November 18, 2025
ગુજરાત

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે કૃષિ મંત્રીને ફોજદારી માનહાનિના કેસમાં આપી રાહત, લગાવ્યો કાર્યવાહી પર સ્ટે

અમદાવાદ: ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે રાઘવજી પટેલ અને અન્ય સાત લોકો સામે ફોજદારી માનહાનિના કેસમાં કોર્ટની કાર્યવાહી પર સ્ટે લગાવી દીધો છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલના એડવોકેટ પી.એમ. લાખાણીના જણાવ્યા અનુસાર, જામનગર જિલ્લાના ધ્રોલના રહેવાસી લાલજી પઢિયારે જાન્યુઆરી 2004માં રાઘવજી પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લાલજી પઢિયારની ફરિયાદ પર ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો.

જો કે, જોડિયાની મેજિસ્ટ્રિયલ કોર્ટે પોલીસના સમરી રિપોર્ટ અને કેસનો અંત લાવવાની દરખાસ્તને નકારી કાઢી હતી અને તે આઠ આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 499, 500, 501, 502, 109 અને 114 હેઠળ કથિત ગુનાની નોંધ લીધી હતી. તેણે તેમને 6 માર્ચ, 2021 ના રોજ હાજર રહેવાનો આદેશ આપતા સમન્સ જારી કર્યા હતા.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે મેજિસ્ટ્રિયલ કોર્ટના નિર્ણયને રદ કરવા માટે HCનો સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટે રાઘવજી પટેલની અરજી સ્વીકારી લીધી અને નીચલી અદાલતને 11 ઓક્ટોબર સુધી આગળની કાર્યવાહી કરવા પર સ્ટે લગાવી દીધો.

Related posts

આવતીકાલે બાબા બાગેશ્વર આવશે અમદાવાદ, 29મેના રોજ યોજોશે લોકદરબારનો કાર્યક્રમ

Ahmedabad Samay

લોકડાઉન માં ફસાયેલા લોકોને વતન વાપસી માટે રેલવે યાત્રા નો ખર્ચ કોંગ્રેસ સરકાર ઉઠાવશે : સોનિયા ગાંધી

Ahmedabad Samay

મોંઘી ગાડીઓ ઉંચા ભાડે મેળવી પરત ન આપતી ટોળકીનો ઓઢવ પોલીસે કર્યો પર્દાફાશ

Ahmedabad Samay

પરપ્રાંતીયો માટે કવચ સમાન આવ્યું ઉતરભારતીય વિકાસ પરિષદ

Ahmedabad Samay

અમદાવાદ – ડ્રગ્સ હેરાફેરીમાં નાના બાળકોના ઉપયોગ મામલે હાઈકોર્ટમાં સુનાવણી

admin

શુ મજાક છે. રાત્રી કરફ્યુ ૧૨ થી ૦૬ વાગ્યા સુધી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો