January 20, 2025
ગુજરાત

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે કૃષિ મંત્રીને ફોજદારી માનહાનિના કેસમાં આપી રાહત, લગાવ્યો કાર્યવાહી પર સ્ટે

અમદાવાદ: ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે રાઘવજી પટેલ અને અન્ય સાત લોકો સામે ફોજદારી માનહાનિના કેસમાં કોર્ટની કાર્યવાહી પર સ્ટે લગાવી દીધો છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલના એડવોકેટ પી.એમ. લાખાણીના જણાવ્યા અનુસાર, જામનગર જિલ્લાના ધ્રોલના રહેવાસી લાલજી પઢિયારે જાન્યુઆરી 2004માં રાઘવજી પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લાલજી પઢિયારની ફરિયાદ પર ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો.

જો કે, જોડિયાની મેજિસ્ટ્રિયલ કોર્ટે પોલીસના સમરી રિપોર્ટ અને કેસનો અંત લાવવાની દરખાસ્તને નકારી કાઢી હતી અને તે આઠ આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 499, 500, 501, 502, 109 અને 114 હેઠળ કથિત ગુનાની નોંધ લીધી હતી. તેણે તેમને 6 માર્ચ, 2021 ના રોજ હાજર રહેવાનો આદેશ આપતા સમન્સ જારી કર્યા હતા.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે મેજિસ્ટ્રિયલ કોર્ટના નિર્ણયને રદ કરવા માટે HCનો સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટે રાઘવજી પટેલની અરજી સ્વીકારી લીધી અને નીચલી અદાલતને 11 ઓક્ટોબર સુધી આગળની કાર્યવાહી કરવા પર સ્ટે લગાવી દીધો.

Related posts

કોરોના કારણે અમદાવાદમાં ત્રણ રથ નિકળશે

Ahmedabad Samay

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી ૪૦ જેટલા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

Ahmedabad Samay

ધ ગ્રેટ ખલી બન્યા જીમ લૉન્જ ના બ્રેન્ડેમ્બેસેટર

Ahmedabad Samay

કુબેરનગરમાં કેવિન નામનું બાળક ગંભીર બીમારીથી પીડાઇ રહ્યો છે,સારવાર માટે સમાજ પાસે માંગી મદદ

Ahmedabad Samay

ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર કર્યું જાહેર

Ahmedabad Samay

કુબેરનગર વોર્ડમાં ૧૧૨ નંબરની AMTS બસ સેવા ફરી શરૂ કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો