahmedabad Samay

રક્ષાબંધન નિમિતે ખાનગી બસ સંચાલકોએ ભાડામાં વધારો કરી દીધો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો