June 25, 2026
ગુજરાત

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે કૃષિ મંત્રીને ફોજદારી માનહાનિના કેસમાં આપી રાહત, લગાવ્યો કાર્યવાહી પર સ્ટે

અમદાવાદ: ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે રાઘવજી પટેલ અને અન્ય સાત લોકો સામે ફોજદારી માનહાનિના કેસમાં કોર્ટની કાર્યવાહી પર સ્ટે લગાવી દીધો છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલના એડવોકેટ પી.એમ. લાખાણીના જણાવ્યા અનુસાર, જામનગર જિલ્લાના ધ્રોલના રહેવાસી લાલજી પઢિયારે જાન્યુઆરી 2004માં રાઘવજી પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લાલજી પઢિયારની ફરિયાદ પર ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો.

જો કે, જોડિયાની મેજિસ્ટ્રિયલ કોર્ટે પોલીસના સમરી રિપોર્ટ અને કેસનો અંત લાવવાની દરખાસ્તને નકારી કાઢી હતી અને તે આઠ આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 499, 500, 501, 502, 109 અને 114 હેઠળ કથિત ગુનાની નોંધ લીધી હતી. તેણે તેમને 6 માર્ચ, 2021 ના રોજ હાજર રહેવાનો આદેશ આપતા સમન્સ જારી કર્યા હતા.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે મેજિસ્ટ્રિયલ કોર્ટના નિર્ણયને રદ કરવા માટે HCનો સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટે રાઘવજી પટેલની અરજી સ્વીકારી લીધી અને નીચલી અદાલતને 11 ઓક્ટોબર સુધી આગળની કાર્યવાહી કરવા પર સ્ટે લગાવી દીધો.

Related posts

ધનતેરસે કરો આટલું લક્ષ્મીજી રહેશે પ્રશન

Ahmedabad Samay

૨૮ સપ્ટેમ્બરના રોજ જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાશે

Ahmedabad Samay

જો સુરતમાં કોરોના કેસ વધશે તો તેના જવાબદાર સી.એમ. ભૂપેન્દ્ર પટેલ હશે, સાયકલોથનમાં આશરે ૧૦,૦૦૦ જેટલી ભીડ એકત્રિત કરી

Ahmedabad Samay

 અમદાવાદ સમયની જાહેર જનતાને અપીલ

Ahmedabad Samay

ગુજરાતથી કરણી સેનાના ૫૦૦ જેટલા કાર્યકરો જયપુર ખાતે આંદોલનમાં જોડાશે

Ahmedabad Samay

અમદાવાદ: રાહુલ ગાંધી સામે માનહાનિ કેસમાં આજે પૂર્ણેશ મોદી જવાબ રજૂ કરશે, જાણો સંપૂર્ણ માહિતી

admin

એક ટિપ્પણી મૂકો