June 24, 2026
ગુજરાત

અમદાવાદ – આજથી ગાંધીગ્રામ ભાવનગર દૈનિક સમર સ્પેશિયલ ટ્રેનને 3 મહિના લંબાવાઈ

અમદાવાદથી ભાવનગર અને ભાવનગરથી ગાંધીગ્રામ ટ્રેનની ટ્રીપને 90 દિવસ માટે લંબાવવામાં આવી છે. આ સ્પેશિયલ સમર ટ્રેન અગાઉ ઉનાળામાં ચાલતી હતી જે ફરીથી લંબાવવામાં આવતા મુસાફરો તેની મુસાફરી નિર્ધારીત સમય મુજબ આગામી 90 દિવસ સુધી કરી શકશે.

અમદાવાદથી ભાવનગર જવાવાળા મુસાફરો માટે આ સારા સમાચાર છે. ખાસ કરીને આ રુટ પર પેસેન્જરોની સંખ્યા જોવા મળતી હોય છે. તેમાં પણ વીકેન્ડમાં સંખ્યા વધું હોય છે. ત્યારે પશ્ચિમ રેલ્વે દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દૈનિક આ રુટ પર સ્પેશિયલ ટ્રેન આજથી 3 મહિના સુધી ચાલશે. સમરના સ્થાને હવે મોન્સુન સિઝનમાં પણ આગામી 90 દિવસ ટ્રેનમાં મુસાફરી કરી શકાશે.

આ સમયગાળામાં ટ્રેનનો રહેશે સમય
સવારે 6.35 વાગે અમદાવાદથી ઉપડે છે અને ભાવનગર ટર્મિનસ પર 11.15 કલાકે પહોંચે છે.
સાંજે 5 વાગે આ ટ્રેન ભાવનગરથી ઉપડી 9.40એ અમદાવાદ ગાંધીગ્રામ સ્ટેશન પર પહોંચે છે.

આ રુટની ટ્રેનો લંબાવવામાં આવી 
મદુરાઈ – ઓખા હવે 29 સપ્ટેમ્બર સુધી ચાલશે,
ગાંધીનગર વારાણસી સાપ્તાહીક એક્સપ્રેક્સ ટ્રેનની 5 ટ્રીપો 2 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી રદ રહેશે.

Related posts

શ્રી મહેશસિંહ કુશવાહને જન્મદિનની હાર્દિક શુભેચ્છા

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કેન્સર તપાસ અને સારવાર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

સિનિયર મોસ્ટ IAS ગુરૂપ્રસાદ મોહપાત્રનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

પંચાણું વર્ષ ની ઉંમર ના હેમકુંવર બા કોરોના ને માત આપી

Ahmedabad Samay

કુબેરનગરના કોર્પોરેટર નિકુલસિંહ તોમરે કેન્ડલમાર્ચ યોજી CDS બિપિન રાવતને આપી શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જોર કર્યું 8 સીટો કબ્જે કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો