June 27, 2026
રાજકારણ

ચોમાસુ સત્ર: વિપક્ષે કરી નારેબાજી, હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત

આજે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ ભારે હોબાળો શરૂ થઈ ગયો, જેના કારણે ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. મણિપુર હિંસા અંગે વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ સંસદમાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદી આજે જવાબ આપશે. માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન પીએમ મોદી વિપક્ષ પર હુમલો કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર PM મોદી સાંજે 4 વાગ્યે ગૃહમાં બોલશે. પીએમ મોદી ઉપરાંત અસદુદ્દીન ઓવૈસી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ સંબોધન કરશે.

PM મોદી ગૃહમાં એક કલાક બોલશે

પશ્ચિમ બંગાળના બીજેપી સાંસદ સુકાંત મજુમદારે કહ્યું કે આજનો દિવસ સંસદમાં મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને વિપક્ષ માટે. પીએમ મોદી એક કલાકથી વધુ સમય સુધી બોલશે અને વિપક્ષ આ માટે તૈયાર રહે. રાહુલ ગાંધીના ફ્લાઈંગ કિસ વિવાદ પર, બીજેપી સાંસદે કહ્યું કે તે તેમની સંસ્કૃતિ અને તેમની રુચિને દર્શાવે છે. પહેલા તેમણે પીએમ મોદીને ગળે લગાવ્યા હતા અને હવે તેઓ સંસદમાં ફ્લાઈંગ કિસ આપી રહ્યા છે.

‘સરકારના વડા તરીકે પીએમ મોદી વિપક્ષને જવાબ આપશે’

પીએમ મોદીના અવિશ્વાસ પ્રસ્તાવ પર પ્રતિક્રિયા આપતા DMK સાંસદ તિરુચિ સિવાએ કહ્યું, ‘અમે આશા રાખીએ છીએ કે તેઓ આજે સંસદમાં બોલશે. સરકારના વડા હોવાને કારણે તેઓ સંસદમાં વિપક્ષના સવાલોના જવાબ આપશે.’

‘ભારત માતાની હત્યા’ કહેવું યોગ્ય નથી

રાહુલ ગાંધી દ્વારા તેમના સંબોધનમાં અસંસદીય ભાષાના ઉપયોગ પર કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે સરકાર પર આંગળી ઉઠાવતા પહેલા અધીર રંજન ચૌધરીએ લોકસભા અધ્યક્ષ અને સંસદ ટીવીની ભૂમિકા સમજવી જોઈએ. ગઈકાલે તેમના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીને ક્યારેય વિક્ષેપ પાડવામાં આવ્યો ન હતો પરંતુ ભારત માતાની હત્યા એવો શબ્દ નથી જેનો ઉપયોગ સંસદમાં થવો જોઈએ. જણાવી દઈએ કે અધીર રંજન ચૌધરીએ કહ્યું કે જો કોઈ અસંસદીય શબ્દ હોય તો તેને દૂર કરવાની જોગવાઈ છે. મને નથી લાગતું કે રાહુલ ગાંધીએ કોઈ અસંસદીય શબ્દનો ઉપયોગ કર્યો હોય. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત માતાનું અપમાન થયું છે. મેં આ મુદ્દો લોકસભાના સ્પીકર સાથે ઉઠાવ્યો છે અને તેમણે મને ખાતરી આપી છે કે તેઓ આ બાબતની તપાસ કરશે.

Related posts

બાબરી વિધવંશ મામલો:અડવાણી સહિત તમામ ૩૨ આરોપીઓને ક્લિનચીટ

Ahmedabad Samay

CM ભૂપેન્દ્રભાઇ પટેલે સાયન્સ સિટીની ઉત્તરોત્તર વધતી લોકપ્રિયતાના સંદર્ભમાં આગામી સમયમાં નવા ઇનોવેટિવ આકર્ષણો જોડવા માટેના આયોજનની સમીક્ષા કરી

Ahmedabad Samay

ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બેનીઝે કર્યા PM નરેન્દ્ર મોદીના ભરી-ભરીને વખાણ, કરી દીધો આવડો મોટો ખુલાસો

Ahmedabad Samay

નાના વહેપારીઓ ને ફરી ઉદ્યોગ ઉભા કરવા મહત્વની યોજના

Ahmedabad Samay

મમતા બેનર્જીને હરાવનાર ભાજપના કદાવર નેતા અને ધારાસભ્ય સુવેન્દુ અધિકારીના અંગત સચિવ (PA) ચંદ્રનાથ રથની ઘાતકી હત્યા

Ahmedabad Samay

જ્યોતિરાદિત્ય સિંધિયા યુક્રેનથી બુકારેસ્ટ થઈને દિલ્હી એરપોર્ટ પર પહોંચેલા ભારતીય નાગરિકો સાથે વાતચીત કરી હતી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો