January 19, 2025
ગુજરાત

અમદાવાદ – આજથી ગાંધીગ્રામ ભાવનગર દૈનિક સમર સ્પેશિયલ ટ્રેનને 3 મહિના લંબાવાઈ

અમદાવાદથી ભાવનગર અને ભાવનગરથી ગાંધીગ્રામ ટ્રેનની ટ્રીપને 90 દિવસ માટે લંબાવવામાં આવી છે. આ સ્પેશિયલ સમર ટ્રેન અગાઉ ઉનાળામાં ચાલતી હતી જે ફરીથી લંબાવવામાં આવતા મુસાફરો તેની મુસાફરી નિર્ધારીત સમય મુજબ આગામી 90 દિવસ સુધી કરી શકશે.

અમદાવાદથી ભાવનગર જવાવાળા મુસાફરો માટે આ સારા સમાચાર છે. ખાસ કરીને આ રુટ પર પેસેન્જરોની સંખ્યા જોવા મળતી હોય છે. તેમાં પણ વીકેન્ડમાં સંખ્યા વધું હોય છે. ત્યારે પશ્ચિમ રેલ્વે દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દૈનિક આ રુટ પર સ્પેશિયલ ટ્રેન આજથી 3 મહિના સુધી ચાલશે. સમરના સ્થાને હવે મોન્સુન સિઝનમાં પણ આગામી 90 દિવસ ટ્રેનમાં મુસાફરી કરી શકાશે.

આ સમયગાળામાં ટ્રેનનો રહેશે સમય
સવારે 6.35 વાગે અમદાવાદથી ઉપડે છે અને ભાવનગર ટર્મિનસ પર 11.15 કલાકે પહોંચે છે.
સાંજે 5 વાગે આ ટ્રેન ભાવનગરથી ઉપડી 9.40એ અમદાવાદ ગાંધીગ્રામ સ્ટેશન પર પહોંચે છે.

આ રુટની ટ્રેનો લંબાવવામાં આવી 
મદુરાઈ – ઓખા હવે 29 સપ્ટેમ્બર સુધી ચાલશે,
ગાંધીનગર વારાણસી સાપ્તાહીક એક્સપ્રેક્સ ટ્રેનની 5 ટ્રીપો 2 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી રદ રહેશે.

Related posts

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ધૈર્યરાજસિંહ માટે દાન એકત્રિત કરાયું

Ahmedabad Samay

અમદાવાદ: શનિવારે વરસાદ પડ્યા બાદ રવિવાર સવારે કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, બપોરે બફારાએ લોકોને હેરાન કર્યા

Ahmedabad Samay

અમદાવાદ: આખરે રેલવે AMCને સર્વિસ ચાર્જ તરીકે 13 કરોડ રૂપિયા ચુકવશે

Ahmedabad Samay

નરોડાના ગેલેક્સી સિનેમા સામે આવેલ અંડરબ્રિજ ત્રણ દિવસ માટે બંધ

Ahmedabad Samay

અમદાવાદના રાણીપ વિસ્તારમાં રાધાસ્વામી રોડ પર સ્થાનિકો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન

Ahmedabad Samay

મહામારી માં રાહતના સમાચાર, ગેસ સિલેન્ડરની કિંમતમાં ઘટાડો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો