February 5, 2026
ગુજરાત

આ વર્ષે પણ નહીં થાય ૩૧ ડિસેમ્બરની,વધતા સંક્રમણના કારણે પાર્ટીક્લબ મેનેજમેન્ટે લીધ નિર્ણય

દર વર્ષની જેમ નવા વર્ષને આવકારવા માટે યોજાતી પાર્ટીઓ આ વર્ષે યોજવી કપરી બની જશે. ઓમિક્રાૅનના આતંક વચ્ચે અમદાવાદમાં ક્લબોમાં ૩૧ ડિસેમ્બરની પાર્ટીનું આયોજન નહીં થાય.

                             અમદાવાદમાં રાજપથ, કર્ણાવતી સહિતના કલબોનો મોટો નિર્ણય લીધો છે ઓમિક્રોન વાયરસને પગલે ક્લબ મેનેજમેન્ટે તમામ આયોજનો કર્યા રદ્દ આ અંગે વાતચીત કરતા રાજપથ કબલનાં પ્રેસિડેન્ટ જગદીશ પટેલે જણાવ્યું કે ક્લબ મેનેજમેન્ટ દ્વારા ઓમિક્રોનની પરિસ્થિતિમાં ભીડ ભેગી કરવી એ યોગ્ય નથી. ક્લબ દ્વારા નવરાત્રીનું આયોજન પણ નહોતું કરવામાં આવેલું અને હવે ૩૧જં ની પાર્ટી પણ નહિ થાય. વાઇરસની ઘાતકતાને કારણે વધારે જીવ જાય એ ક્લબ મેનેજમેન્ટ નહિ ઇચ્છે,                                 કર્ણાવતી ક્લબનાં પ્રેસિડેન્ટનાં જણાવ્યું પ્રમાણે ઇવેન્ટ યોજાય તો ક્લબ સિવાય બહારની ગેસ્ટ એન્ટ્રી કરવી પડે જે યોગ્ય નથી એટલા માટે આ પ્રકાર નું આયોજન શક્ય નથી.

કોરોનાકાળની કપરી પરિસ્થિતિને ધ્યાને રાખતા અમદાવાદની જાણીતી ક્લબોએ મોટો નિર્ણય લીધો છે. સતત બીજા વર્ષે નહીં થાય ૩૧ ડિસેમ્બરની પાર્ટીનું આયોજન મોકૂફ રાખવાનું નક્કી થયું છે. રાજપથ, કર્ણાવતી સહિતની અમદાવાદની કલબોમાં થર્ટી ફસ્ટ પાર્ટીનું આયોજન નહીં કરે.

વધતા કોરોના સંક્રમણને લઇ ક્લબ મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે. ગત વર્ષ બીજી લહેર તો આ વર્ષ ઓમિક્રોન વાયરસને પગલે નવા વર્ષની ક્લબોમાં થતી પાર્ટીઓ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

New up 01

Related posts

અમદાવાદમાં હાટકેશ્વર બ્રીજ મામલે સેશન્સ કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી

Ahmedabad Samay

અમદાવાદના માણેકચોકની ઘાંચીની પોળ પાસે એક મકાન ધરાશાયી,

Ahmedabad Samay

પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતી માટેની પરીક્ષા માટે બોર્ડ દ્વારા ૦૬ માર્ચ ૨૦૨૨ તારીખ જાહેરાત કરવામાં આવી

Ahmedabad Samay

“ટચ ધ સ્કાય” અને અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ  દ્વારા શિક્ષણ માટે “મફતમાં નોટબુક”નું વિતરણ કરાયુ

Ahmedabad Samay

અમદાવાદમાં ચોમાસા પહેલા શિવરંજની ચાર રસ્તા પર મોટો ભૂવો, અત્યાર સુધી 19 ભૂવા પડી ગયા

Ahmedabad Samay

ધો. ૧૦-૧૨ પુરક પરીક્ષાનું પરિણામ ૧૨ વાગ્યે જાહેર કરવામાં આવશે, વોટ્સપ પર પણ જોઈ શકાશે રિઝલ્ટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો