March 10, 2026
જીવનશૈલીદેશ

આ વખતે રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયાએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, EMI માં કોઈજ ફરક નહિ પડે

આ વખતે રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયાએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. ગવર્નર સંજય મલ્‍હોત્રાએ રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયાની નાણાકીય નીતિ સમિતિના નિર્ણયોની જાહેરાત કરી. કેન્‍દ્રીય બજેટ ૨૦૨૬ અને તાજેતરના ભારત-અમેરિકા વેપાર કરાર પછી આ પહેલી નીતિ સમીક્ષા છે, જેના પર દલાલ સ્‍ટ્રીટ અને નાણાકીય જગત દ્વારા નજીકથી નજર રાખવામાં આવી છે. RBI એ આ વખતે વ્‍યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી અને યથાવત સ્‍થિતિ જાળવી રાખી છે. RBI ગવર્નર સંજય મલ્‍હોત્રાએ જાહેરાત કરી કે રેપો રેટ ૫.૨૫ ટકા પર સ્‍થિર રહેશે. આ નિર્ણયને કારણે, લોન વ્‍યાજ દર પણ યથાવત રહેશે, અને ગ્રાહકોને કોઈ રાહત મળશે નહીં. દેશની અર્થવ્‍યવસ્‍થા અંગે, સંજય મલ્‍હોત્રાએ કહ્યું કે ભારતની અર્થવ્‍યવસ્‍થા અને વળદ્ધિ હાલમાં મજબૂત સ્‍થિતિમાં છે. તેમણે જણાવ્‍યું હતું કે દેશમાં ફુગાવો નિયંત્રણમાં છે. RBI ગવર્નરે નાણાકીય વર્ષ ૨૦૨૭ ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ફુગાવાનો અંદાજ ૩.૯ ટકાથી વધારીને ૪ ટકા કર્યો છે. દરમિયાન, બીજા ત્રિમાસિક ગાળા માટે ફુગાવાનો અંદાજ ૪ ટકાથી વધારીને ૪.૨ ટકા કરવામાં આવ્‍યો છે.

ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ નાણાકીય વર્ષ ૨૭ ના પહેલા અને બીજા ત્રિમાસિક ગાળા માટે ફુગાવાનો અંદાજ વધારીને અનુક્રમે ૪% અને ૪.૨% કર્યો છે, જે ફુગાવામાં તીવ્ર ઘટાડાની અગાઉની અપેક્ષાઓથી અલગ થવાનો સંકેત આપે છે.

આ ફેરફાર MPC ની ત્રણ દિવસીય નીતિ સમીક્ષાના અંતે આવ્‍યો છે, જેમાં કેન્‍દ્રીય બેંકે રેપો રેટ ૫.૨૫% પર યથાવત રાખ્‍યો હતો. આ પગલું સૂચવે છે કે ય્‍ગ્‍ત્‍ ફુગાવાના અંદાજ અંગે વધુ સાવધ બની રહ્યું છે, ભલે તે વ્‍યાજ દરો પર સ્‍થિર વલણ જાળવી રાખે છે. RBI ગવર્નર સંજય મલ્‍હોત્રાએ જણાવ્‍યું હતું કે તાજેતરના સોદાઓએ વળદ્ધિનો અંદાજ સકારાત્‍મક રાખ્‍યો છે.

RBI ગવર્નરે તેમના નાણાકીય નીતિ ભાષણની શરૂઆત એમ કહીને કરી હતી કે વૈશ્વિક અનિヘતિતાઓ છતાં ભારતનું અર્થતંત્ર મજબૂત સ્‍થિતિમાં છે. તેમણે જણાવ્‍યું હતું કે વર્તમાન ડેટા સૂચવે છે કે દેશની આર્થિક વળદ્ધિ ગતિ મજબૂત રહે છે. સ્‍થાનિક માંગ અને આર્થિક પ્રવળત્તિ સંબંધિત સૂચકાંકો હજુ પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે. ગવર્નરના મતે, વર્તમાન વળદ્ધિ ગતિ ચાલુ રહેવાની શકયતા છે. આનો અર્થ એ છે કે બાહ્ય પડકારો છતાં, નજીકના ગાળામાં ભારતીય અર્થતંત્ર માટે RBIનો અંદાજ સકારાત્‍મક રહેશે.

RBI ની નાણાકીય નીતિ બેઠક દર બે મહિને યોજાય છે. છેલ્લી બેઠક ડિસેમ્‍બર ૨૦૨૫ માં યોજાઈ હતી. આ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬ ની પ્રથમ નાણાકીય નીતિ બેઠક છે. આગામી બેઠક એપ્રિલમાં યોજાશે. વૈશ્વિક આર્થિક અનિヘતિતા અને ટેરિફ યુદ્ધો વચ્‍ચે આર્થિક વિકાસને ટેકો આપવા માટે RBI સતત રેપો રેટમાં ઘટાડો કરી રહી છે. આ MPC બેઠક એક નિર્ણાયક સમયે આવી રહી છે, કારણ કે સ્‍થાનિક અને વૈશ્વિક સ્‍તરે ઘણા મહત્‍વપૂર્ણ વિકાસ ચાલી રહ્યા છે. ભારતે તાજેતરમાં તેનું બજેટ રજૂ કર્યું છે અને ભારત-અમેરિકા વેપાર સોદો પૂર્ણ કર્યો છે, જેની અર્થતંત્ર પર અસર થઈ શકે છે.

SBI ના એક અહેવાલમાં જણાવાયું હતું કે RBI આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરે. અહેવાલમાં કહેવામાં આવ્‍યું છે કે વૈશ્વિક અને સ્‍થાનિક જોખમો, વધતી જતી બોન્‍ડ યીલ્‍ડ, રૂપિયાની અસ્‍થિરતા અને આંતરરાષ્‍ટ્રીય અનિヘતિતાને ધ્‍યાનમાં રાખીને, RBI હાલ માટે સાવચેતીભર્યું વલણ અપનાવે તેવી શકયતા છે. પરિણામે, અગાઉની નીતિમાં છૂટછાટ છતાં, આ વખતે વ્‍યાજ દરો યથાવત રહેવાની શકયતા છે.

Related posts

આજ તકના વરિષ્ઠ પત્રકાર રોહિત સરદાના નું દુઃખદ નિધન

Ahmedabad Samay

શું આપ જાણો છો સૂવાનો અને જાગવાનો યોગ્‍ય સમય કયો છે?

Ahmedabad Samay

કિડની સંપૂર્ણપણે નુકસાન થાય તે પહેલાં આપે છે આ સંકેતો! જાણો માહિતી

Ahmedabad Samay

પુલવામાના મુખ્ય આરોપી લંબુ ઉર્ફે અદનાન સહિત બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા

Ahmedabad Samay

મણિપુરમાં બનેલ ઘટનાની તમામ માહિતી,એક આરોપીની થઇ ધરપકડ,PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

Ahmedabad Samay

૧૪ જાન્યુઆરીએ વિદ્યુત જામવાલ-શ્રુતિ હાસન અભિનીત ફિલ્મ પાવર રિલીઝ થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો