June 23, 2026
અપરાધ

મહાઠગ કિરણ પટેલને પોલીસ આવતીકાલે ફરી તપાસ માટે લાવશે અમદાવાદ

મહાઠગ કિરણ પટેલ સામે નોંધાયેલી છેતરપિંડીના મામલે ફરીથી અમદાવાદ લાવવામાં આવશે. જમ્મુ કાશ્મીરથી અમદાવાદ મહાઠગને લાવવામાં આવશે. ટ્રાન્ઝીટ રીમાન્ડના આધારે પોલીસ અમદાવાદમાં લાવીને વધુ પૂછપરછ કીરણ પટેલની કરશે.

મકાન પચાવી પાડવા તેમજ જમીન છેતરપિંડી સહીતના અનેક ગુનાઓ નોંધાયા છે. પીએમઓ તરીકેના ખોટો અધિકારીની ઓળખ આપીને અનેક લોકોને ઠગવાના આરોપો લાગ્યા છે.

અગાઉ શ્રીનગરમાં નકલી પીએમઓ ઓફિસર તરીકે ઝડપાયેલા કિરણ પટેલની છેતરપિંડી અને લોકોની જમીનો અને પ્રોપર્ટી પચાવી પાડવા સહીતના મામલાઓમાં એક પછી એક મુશ્કેલીઓ વધી રહી છે. ત્યારે વધુ તપાસ આ મામલે અમદાવાદ પોલીસ દ્વારા પણ કરવામાં આવશે. અન્ય રાજ્ય ઉપરાંત ગુજરાતમાં પણ છેતરપિંડીના અનેક કેસો સામે આવતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અગાઉ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે ગુના સબંધિત વધુ પૂછપરછ મામલે કાલે ફરીથી અમદાવાદ લાવવામાં આવશે.મહાઠગ કિરણ પટેલને અમદાવાદમાં લાવવાની તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે.

શ્રીનગરમાં ધરપકડ બાદ રાજ્યમાં અનેક મામલા સામે આવ્યા છે. નકલી PMO ઓફિસરના મામલામાં ગુજરાત સરકાર પર વિપક્ષે પણ અગાઉ વિધાનસભામાં હલ્લાબોલ કર્યો હતો.  આગામી દિવસોમાં ગુજરાત પોલીસ કિરણ પટેલ પર પણ કડક કાર્યવાહી કરી શકે છે. એક પછી એક મામલે થયેલી ફરીયાદના અનુસંધાને તપાસ તેજ થઈ રહી છે. ટ્રાન્સફર વોરંટને આધારે કિરણ પટેલને અમદાવાદમાં લાવવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

ગ્રીષ્મા હત્યા કેસમા કુલ ૭૬ સાક્ષીઓની જુબાની લેવાની કામગીરી ચાલી રહી છે. હજી પણ ૧૦ સાક્ષીઓની જુબાની બાકી છે.

Ahmedabad Samay

મોરબીના પીપળી નજીક હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો, મૃતકના વાલીવારસની શોધખોળ

Ahmedabad Samay

અમદાવાદમાં 11 મહિનામાં રખડતા પશુઓ મામલે 782 FIR દાખલ થઈ, તે છતાં પશુઓ રોડ પર

Ahmedabad Samay

રાજસ્થાનમાં શ્રદ્ધા વોલકર જેવો ક્રૂરતા ભર્યો કિસ્સો આવ્યો સામે, લાશના કર્યા ૧૦ ટુકડા

Ahmedabad Samay

શહેરમાં માથાભારે શખ્શ છરી લઈને આતંક મચાવતો, લોકોને છરી મારીને લૂંટનો પ્રયાસ

Ahmedabad Samay

12 નવેમ્બરના રોજ બપોરે ગુમ થયેલી માસૂમ બાળકીની લાશ તેના ઘર નજીકથી જ પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલી હાલતમાં મળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો