March 23, 2026
ધર્મરાજકારણ

ભાજપની જંગી જીત બાદ ત્રણેય રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓના નામ નક્કી થઈ ગયા

ભાજપે ત્રણ રાજ્‍યોમાં જંગી જીત મેળવી છે. ચૂંટણી બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે કોણ બનશે મુખ્‍યમંત્રી? આ દરમિયાન મોટી માહિતી સામે આવી રહી છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર ત્રણેય રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓના નામ નક્કી થઈ ગયા છે. ભાજપ હાઈકમાન્‍ડ દ્વારા આખરી મંજુરી પણ આપવામાં આવી છે. જો કે મુખ્‍યમંત્રીઓના નામની જાહેરાત થાય તે પહેલા રાજકીય અટકળોનું બજાર પણ ગરમ છે. આ સાથે એ પણ નક્કી કરવામાં આવ્‍યું છે કે ત્રણેય રાજ્‍યોમાં નાયબ મુખ્‍યમંત્રી પણ બનાવવામાં આવશે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર રાજસ્‍થાનમાં જ્‍યાં વસુંધરા રાજે સીએમની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. પાર્ટી ફરી એકવાર વસુંધરા રાજેને તક આપી શકે છે. તે જ સમયે, મધ્‍યપ્રદેશમાં સીએમ માટે શિવરાજ સિંહ ચૌહાણને પ્રથમ પસંદ માનવામાં આવી રહ્યા છે અને તેમને વધુ એક તક આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. સાથે જ ભાજપ કેન્‍દ્રીય મંત્રી રેણુકા સિંહને છત્તીસગઢના મુખ્‍યમંત્રી બનાવી શકે છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર તમામ નામો નક્કી થઈ ગયા છે, પરંતુ સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.

૨૦૨૪ને ધ્‍યાનમાં રાખીને નામ નક્કી કર્યું ભાજપે, રાજસ્‍થાન ઉપરાંત મધ્‍યપ્રદેશ અને છત્તીસગઢના મુખ્‍યમંત્રીઓના નામ નક્કી કર્યા છે. ભાજપ હાઈકમાન્‍ડ દ્વારા આખરી મંજુરી પણ આપી દેવામાં આવી છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અને ભાવિ નેતળત્‍વને ધ્‍યાનમાં રાખીને મુખ્‍યમંત્રી બનાવવામાં આવશે. આ સાથે ત્રણેય રાજ્‍યોમાં નાયબ મુખ્‍યમંત્રી પણ બનાવવામાં આવશે.

ભાવિ નેતળત્‍વ માટે નાયબ મુખ્‍યમંત્રી બનાવવામાં આવશે, શિવરાજ સિંહ મધ્‍યપ્રદેશમાં મુખ્‍યમંત્રી બની શકે છે. પરંતુ, ભાવિ નેતળત્‍વ તૈયાર કરવા માટે બે નાયબ મુખ્‍યમંત્રી બનાવી શકાય છે. એ જ રીતે રાજસ્‍થાનમાં પણ વસુંધરાને સીએમ બનાવવામાં આવી શકે છે. અહીં એક-બે નાયબ મુખ્‍યમંત્રી પણ બની શકે છે. રેણુકા સિંહ, જેઓ એક મહિલા અને આદિવાસી નેતા છે, છત્તીસગઢમાં સીએમ બની શકે છે. અહીં પાર્ટી અનુભવી નેતાને નાયબ મુખ્‍યમંત્રી બનાવી શકે છે.

Related posts

ગુજરાત રાજસ્થાન મિત્રતા સંઘ અને ભાષા-ભાષા સેલ ભાજપ અમદાવાદ દ્વારા સ્વાગત અને સન્માન સ્માહરો યોજાયો

Ahmedabad Samay

“PACS અને CSC ના જોડાવાથી, સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન મોદીના બે સંકલ્પો એકસાથે પૂર્ણ થઈ રહ્યા છે:” કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

admin

નીતિન નબીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની કર્મભૂમિ એવા ગુજરાતની મુલાકાતે પધાર્યા

Ahmedabad Samay

મેઘાણીનગરના લક્ષ્મીનગરમાં આવેલ ઓમકારનગરમાં પવેર બ્લોક અને સ્ટ્રીટ લાઇટ નાખવા માટે ખાતમુહૂર્ત કરાયું

Ahmedabad Samay

‘સત્યનો રસ્તો ભૂલી ગઈ છે ભાજપ, બુલડોઝરના રસ્તા પર સરકાર’, ગુજરાતમાં ગર્જ્યા અખિલેશ યાદવ

Ahmedabad Samay

રામ નવમીના દિવસે અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલાનો સૂર્યથી અભિષેક કરવામાં આવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો