May 10, 2026
ગુજરાત

અમદાવાદ – આજથી ગાંધીગ્રામ ભાવનગર દૈનિક સમર સ્પેશિયલ ટ્રેનને 3 મહિના લંબાવાઈ

અમદાવાદથી ભાવનગર અને ભાવનગરથી ગાંધીગ્રામ ટ્રેનની ટ્રીપને 90 દિવસ માટે લંબાવવામાં આવી છે. આ સ્પેશિયલ સમર ટ્રેન અગાઉ ઉનાળામાં ચાલતી હતી જે ફરીથી લંબાવવામાં આવતા મુસાફરો તેની મુસાફરી નિર્ધારીત સમય મુજબ આગામી 90 દિવસ સુધી કરી શકશે.

અમદાવાદથી ભાવનગર જવાવાળા મુસાફરો માટે આ સારા સમાચાર છે. ખાસ કરીને આ રુટ પર પેસેન્જરોની સંખ્યા જોવા મળતી હોય છે. તેમાં પણ વીકેન્ડમાં સંખ્યા વધું હોય છે. ત્યારે પશ્ચિમ રેલ્વે દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દૈનિક આ રુટ પર સ્પેશિયલ ટ્રેન આજથી 3 મહિના સુધી ચાલશે. સમરના સ્થાને હવે મોન્સુન સિઝનમાં પણ આગામી 90 દિવસ ટ્રેનમાં મુસાફરી કરી શકાશે.

આ સમયગાળામાં ટ્રેનનો રહેશે સમય
સવારે 6.35 વાગે અમદાવાદથી ઉપડે છે અને ભાવનગર ટર્મિનસ પર 11.15 કલાકે પહોંચે છે.
સાંજે 5 વાગે આ ટ્રેન ભાવનગરથી ઉપડી 9.40એ અમદાવાદ ગાંધીગ્રામ સ્ટેશન પર પહોંચે છે.

આ રુટની ટ્રેનો લંબાવવામાં આવી 
મદુરાઈ – ઓખા હવે 29 સપ્ટેમ્બર સુધી ચાલશે,
ગાંધીનગર વારાણસી સાપ્તાહીક એક્સપ્રેક્સ ટ્રેનની 5 ટ્રીપો 2 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી રદ રહેશે.

Related posts

૧૦મી નવેમ્‍બરે ભાજપની પહેલી યાદી આવી શકે છે.

Ahmedabad Samay

રોડ સાઈડમાં પાર્ક કરેલી કારને પાછળથી પોલીસની 112 જનરક્ષક ગાડીએ જોરદાર ટક્કર મારી, ડ્રાઇવર નશાની હાલતમાં મળ્યો

Ahmedabad Samay

બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિશુલ દીક્ષા સમારોહનું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

૨૦૨૦ માં આ ઘટનાઓ માટે રહેશે યાદગાર

Ahmedabad Samay

રાજકોટ કલેકટર કચેરીમાં કિશન ભરવાડ મુદ્દે આવેદન પત્ર આપવા આવેલ ટોળા હિંસક બનતાં પોલીસને લાઠીચાર્જ કરવો પડયો.

Ahmedabad Samay

GCS હોસ્પિટલ દ્વારા વર્લ્ડ હેલ્થ દિવસ નિમિત્તે જન-જાગૃતિ માટે પ્રાથમિક સારવારની તાલીમનુ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો