May 9, 2026
દેશ

જમ્મુ-કાશ્મીરમાં સર્જાયો નવો ઈતિહાસ! શ્રીનગરમાં 3 દાયકા બાદ નીકળ્યું મોહરમનું જુલુસ

વર્ષો પછી, જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરના લાલ ચોક ખાતે મોહરમનું જુલૂસ નીકળ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીર પ્રશાસને લગભગ 3 દાયકા પછી લાલચોક રોડ પર મોહરમ જુલૂસ કાઢવાની મંજૂરી આપી હતી. જુલૂસ કાઢવાની મુસ્લિમ સમુદાયની આ માંગ લાંબા સમયથી પડતર હતી. લાંબી રાહ જોયા બાદ પ્રશાસને આ વર્ષે 8મી મોહરમના જુલૂસને પરંપરાગત રૂટ પરથી કાઢવાની માંગણી સ્વીકારી લીધી. આજે સવારે 6 થી 8 દરમિયાન ઝુલુસ કાઢવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો સામેલ થયા.

હજારો બાળકો સામેલ થયા

જુલૂસમાં ખાસ કરીને નવી પેઢીના બાળકો હજારોની સંખ્યામાં જોડાયા હતા. જણાવી દઈએ કે આ બાળકોએ અત્યાર સુધી આ શોક જુલુસ જોયું ન હતું. જુલૂસને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી અને વિવિધ સ્થળોએ સુરક્ષા દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. સરકારના આ મોટા નિર્ણયને જોઈને શિયા સમુદાયના લોકો ખૂબ જ ખુશ થયા અને તેઓએ LG પ્રશાસનનો આભાર માન્યો.

એલજી પ્રશાસને કેટલીક શરતો રાખી હતી

એલજી પ્રશાસને જુલુસ કાઢવા માટે કેટલીક શરતો પણ મૂકી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, જુલુસ દરમિયાન કોઈપણ પ્રકારના રાષ્ટ્રવિરોધી નારેબાજી થવી જોઈએ નહીં અને ઈસ્લામિક ધ્વજ સિવાય અન્ય કોઈ ધ્વજ દેખાવો ન જોઈએ. એલજી પ્રશાસનના આ નિર્ણયને સ્વીકારીને શિયા બરાદરીના લોકોએ ભારે ઉત્સાહ સાથે આ જુલુસ કાઢ્યું હતું. જુલુસમાં ન તો કોઈ રાષ્ટ્રવિરોધી નારા લગાવવામાં આવ્યા કે ન તો કોઈ અન્ય ધ્વજ દેખાયો. જુલુસને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે ટ્રાફિક એડવાઈઝરી પણ જારી કરી હતી.

1990માં જુલુસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો

જણાવી દઈએ કે 1990માં સરકારે આ 8મી મોહરમના જુલૂસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પ્રતિબંધ પછી, લોકો નાના જૂથોમાં જુલુસ કાઢવાનો પ્રયાસ કરતા હતા, જેના કારણે પોલીસે કડક કાર્યવાહી કરવી પડી હતી. એટલું જ નહીં, આ પ્રસંગે શ્રીનગરના ઘણા વિસ્તારોમાં પ્રતિબંધો લગાવવા પડ્યા હતા, પરંતુ આજે એવું કંઈ જોવા મળ્યું ન હતું. લોકોએ ઉત્સાહ સાથે આજનું જુલુસ કાઢ્યું અને સરકારનો આભાર પણ માન્યો.

અનેક રાઉન્ડની વાતચીત બાદ પરવાનગી મળી

જણાવી દઈએ કે શિયા સમુદાય લાંબા સમયથી શ્રીનગરના ગુરુ બજારથી દલગેટ સુધીના પરંપરાગત માર્ગ પર 8મી મોહરમનું જુલૂસ કાઢવાની માંગ કરી રહ્યો હતો. કાશ્મીરના ડિવિઝનલ કમિશનર વિજય કુમાર બિધુરીએ કહ્યું કે શિયા ભાઈઓની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે જુલુસને  મંજૂરી આપવાનો નિર્ણય લીધો. વહીવટીતંત્રે કહ્યું કે પ્રવર્તમાન શાંતિપૂર્ણ વાતાવરણને કારણે જુલુસ કાઢવાની પરવાનગી આપવામાં કોઈ સમસ્યા નથી. તમામ જૂથોના શિયા મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિઓ અને ગુરબજારની સ્થાનિક સમિતિ સાથે અનેક રાઉન્ડની વાટાઘાટો બાદ વહીવટીતંત્રને શાંતિપૂર્ણ કાર્યક્રમની ખાતરી આપવામાં આવી હતી.

જુલુસ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

વહીવટીતંત્ર દ્વારા જુલુસને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી હતી. એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ગુરુબજારથી નીકળેલા રૂટ સિવાય કોઈને પણ વ્યક્તિગત અથવા સામૂહિક રીતે કોઈ પણ જુલુસ કાઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આદેશનું ઉલ્લંઘન કરનાર સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. ગુરુવારે કામકાજનો દિવસ હોવાથી અને સામાન્ય લોકોને પડતી અગવડતાને ધ્યાનમાં રાખીને શોભાયાત્રાનો સમય સવારે 6 થી 8 આપવામાં આવ્યો હતો. અપેક્ષા મુજબ, ગુરુવારે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો.

Related posts

વડાપ્રધાન મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં મોટી ખામી

Ahmedabad Samay

વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનો પ્રથમ તબક્કો આજે સાંજે સમાપ્ત

Ahmedabad Samay

સતારાના રામભાઉ બોડક દરોજજ ખાય છે ૨૫૦ ગ્રામ પથ્થર, લોકો તેમને પથ્થરવાળા બાબા બોલાવે છે.

Ahmedabad Samay

શ્રીલંકા સામે એશિયા કપ 2023ની ફાઇનલમાં ભારતે શાનદાર જીત મેળવી

Ahmedabad Samay

વોટ્સએપ લાવી રહ્યું છે નવા ત્રણ ફીચર્સ

Ahmedabad Samay

જમ્મુ કશ્મીરના કુલગામમાં સેના અને આંતકીઓ વચ્ચે અથડામણમાં બે સેનાના જવાન શહીદ થયા, ૧૦ સૈનિકો ઘાયલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો